Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્ર-૮૭૫ થી 880 875. ભગવન્! શું શ્રેણીઓ 1. સાદિ-સાંત છે? 2. સાદિ-અનંત છે ? 3. અનાદિ સાંત છે?૪. અનાદિઅનંત છે ? ગૌતમ! સાદિ-સાંત નથી, સાદી-અનંત નથી, અનાદિ-સાંત નથી, પણ અનાદિ-અનંત છે. એ પ્રમાણે ઉર્ધ્વ-અધો લાંબી શ્રેણી સુધી જાણવુ. ભગવન્! લોકાકાશ શ્રેણી શું સાદી-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ! સાદિ-સાંત છે, સાદિ-અનંત નથી, અનાદિસાંત નથી, અનાદિ અનંત નથી. આ પ્રમાણે ઉર્ધ્વ-અધો લાંબી શ્રેણી સુધી જાણવુ. ભગવદ્ ! અલોકાકાશ શ્રેણી, શું સાદિ-સાંત છે ? પ્રશ્ન. ગૌતમ! 1. કદાચ સાદિ-સાંત, 2. કદાચ સાદિઅનંત, 3. કદાચ અનાદિ-સાંત, 4. કદાચ અનાદિ-અનંત હોય. પૂર્વ-પશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જ છે. વિશેષ એ કે - સાદિ સાંત નથી, કદાચ સાદિ-અનંત હોય, બાકી પૂર્વવતું. ઉર્ધ્વ અધો લાંબી યાવત્ ઔધિકવત્ ચાર ભંગ. ભગવન્! શ્રેણીઓ દ્રવ્યાર્થતાથી શું કૃતયુગ્મ, વ્યોજ છે? પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ છે, ચ્યોજ-દ્વાપરયુગ્મ કે કલ્યોજ નથી. એ રીતે યાવત્ ઉર્ધ્વ-અધો લાંબી કહેવી. લોકાકાશ, અલોકાકાશ શ્રેણી એમ જ છે. ભગવન્! શ્રેણી પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે પ્રશ્ન? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ ઉર્ધ્વ-અધો લાંબી જાણવી. ભગવન્! લોકાકાશ શ્રેણી, પ્રદેશાર્થતાથી પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ, ચ્યોજ નહીં, કદાચ દ્વાપરયુગ્મ, કલ્યોજ નહીં. એ રીતે પૂર્વ-પશ્ચિમ લાંબી અને ઉત્તર-દક્ષિણ લાંબીમાં જાણવુ. ઉર્ધ્વ-અધો લાંબીમાં પૃચ્છા. ગૌતમ! કૃતયુગ્મ છે, ચોજ-દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. ભગવદ્ ! અલોકાકાશ શ્રેણી પ્રદેશાર્થતાએ પૃચ્છા. ગૌતમ! કદાચ કૃતયુગ્મ યાવત્ કલાચ કલ્યો. પૂર્વપશ્ચિમ લાંબી, દક્ષિણ-ઉત્તર લાંબી એ પ્રમાણે જાણવી. ઉર્ધ્વ-અધો પણ તેમજ, માત્ર કલ્યોજ નહીં. 876. ભગવન્! શ્રેણીઓ કેટલી છે? ગૌતમ! સાત. તે આ - ઋજુવાયતા, એકતોવક્રા, ઉભયતોવક્રા, એકતઃખા, ઉભયતઃખા, ચક્રવાલ અને અર્ધચક્રવાલ. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલની ગતિ અનુશ્રેણી હોય કે વિશ્રેણી ગતિ હોય ? ગૌતમ! અનુશ્રેણી ગતિ પ્રવર્તે. વિશ્રેણી ગતિ ન પ્રવર્તે. ભગવાન ! દ્વિપ્રદેશી ઢંધની ગતિ અનુશ્રેણી પ્રવર્તે કે વિશ્રેણી પ્રવર્તે? પૂર્વવતુ. એ પ્રમાણે અનંતપ્રદેશી ઢંધ સુધી જાણવુ. ભગવદ્ ! નૈરયિકોની ગતિ અનુશ્રેણી પ્રવર્તે કે વિશ્રેણી ? પૂર્વવત્ જાણવુ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવુ. 877. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં કેટલા લાખ નરકાવાસ છે ? ગૌતમ! 30 લાખ. પહેલા શતકના પાંચમા ઉદ્દેશા પ્રમાણે બધુ કહેવુ. અનુત્તર વિમાન પર્યન્ત આ કહેવું. 878. ભગવન્! ગણિપિટક કેટલા પ્રકારે છે ? ગૌતમ! બાર અંગરૂપ ગણિપિટક છે. તે આ - આચાર યાવતુ. દૃષ્ટિવાદ. તે આચાર શું છે? આચારમાં શ્રમણ-નિર્ચન્થોના આચાર, ગોચર૦ એ પ્રમાણે અંગ પ્રરૂપણા કહેવી, જેમ ‘નંદી' માં બારે અંગોનું વર્ણન કહેલ છે. તેમ કહેવું. 879. સર્વ પ્રથમ સૂત્રાર્થ કહેવો. બીજામાં નિર્યુક્તિ મિશ્રિત અર્થ કહેવો, ત્રીજામાં સંપૂર્ણ અર્થ કહેવો, આ અનુયોગ વિધિ છે. 880. ભગવન્! આ નૈરયિક યાવત્ દેવ અને સિદ્ધ, આ પાંચે ગતિમાં સંક્ષેપથી કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? ગૌતમ! અલ્પબદુત્વ “બહુવક્તવ્યતા" પદ મુજબ કહેવી. આઠ ગતિનું અલ્પબદુત્વ પણ કહેવું. ભગવન્! આ સઇન્દ્રિય, એકેન્દ્રિય યાવત્ અનિન્દ્રિયમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે ? અહીં પણ “બહુવક્તવ્યતા" પદ અનુસાર ઔધિક પદ કહેવું. સફાયિકનું અલ્પબદુત્વ પણ ઔધિક પદ અનુસાર કહેવુ. ભગવદ્ ! આ જીવો, પુદ્ગલો યાવત્ સર્વ પર્યાયોમાં કોણ કોનાથી યાવત્ “બહુવક્તવ્યતા" પદ મુજબ યાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 171