SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' એ પ્રમાણે લવ, મુહૂર્ત જાણવા. એ પ્રમાણે અહોરાત્ર, પક્ષ, માસ, ઋતુ, અયન, સંવત્સર, યુગ, સો વર્ષ, હજાર વર્ષ, લાખ વર્ષ, પૂર્વાગ, પૂર્વ, ત્રુટિતાંગ, ત્રુટિત, અડડાંગ, અડદ, અવવાંગ, અવવ, હૂહયાંગ, દુહુત, ઉત્પલાંગ, ઉત્પલ, પદ્માંગ, પદ્મ, નલિનાંગ, નલિન, અક્ષનિપૂરાંગ, અક્ષનિપૂર, અયુતાંગ, અયુત, નયુતાંગ, નયુત, પ્રયુતાંગ, પ્રયુત, ચૂલિકાંગ, ચૂલિકા, શીર્ષપ્રહેલિકાંગ, શીર્ષપ્રહેલિકા, પલ્યોપમ, સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી જાણવા. ભગવદ્ ! એક પુદ્ગલ પરાવર્ત શું સંખ્યાત સમયક, અસંખ્યાત સમયક કે અનંતાસમયક છે ? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયક નથી, અનંત સમયક છે. એ રીતે અતીત-અનાગત-સર્વકાળ જાણવો. ભગવન્! આવલિકાઓ શું સંખ્યાત સમયિક છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત સમયિક નથી, કદાચ અસંખ્યાત, કદાચ અનંત સમયિક છે. ભગવન્! આનપ્રાણો, શું સંખ્યાતસમયિક છે? પૂર્વવતું. ભગવન્! તોકો, શું સંખ્યાત સમયિક છે ? એ પ્રમાણે યાવત્ અવસર્પિણીઓ સુધી જાણવુ. ભગવદ્ ! અનેક પુદ્ગલ પરાવર્તો, શું સંખ્યાત સમયિક છે?. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત સમયિક નથી, અનંત સમયિક છે. ભગવનું ! આનપ્રાણ, શું સંખ્યાત આવલિકારૂપ છે ? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત આવલિકારૂપ છે. અસંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી. એ પ્રમાણે સ્ટોક યાવત્ શીર્ષ પ્રહેલિકારૂપ સુધી જાણવુ. ભગવન્! પલ્યોપમ, શું સંખ્યાત આવલિકારૂપ છે ? પ્રશ્ન. સંખ્યાત કે અનંત આવલિકારૂપ નથી, અસંખ્યાત આવલિકારૂપ છે. એ પ્રમાણે સાગરોપમ, અવસર્પિણી, ઉત્સર્પિણી પણ જાણવા. ભગવન્એક પુદ્ગલ પરાવર્ત પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, અનંતા આવલિકા રૂપ છે. એ પ્રમાણે યાવત્ સર્વકાળ. ભગવદ્ ! આનપ્રાણ શું સંખ્યાત આવલિકારૂપ છે ? ગૌતમ! કદાચ સંખ્યાત આવલિકા, કદાચ અસંખ્યાતા આવલિકા, કદાચ અનંત આવલિકારૂપ છે. એ પ્રમાણે શીર્ષ પ્રહેલિકા સુધી જાણવુ. ભગવન્પલ્યોપમની પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત આવલિકારૂપ નથી, કદાચ અસંખ્યાત આવલિકા, કદાચ અનંત આવલિકા રૂપ છે. એ પ્રમાણે ઉત્સર્પિણી સુધી જાણવુ. પુદ્ગલ પરિવર્તની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત આવલિકારૂપ નથી, પણ અનંત આવલિકારૂપ છે. ભગવદ્ ! સ્ટોક શું સંખ્યાત આનપ્રાણ છે, અસંખ્યાત આનપ્રાણ છે ? આવલિકા માફક આનપ્રાણ વક્તવ્યતા સંપૂર્ણ કહેવી. એ પ્રમાણે આ આલાવા વડે શીર્ષપ્રહેલિકા પર્યન્ત કહેવુ. ભગવદ્ ! સાગરોપમ શું સંખ્યાત પલ્યોપમરૂપ છે? પ્રશ્ન. ગૌતમ! સંખ્યાત પલ્યોપમ છે, અસંખ્યાત કે અનંત લ્યોપમ નથી. એ રીતે અવસર્પિણી અને ઉત્સર્પિણી પણ જાણવા. ભગવન્! પુદ્ગલ પરિવર્તo પૃચ્છા. ગૌતમ ! સંખ્યાત કે અસંખ્યાત પલ્યોપમ નથી, અનંત પલ્યોપમ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવુ. ભગવન્! અનેક સાગરોપમો શું સંખ્યાત પલ્યોપમરૂપ છે ? પ્રશ્ન. ગૌતમ ! કદાચ સંખ્યાત પલ્યોપમો, કદાચ અસંખ્યાત પલ્યોપમો, કદાચ અનંતા પલ્યોપમો. એ પ્રમાણે અવસર્પિણી, ઉત્સર્પિણીમાં પણ કહેવુ. ભગવન્! અનેક પુદ્ગલ પરાવર્તાની પૃચ્છા. ગૌતમ! સંખ્યાત પલ્યોપમ નથી, અસંખ્યાત પલ્યોપમ નથી, પણ અનંત પલ્યોપમો છે. ભગવદ્ ! અવસર્પિણી, શું સંખ્યાત સાગરોપમ છે ? જેમ પલ્યોપમની વક્તવ્યતા કહી, તેમ સાગરોપમની પણ કહેવી. ભગવન્! પુદ્ગલ પરાવર્ત, શું સંખ્યાત અવસર્પિણી છે ? ગૌતમ! સંખ્યાત કે અસંખ્યાત અવસર્પિણીઓ રૂપ નથી, પણ અનંત અવસર્પિણી-ઉત્સર્પિણીરૂપ છે. એ પ્રમાણે સર્વકાળ પર્યન્ત જાણવુ. ભગવન્! અનેક પુદ્ગલ પરાવર્તે શું સંખ્યાત અવસર્પિણી-ઉત્સર્પિણીઓ છે? પ્રશ્ન. ગૌતમ! માત્ર અનંત અવસર્પિણી ઉત્સર્પિણી છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 181
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy