Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જો મનુષ્યમાં ઉત્પન્ન થાય તો શું સંજ્ઞીમાં કે અસંજ્ઞીમાં? ગૌતમ! બંનેમાં. ભગવન્! અસંજ્ઞી મનુષ્ય જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવાને યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુ વાળામાં ઉપજે. લબ્ધિ-ત્રણે ગમકોમાં પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક છે. સંવેધ - અહીં અસંજ્ઞી પંચેન્દ્રિયના મધ્યમ ત્રણ ગમક મુજબ સંપૂર્ણ કહેવો. જો સંજ્ઞી મનુષ્યમાં ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુષ્કમાં ઉપજે કે અસંખ્યાત વર્ષાયુષ્કમાં? ગૌતમ! સંખ્યાત૦માં, અસંખ્યાતoમાં નહીં. જો સંખ્યાત વર્ષાયુવાળામાં ઉપજે તો શું પર્યાપ્તા કે અપર્યાપ્તામાં ? ગૌતમ! બંનેમાં. ભગવન્! સંજ્ઞી મનુષ્ય, જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે લબ્ધિ, અહીંના સંજ્ઞી મનુષ્યના પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનાર પ્રથમ ગમક મુજબ યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ કાળ ગમનાગમન કરે. તે જ જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન થાય તો આ જ વક્તવ્યતા છે. માત્ર કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહુર્ત, ઉત્કૃષ્ટ ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી છે. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. પૂર્વોક્ત વક્તવ્યતા કહેવી. માત્ર અવગાહના જઘન્યથી અંગુલ પૃથત્વ, ઉત્કૃષ્ટથી 500 ધનુષ, સ્થિતિ જઘન્ય માસ પ્રથત્વ, ઉત્કૃષ્ટ પૂર્વકોડી. એ પ્રમાણે અનુબંધ પણ છે. ભવાદેશથી બે ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય માસ પૃથત્વ અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્ય કાળ સ્થિતિક. જન્મ, જેમ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચ યોનિકના પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉત્પન્ન થનારના મધ્યમ ત્રણ ગમકમાં વક્તવ્યતા કહી, તે જ અહીં મધ્યમ ત્રણ ગમકમાં કહેવી. વિશેષ આ - પરિમાણ- ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે, બાકી પૂર્વવતુ. તે સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જન્મે, બધી વક્તવ્યતા પહેલા ગમ મુજબ કહેવી. માત્ર અવગાહના-જઘન્ય અને ઉત્કૃષ્ટ-૫૦૦ ધનુષ સ્થિતિ, અનુબંધ જઘન્ય અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી. બાકી તેમજ યાવત્ ભવાદેશ, કાલાદેશથી જઘન્ય અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટ પૂર્વકોડી પૃથત્વ અધિક ત્રણ પલ્યોપમ-આટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય, આ જ વક્તવ્યતા. વિશેષ આ -કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર પૂર્વકોડી કાળ રહે. તે જ ઉત્કૃષ્ટ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, આ જ લબ્ધિ સાતમા ગમત મુજબ છે. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા પૂર્વકોડી અધિક ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ આ જ કાળ, ગમનાગમન કરે. જો દેવમાંથી આવીને ઉપજે તો શું ભવનવાસી દેવથી કે વ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક દેવથી ઉપજ ? ગૌતમ ! ચારેથી ઉપજે. જો ભવનવાસીથી આવીને ઉપજે તો શું અસુરકુમારથી કે યાવત્ સ્વનિતકુમારથી આવીને ઉપજે? ગૌતમ! દશેમાંથી આવીને ઉપજે. ભગવન્! જે અસુરકુમાર પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે ? ગૌતમ ! જઘન્યા અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. અસુરકુમારોની લબ્ધિ નવે ગમકોમાં, પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. એ રીતે યાવત્ ઈશાન દેવની લબ્ધિ કહેવી. ભવાદેશથી સર્વત્ર આઠ ભવગ્રહણ ઉત્કૃષ્ટથી, જઘન્યથી બે ભવસ્થિતિ, સંવેધ સર્વત્ર જાણી લેવો. ભગવન્! જે નાગકુમાર પંચે તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો આ જ વક્તવ્યતા. વિશેષ એ કે - સ્થિતિ, સંવેધ જાણી લેવા યાવત્ સ્વનિતકુમાર સુધી આમ કહેવું. જો વ્યંતરમાં ઉપજે તો શું પિશાચમાં ? પૂર્વવત્ યાવત્ હે ભગવન્ ! જે વ્યંતર પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 158