Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ જો અપકાયથી આવે તો પૂર્વોક્ત વક્તવ્યતા. એ રીતે વનસ્પતિકાયિકની પણ, એ પ્રમાણે યાવત્ ચતુરિન્દ્રિયની પણ જાણવી. અસંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક, સંજ્ઞી પંચે તિર્યંચ૦, અસંજ્ઞી મનુષ્ય, સંજ્ઞી મનુષ્ય આ બધા પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશા પ્રમાણે કહેવા. વિશેષ એ કે - આના પરિણામ, અધ્યવસાયની ભિન્નતા પૃથ્વીકાયિક ઉદ્દેશા મુજબ કહેવી. બાકી સંપૂર્ણ પૂર્વવત્. જો દેવથી આવીને ઉપજે, તો શું ભવનવાસી યાવત્ વૈમાનિક દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જો ભવનવાસી તો અસુરથી યાવત્ સ્વનિતથી આવે ? ગૌતમ! તે દશેથી આવે. ભગવન્! જે અસુરકુમાર, મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય માસપૃથત્વ ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં. એ રીતે જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકની વક્તવ્યતા છે, તે અહીં પણ કહેવી. વિશેષ એ - જે ત્યાં અંતર્મુહૂર્ત સ્થિતિમાં છે, તે અહીં માસ પૃથત્વમાં કહેવું. પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે છે. બાકી પૂર્વવત્. એ પ્રમાણે ઈશાન દેવ સુધી કહેવું અને ઉક્ત વિશેષતા. જાણવી. પંચેન્દ્રિય તિર્યંચયોનિકના ઉદ્દેશા અનુસાર સનકુમારથી સહસ્ત્રાર દેવ સુધી કહેવું. વિશેષ એ કે - પરિમાણમાં જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુષ્કમાં ઉપજે. બાકી તેમજ છે. સંવેધ વર્ષપૃથત્વ અને પૂર્વકોડી કહેવો. સનકુમારમાં સ્થિતિના ચાર ગણા કરતા ૨૮-સાગરોપમ થાય છે. માહેન્દ્રમાં તે જ સાતિરેક થાય. બ્રહ્મલોકમાં 40, લાંતકમાં-૫૬, મહાશુક્રમાં-૬૮, સહસારમાં-૭૨ સાગરોપમ, આ ઉત્કૃષ્ટ સ્થિતિ કહેવી. જઘન્ય સ્થિતિ પણ ચાર ગણી કહેવી. ભગવદ્ ! આણતદેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યથી વર્ષપ્રથત્વ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે એ પ્રમાણે જેમ સહસ્ત્રાર દેવની વક્તવ્યતા છે તેમ કહેવું. માત્ર અવગાહના, સ્થિતિ, અનુબંધ જાણી લેવો. બાકી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ છ ભવ. કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પૂર્વકોડી અધિક પ૭સાગરોપમ આટલો કાળ રહે. એ પ્રમાણે નવ ગમકો છે. માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણવા. પ્રાણતદેવની સ્થિતિને ત્રણ ગણી કરતા 60 સાગરોપમ, આરણની 63 સાગરોપમ, અય્યતની 66 સાગરોપમ. જો કલ્પાતીત વૈમાનિકદેવથી ઉપજે તો શું રૈવેયકoથી ઉપજે કે અનુત્તરોપપાતિકથી? ગૌતમ! બંનેથી. જો રૈવેયકથી ઉપજે તો શું હેટ્રિમથી કે યાવત્ ઉપરિમ રૈવેયકથી ઉપજે? ગૌતમ! ત્રણેથી ઉપજે. ભગવન્રૈવેયક દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલો કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્ય વર્ષ પૃથત્વ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકીનું આમંતદેવની વક્તવ્યતા મુજબ જાણવું. માત્ર અવગાહનામાં તેઓ એક ભવધારણીય શરીરી છે, જઘન્યથી અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટથી બે રત્ની. સંસ્થાન, ભવધારણીય શરીરનું સમચતુરસ, પાંચ સમુદ્યાત વેદના યાવત્ તૈજસ, પણ વૈક્રિય કે તૈજસ સમુદ્યાત વડે સમવહત થયો નથી - થતો નથી - થશે નહીં. સ્થિતિ, અનુબંધ જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૨૧-સાગરોપમ. બાકી પૂર્વવત્, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથત્વ અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પૂર્વકોડી અધિક ૯૩-સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકમાં જાણવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જો અનુત્તરોપપાતિક કલ્પાતીત વૈમાનિકથી ઉપજે તો શું વિજય અનુત્તરથી આવીને ઉપજે કે સર્વાર્થસિદ્ધ) થી? ગૌતમ! પાંચેથી ઉપજે. ભગવદ્ ! વિજય-વૈજયંત-જયંત-અપરાજિત દેવ જે મનુષ્યમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? જેમ રૈવેયક દેવમાં કહ્યું તેમ જાણવું. માત્ર અવગાહના જઘન્યા અંગુલનો. અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી એક રત્ની, માત્ર સમ્યગદૃષ્ટિ, જ્ઞાની-નિયમાં ત્રણ જ્ઞાની- આભિનિબોધિક, શ્રુત, અવધિ જ્ઞાની, સ્થિતિ-જઘન્ય ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ. બાકી પૂર્વવતું. ભવાદેશથી - જઘન્ય બે ભવું, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 160