Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 178
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ત્રિપ્રદેશીવતું. દશપ્રદેશી, દ્વિપ્રદેશીવતું. ભગવદ્ ! સંખ્યાતપ્રદેશી ઢંધની પૃચ્છા. ગૌતમ! કદાચ સાદ્ધ, કદાચ અનó. એ રીતે અસંખ્યાતપ્રદેશી અને અનંતપ્રદેશી સ્કંધ પણ જાણવા. ભગવન્! અનેક પરમાણુ પદ્ગલો, શું સાઢું છે કે અનÁ ? ગૌતમ ! સાદ્ધ પણ છે, અનÁ પણ છે. એ રીતે યાવત્ અનંતપ્રદેશી ઢંધો જાણવા. સૂત્ર-૮૯૧, 892 891. ભગવનું ! એક પરમાણુ યુગલ સર્કપ છે કે નિષ્કપ ? ગૌતમ ! કદાચ સકંપ, કદાચ નિષ્કપ. એ પ્રમાણે અનંત પ્રદેશી ઢંધ સુધી જાણવું. ભગવનું ! અનેક પરમાણુ યુગલો સર્કપ છે કે નિષ્કપ ? ગૌતમ ! સકંપ પણ છે, નિષ્કપ પણ છે, એ રીતે અનંતપ્રદેશી ઢંધ સુધી જાણવુ. ભગવદ્ ! એક પરમાણુ પુદ્ગલ સકંપ કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ આવલિકાનો. અસંખ્યાત ભાગ, ભગવન્! એક પરમાણુ પુદ્ગલ નિષ્કપ કેટલો કાળ રહે ? ગૌતમ! જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતકાળ. એ પ્રમાણે અનંતપ્રદેશી સ્કંધ સુધી જાણવુ. ભગવદ્ ! અનેક પરમાણુ પુદ્ગલો કેટલો કાળ સકંપ રહે છે ? ગૌતમ! સર્વકાળ. ભગવદ્ ! અનેક પરમાણુ પુદ્ગલો કેટલો કાળ નિષ્કપા રહે છે? ગૌતમ ! સર્વકાળ. એ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધ સુધી જાણવુ. ભગવન્! પરમાણુ યુગલની સકંપતામાં કેટલો કાળ અંતર હોય ? ગૌતમ ! સ્વસ્થાન અપેક્ષાએ જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્ય કાળ. પરસ્થાન આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યકાળ. ઝંપતાનું અંતર કેટલો કાળ હોય ? ગૌતમ! સ્વસ્થાન આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આશ્રીને જઘન્યથી એક સમય, ઉત્કૃષ્ટથી અસંખ્યાતકાળ. ભગવનું ! દ્વિપ્રદેશી ઢંધનું સકંપ અંતર ? ગૌતમ ! સ્વસ્થાન આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અસંખ્યાતા કાળ. પરસ્થાનની અપેક્ષાથી જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. નિષ્કપનું કેટલો કાળ અંતર ? ગૌતમ ! સ્વસ્થાનને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટથી આવલિકાનો અસંખ્યાત ભાગ. પરસ્થાનને આશ્રીને જઘન્ય એક સમય, ઉત્કૃષ્ટ અનંતકાળ. આ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધ પર્યન્ત જાણવુ. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલોનું સકંપનું કાળ અંતર કેટલું છે ? ગૌતમ! અંતર નથી. આ પ્રમાણે અનંતપ્રદેશિક સ્કંધો સુધી જાણવુ. ભગવદ્ આ પરમાણુ પુદ્ગલોના સકંપ અને નિષ્કપમાં કોણ કોનાથી યાવતું વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા પરમાણુ પુદ્ગલો કંપ છે, નિષ્કપ અસંખ્યાતગણા છે. એ રીતે અસંખ્યપ્રદેશી સ્કંધમાં જાણવુ. ભગવન્! આ અનંતપ્રદેશી ઢંધોના સકંપ અને નિષ્કપમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ ! સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધો નિષ્કપ છે, સકંપ તેનાથી અનંતગણા છે. ભગવદ્ ! આ પરમાણુ પુદ્ગલોના સંખ્યાતપ્રદેશી, અસંખ્યાત પ્રદેશી, અનંતપ્રદેશી ઢંધોના સકંપ અને નિષ્કપમાં દ્રવ્યાર્થપણે, પ્રદેશાર્થપણે, દ્રવ્યાર્થપ્રદેશાર્થપણે કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! 1. સૌથી થોડા અનંતપ્રદેશી ઢંધો નિષ્કપ દ્રવ્યાર્થપણે, 2. અનંતપ્રદેશી ઢંધો સકંપ દ્રવ્યાર્થિપણે અનંતગુણા, 3. પરમાણુ પુદ્ગલો સકંપ દ્રવ્યાર્થપણે અનંતગણા, 4. સંખ્યાતપ્રદેશી ઢંધો સકંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગણા, 5. અસંખ્યાતપ્રદેશી ઢંધો સકંપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, 6. પરમાણુ પુદ્ગલ નિષ્કપ દ્રવ્યાર્થપણે અસંખ્યાત ગણા, 7. સંખ્યાતપ્રદેશી ઢંધ નિષ્ક્રપ દ્રવ્યાર્થતાથી સંખ્યાલગણા, 8. અસંખ્યાતપ્રદેશી. સ્કંધ નિષ્ક્રપ દ્રવ્યાર્થપણે અસંખ્યાતગણા, 9. પ્રદેશાર્થતાથી એ પ્રમાણે જ છે, વિશેષ એ કે - પરમાણુ પુદ્ગલો અપ્રદેશાર્થપણે કહેવા. સંખ્યાત-પ્રદેશી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 178

Loading...

Page Navigation
1 ... 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240