Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ઉત્કૃષ્ટ ચાર ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યથી વર્ષ પૃથક્વાધિક ૩૧-સાગરોપમ, ઉત્કૃષ્ટથી બે પૂર્વકોડી અધિક૬૬ સાગરોપમ. આ પ્રમાણે બાકીના આઠ ગમકો કહેવા. માત્ર સ્થિતિ, અનુબંધ, સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્. ભગવનસર્વાર્થસિદ્ધક દેવ, જે મનુષ્યમાં ઉપજવાને યોગ્ય હોય, તે વિજયાદિ દેવ વક્તવ્યતા માફક કહેવા. વિશેષ એ- સ્થિતિ અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમ, અનુબંધ પણ એમ જ. બાકી પૂર્વવતુ. ભવાદેશથી બે ભવગ્રહણ, કાલાદેશથી જઘન્ય વર્ષ પૃથત્વ અધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો આ જ કથન કરવું. માત્ર કાલાદેશથી જઘન્યા વર્ષપૃથત્વાધિક ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટી સર્વ પ્રથત્વાધિક ૩૩-સાગરોપમ કાળ રહે. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિક ઉત્પન્ન, આ જ વક્તવ્યતા. માત્ર કાલાદેશથી જઘન્યથી અને ઉત્કૃષ્ટથી પણ પૂર્વકોડી અધિક ૩૩-સાગરોપમ, આટલો કાળ રહે. આ ત્રણ જ ગમક છે, બીજા ન કહેવા. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો-૨૨ “વ્યંતરદેવ” સૂત્ર-૮૫૮ ભગવન ! વ્યંતરો ક્યાંથી આવીને ઉપજ ? નૈરયિકથી કે તિર્યંચથી ? જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યું. તેમ અસંજ્ઞી સુધી બધું કહેવું. જો સંજ્ઞી પંચેન્દ્રિય યાવત્ અસંખ્યાત વર્ષાયુ સંજ્ઞી પંચે. જે વ્યંતરમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજે છે? ગૌતમ! જઘન્યથી 10,000 વર્ષ સ્થિતિમાં, ઉત્કૃષ્ટથી પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકીનું નાગકુમાર ઉદ્દેશક મુજબ જાણવુ યાવત્ કાલાદેશથી જઘન્ય 10,000 વર્ષ અધિક પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ સુધી ગમનાગમન કરે છે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો નાગકુમારના બીજા ગમ માફક વક્તવ્યતા કહેવી. તે જ ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટ બંને પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. સંવેધ-જઘન્યથી બે પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પલ્યોપમ કાળ રહે. મધ્યમના ત્રણ ગમકો, નાગકુમારના પાછલા ત્રણ ગમકો માફક કહેવા, જેમ નાગકુમાર ઉદ્દેશકમાં કહ્યા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. સંખ્યાત વર્ષાયુષ્ક તે પ્રમાણે. માત્ર સ્થિતિ, અનુબંધ અને સંવેધ ઉભય સ્થિતિમાં જાણી લેવા. જો તે વ્યંતર, મનુષ્યથી આવીને ઉત્પન્ન થાય. તો નાગકુમારોદ્દેશકના અસંખ્યાત વર્ષાયુષ્કવાળા માફક કહેવું. માત્ર ત્રીજા ગમમાં સ્થિતિ જઘન્યથી પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ, અવગાહના જઘન્ય એક ગાઉ, ઉત્કૃષ્ટ ત્રણ ગાઉ, બાકી પૂર્વવતુ. સંવેધ, આ ઉદ્દેશામાં જ અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયવત્ કહેવી. સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યમાં જેમ નાગકુમારોદ્દેશકમાં કહ્યા મુજબ કહેવી. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવો. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો- 23 જ્યોતિષ્ક દેવ’ ' સૂત્ર-૮૫૯ ભગવન્જ્યોતિષ્ક ક્યાંથી આવીને ઉપજ ? શું નૈરયિકથી આદિ ? ભેદો યાવત્ સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે છે, અસંજ્ઞી પંચેoથી નહીં. જો સંજ્ઞીથી ઉપજે તો શું સંખ્યાતાથી કે અસંખ્યાતા થી ? ગૌતમ! સંખ્યાત અને અસંખ્યાત વર્ષાયુષ્કથી ઉપજે. ભગવન્! સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે જ્યોતિષ્કમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલી સ્થિતિવાળામાં ઉપજે ? ગૌતમ! જઘન્ય આઠ પલ્યોપમ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ એક લાખ વર્ષાધિક પલ્યોપમ સ્થિતિમાં ઉપજે. બાકી બધુ અસુરકુમારો ફ્લેશક મુજબ કહેવું. માત્ર સ્થિતિ જઘન્યથી પલ્યોપમનો આઠમો ભાગ, ઉત્કૃષ્ટથી ત્રણ પલ્યોપમ. એ રીતે અનુબંધ પણ છે. બાકી પૂર્વવતુ. માત્ર કાલાદેશથી જઘન્યથી. બે-અષ્ટ ભાગ પલ્યોપમ અને ઉત્કૃષ્ટથી એક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 161