Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 147
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' હે ભગવન્! કેટલા કાળની સ્થિતિમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! જઘન્યા ૨૨-સાગરોપમ અને ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમાં સ્થિતિમાં ઉત્પન્ન થાય. ભગવન્! તે જીવો એક સમયમાં શેષ તેમજ, શર્કરામભા પૃથ્વી ગમક જાણવો. માત્ર સંઘયણ પહેલું કહેવું અને સ્ત્રીવેદક ન ઉપજે. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. ભવાદેશથી બે ભવગ્રહણ કાલાદેશથી જઘન્ય ૨૨-સાગરોપમ અને વર્ષ પૃથત્વ અધિક, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ અને પૂર્વકોડી અધિક, આટલો કાળ રહે. તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું વિશેષ - નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો આ જ કથન કરવું. વિશેષ - સંવેધ જાણવો. તે જ મનુષ્ય સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન થયેલ હોય, તેને ત્રણે ગમકોમાં આ જ વક્તવ્યતા. માત્ર શરીરવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને રત્નીપૃથ7. સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને વર્ષ પૃથc. એ રીતે અનુબંધ પણ છે. સંવેધ ઉપયોગપૂર્વક કહેવો. તે સ્વયં જ ઉત્કૃષ્ટ કાળસ્થિતિક ઉત્પન્ન હોય તો, તેને પણ ત્રણે ગમકમાં આ જ વક્તવ્યતા. માત્ર શરીરાવગાહના જઘન્ય-ઉત્કૃષ્ટ બંને 500 ધનુષ, સ્થિતિ જઘન્ય-ઉત્કૃષ્ટ બંને પૂર્વકોડી, એ રીતે અનુબંધ પણ છે. આ નવે ગમકોમાં નૈરયિક સ્થિતિ અને સંવેધ જાણવો. બધે ભવગ્રહણ બે યાવત્ નવ ગમકમાં કાલાદેશથી જઘન્ય ૩૩સાગરોપમ, પૂર્વકોડી અધિક ઉત્કૃષ્ટ પણ તેમજ. આટલો કાળ રહે - ગમનાગમન કરે. ભગવન્! તેમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો-૨ ' અસુરકુમાર ' સૂત્ર-૮૪૩ રાજગૃહમાં યાવત્ આમ પૂછ્યું - ભગવદ્ ! અસુરકુમાર ક્યાંથી આવીને ઉપજે છે - નૈરયિકથી યાવતુ દેવથી ? ગૌતમ ! નૈરયિક કે દેવથી આવીને ઉપજતા નથી, તિર્યંચ અને મનુષ્યથી આવીને ઉપજે છે. એ પ્રમાણે જેમ નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ યાવત્ પર્યાપ્તા અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ભગવન્! જે અસુરકુમારમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે હે ભગવન્! કેટલી કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય છે ? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પલ્યોપમના અસંખ્યાત ભાગ સ્થિતિમાં ઉપજે છે. ભગવન્! તે જીવો એ રીતે રત્નપ્રભા ગમક સમાન નવે પણ ગમો કહેવા. વિશેષ એ - જેમની સ્વયં જઘન્ય કાલ સ્થિતિ હોય, તેમને અધ્યવસાયો પ્રશસ્ત હોય, અપ્રશસ્ત નહીં. ત્રણે ગમમાં બાકી પૂર્વવતું. જો સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયમાં યાવત્ ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કમાં ? ગૌતમ! સંખ્યાત વર્ષાયુમાં યાવત્ ઉપજે, અસંખ્યાતમાં પણ ઉપજે. અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ જે અસુરકુમારમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવન્! કેટલી કાળા સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવો. એક સમયમાં પ્રશ્ન? જઘન્યથી એક, બે કે ત્રણ. ઉત્કૃષ્ટ થી સંખ્યાતા ઉપજે. વજઋષભનારાચ સંઘયણી, અવગાહના જઘન્યતી ધનુષ પૃથત્વ, ઉત્કૃષ્ટથી છ ગાઉ, સમચતુરસ સંસ્થાન સંસ્થિત, ચાર વેશ્યા, મિથ્યાદષ્ટિ, અજ્ઞાની-નિયમા બે અજ્ઞાની-મતિ અજ્ઞાની, શ્રુતઅજ્ઞાની, ત્રણે યોગ, બંને ઉપયોગ, ચાર સંજ્ઞા, ચાર કષાયો, પાંચ ઇન્દ્રિયો, ત્રણ સમુધ્ધાતો સમવહત થઈને કે સમવહત ન થઈને મરે, વેદના બે - શાતા, અશાતા વેદ બે - સ્ત્રી, પુરુષ. સ્થિતિ જઘન્ય-સાતિરેક પૂર્વકોડી અને ઉત્કૃષ્ટી ત્રણ પલ્યોપમ, અધ્યવસાય પ્રશસ્ત-અપ્રશસ્ત બંને. અનુબંધ સ્થિતિ મુજબ. કાયસંવેધ ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા સાતિરેક પૂર્વકોડી-૧૦૦૦ વર્ષ અધિક. ઉત્કૃષ્ટથી છ પલ્યોપમ, આટલો કાળ રહે. તે એ જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ કથન. માત્ર અસુરકુમારની સ્થિતિ અને સંવેધ જાણવા. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. આ જ વક્તવ્યતા છે. વિશેષ આ - સ્થિતિ અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. અનુબંધ એ પ્રમાણે જ છે. કાલાદેશ વડે જઘન્ય અને ઉત્કૃષ્ટ પણ છ પલ્યોપમાદિ. બાકી પૂર્વવત્. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 147

Loading...

Page Navigation
1 ... 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240