Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' લાખ વર્ષાધિક ચાર પલ્યોપમ છે. તે જો જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો જઘન્ય અષ્ટ ભાગ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પણ તેમજ. આ જ વક્તવ્યતા છે માત્ર કાલાદેશથી જાણી લેવું. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉપજે, તો આ જ વક્તવ્યતા, માત્ર સ્થિતિ જઘન્ય લાખ વર્ષ અધિક પલ્યોપમ, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ. એ રીતે અનુબંધ છે. કાલાદેશથી જઘન્ય બે લાખ વર્ષાધિક બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી લાખ વર્ષાધિક ચાર પલ્યોપમ છે. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિકમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં અષ્ટ ભાગ પલ્યોપમાં સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે જીવ આ જ વક્તવ્યતા. માત્ર અવગાહના જઘન્યથી ધનુષ પૃથક્વ, ઉત્કૃષ્ટ સાતિરેક 1800 ધનુષ. સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી અષ્ટ ભાગ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બે અષ્ટભાગ પલ્યોપમ કાળ રહે તે જઘન્ય સ્થિતિક ગમક. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળસ્થિતિમાં જન્મેલ હોય તો ઔધિક વક્તવ્યતા કહેવી. માત્ર સ્થિતિ જઘન્યથી ત્રણ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી પણ તેમજ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવત્. એ રીતે છેલ્લા ત્રણ ગમકો જાણવા. માત્ર સ્થિતિ, સંવેધ જાણી લેવા. આ સાત ગમકો છે. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય સંખ્યાત વર્ષાયુવાળામાં જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ નવે ગમકો કહેવા. માત્ર જ્યોતિષ્ક સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્. જો મનુષ્યથી ઉપજે તો ભેદો તેમજ યાવત્ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, હે ભગવન્ ! જે જ્યોતિષ્કમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે એ પ્રમાણે જેમ અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચે ના જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનાર માફક સાતા ગમકો મુજબ મનુષ્યમાં પણ કહેવા. માત્ર અવગાહના પહેલા ત્રણ ગમકમાં જઘન્યથી સાતિરેક નવ ધનુષ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ. મધ્યમ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટથી સાતિરેક નવ ધનુષ, છેલ્લા ત્રણ ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ ત્રણે ગાઉ, બાકી પૂર્વવત્ સંપૂર્ણ યાવત્ સંવેધ કહેવું. જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યથી સંખ્યામવર્ષાયુ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનાર માફક નવે ગમકો કહેવા. માત્ર જ્યોતિષ સ્થિતિ અને સંવેધ જાણવો. બાકી બધું પૂર્વવત્. ભગવદ્ ! તેમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો- 24 “વૈમાનિક દેવ” સૂત્ર-૮૬૦ ભગવન્સૌધર્મદેવ ક્યાંથી ઉપજે છે ? શું નૈરયિકોથી ? ભેદો, જ્યોતિષ્ક ઉદ્દેશા માફક છે. અસંખ્યાત વર્ષાયુવાળા સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને સૌધર્મદેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તો હે ભગવન્! કેટલા કાળ૦ ઉપજે? ગૌતમ! જઘન્યથી પલ્યોપમ સ્થિતિમાં અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. ભગવદ્ ! તે જીવો. ? બાકીનું જેમ જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનારમાં કહ્યું તેમ કહેવું - માત્ર સમ્યક્ દૃષ્ટિ, મિથ્યાદૃષ્ટિ છે. જ્ઞાની અને અજ્ઞાની પણ હોય, બે જ્ઞાન-બે અજ્ઞાન નિયમા હોય. સ્થિતિ જઘન્ય બે પલ્યોપમ, ઉત્કૃષ્ટ છ પલ્યોપમ. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉપજે તો આ જ વક્તવ્યતા, માત્ર કાલાદેશથી જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, એ જ વક્તવ્યતા. માત્ર સ્થિતિ જઘન્ય અને ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેથી છ પલ્યોપમ, આટલો કાળ રહે. તે જ સ્વયં જઘન્યકાળ સ્થિતિક ઉત્પન્ન હોય તો જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે, આ જ વક્તવ્યતા - માત્ર અવગાહના જઘન્યથી ધનુષપૃથત્વ, ઉત્કૃષ્ટ બે ગાઉં, સ્થિતિ જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પલ્યોપમ બાકી તેમજ. કાલાદેશથી જઘન્ય અને ઉત્કૃષ્ટથી પણ બે પલ્યોપમ કાળ રહે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળા સ્થિતિમાં જન્મેલ હોય તો પહેલા ત્રણે ગમકો સદશ ત્રણે ગમકો જાણવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણી લેવો. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 162