Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! જીવ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ૦ પૃચ્છા. ગૌતમ! જીવ પ્રદેશ આશ્રીને કૃતયુગ્મ છે, વ્યોજ - દ્વાપર યુગ્મ- કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. ભગવદ્ ! સિદ્ધ પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ છે?. ગૌતમ! કૃતયુગ્મ છે, લ્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. ભગવદ્ ! જીવો પ્રદેશાર્થતાથી શું કૃતયુગ્મ? પૃચ્છા. ગૌતમ! જીવપ્રદેશ આશ્રીને ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, સ્ત્રોજ- દ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. શરીર પ્રદેશ આશ્રીને ઓવાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ છે, વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. આ પ્રમાણે નૈરયિકો યાવત્ વૈમાનિકો જાણવા. ભગવદ્ ! અનેક સિદ્ધો પ્રદેશથી શું કૃતયુગ્મ છે? પ્રશ્ન. ગૌતમ ! ઓઘાદેશથી અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ છે, વ્યોજ - દ્વાપરયુગ્મ - કલ્યોજ નથી. સૂત્ર-૮૮૩ ભગવન્! જીવ શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશ અવગાઢ છે. એ પ્રમાણે સિદ્ધ સુધી કહેવું. ભગવન્! જીવો શું કૃતયુગ્મ પ્રદેશાવગાઢ૦ છે? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ છે, ચોજદ્વાપરયુગ્મ-કલ્યોજ નથી. વિધાનાદેશથી કૃતયુગ્મ યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. નૈરયિકોની પૃચ્છા. ગૌતમ ! ઓઘાદેશથી કદાચ કૃતયુગ્મ પ્રદેશાવગાઢ યાવત્ કદાચ કલ્યોજ પ્રદેશાવગાઢ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પ્રદેશાવગાઢ પણ છે યાવત્ કલ્યોજ પ્રદેશાવગાઢ પણ છે. એ પ્રમાણે એકેન્દ્રિય અને સિદ્ધને વર્જીને બધા કહેવા. સિદ્ધો અને એકેન્દ્રિયોને જીવોની માફક કહેવા. ભગવન્! એક જીવ, શું કૃતયુગ્મ સમય સ્થિતિક છે ? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ! કૃતયુગ્મ સમય સ્થિતિક છે, વ્યોજ- દ્વાપરયુગ્મ-કલ્યોજ નહીં. ભગવન્! નૈરયિક ? પ્રશ્ન. ગૌતમ! કદાચ કૃતયુગ્મ સ્થિતિક યાવત્ કદાચ કલ્યોજ સમય સ્થિતિક છે. વૈમાનિક સુધી આ પ્રમાણે કહેવું. સિદ્ધોને જીવ માફક કહેવા. ભગવન્! અનેક જીવો ? પ્રશ્ન. ગૌતમ! ઓઘાદેશથી પણ અને વિધાનાદેશથી પણ કૃતયુગ્મ સમય સ્થિતિક છે. બાકી ત્રણ નથી. અનેક નૈરયિકો પ્રશ્ન ? ગૌતમ! ઓઘાદેશથી કદાચ કૃતયુમ સ્થિતિક યાવતુ કદાચ કલ્યોજ સમય સ્થિતિક. વિધાનાદેશથી કૃતયુગ્મ સમય સ્થિતિક યાવત્ કલ્યોજ સમય સ્થિતિક પણ છે. એ રીતે યાવત્ વૈમાનિક. સિદ્ધોને જીવો માફક કહેવા. સૂત્ર-૮૮૪ ભગવદ્ ! એક જીવ કાળાવર્ણ પર્યાયથી શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! જીવપ્રદેશને આશ્રીને કૃતયુગ્મા નથી યાવત્ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને કદાચ કૃતયુગ્મ યાવત્ કલ્યોજ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. પણ સિદ્ધોના વિષયમાં આ પ્રશ્ન ન કરવો. ભગવદ્ ! અનેક જીવો કાળાવર્ણ પર્યાયથી ? પ્રશ્ન. ગૌતમ ! જીવપ્રદેશ આશ્રીને ઓઘાદેશથી. અને વિધાનાદેશથી કૃતયુગ્મ યાવત્ કલ્યોજ નથી. શરીરપ્રદેશ આશ્રીને ઓવાદેશથી કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યો જ છે. વિધાનાદેશથી કૃતયુગ્મ પણ છે યાવત્ કલ્યોજ પણ છે. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવુ. એ પ્રમાણે એકવચન-બહવચનમાં નીલ પર્યાયથી દંડક કહેવો. એ રીતે યાવતુ રૂક્ષ સ્પર્શ પર્યાય સુધી કહેવુ. ભગવન્એક જીવ, આભિનિબોધિક જ્ઞાન પર્યાયોથી શું કૃતયુગ્મ છે ? પ્રશ્ન. ગૌતમ ! કદાચ કૃતયુગ્મ યાવત્ કદાચ કલ્યોજ. એ રીતે એકેન્દ્રિયને વજીને વૈમાનિક સુધી કહેવું. ભગવન્! અનેક જીવો, આભિનિબોધિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 173