Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' થવા યોગ્ય હોય ? પૂર્વવત્ જ. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવી. જો જ્યોતિષ્કમાં ઉપજે? તેમ જ જાણવુ. યાવત્ જે જ્યોતિષ પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, આ. જ વક્તવ્યતા કહેવી જે પૃથ્વીકાયિક ઉદ્દેશમાં કહી, નવે ગમકમાં આઠ ભવગ્રહણ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક આઠ પલ્યોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી ચાર લાખ વર્ષ અધિક ચાર પલ્યોપમ કાળ રહે. એ રીતે નવે ગમકમાં સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જો વૈમાનિક દેવમાં ઉપજે તો શું કલ્પોપકથી કે કલ્પાતીત ? ગૌતમ! કલ્પોપક વૈમાનિકથી આવીને ઉપજે, કલ્પાતીતથી નહીં. જો કલ્પોપકથી યાવત્ સહસ્ત્રાર કલ્પોપક વૈમાનિક દેવથી આવીને ઉપજે, પણ આનત યાવત્ અશ્રુત કલ્પોપકથી આવીને નહીં. ભગવદ્ ! સૌધર્મ દેવ, જે પંચેન્દ્રિય તિર્યંચમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે કેટલી કાળસ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ પૂર્વકોટી આયુમાં, બાકી નવે ગમકોમાં પૃથ્વીકાયિક ઉદ્દેશક મુજબ જાણવુ. વિશેષ આ - નવ ગમકમાં જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવગ્રહણ, સ્થિતિ અને કાલાદેશ જાણી લેવો. એ રીતે ઈશાન દેશમાં પણ કહેવું. એ રીતે આ ક્રમથી બાકીના યાવત્ સહસાર દેવોનો ઉત્પાદ કહેવો. માત્ર અવગાહના, “અવગાહના સંસ્થાન” પદ મુજબ કહેવી, વેશ્યા સનસ્કુમાર, માહેન્દ્ર, બ્રહ્મલોકમાં એક જ પદ્મલેશ્યા, પછીનાને એક જ શુક્લલેશ્યા, વેદમાં સ્ત્રી, પુરુષવેદક, આયુ, અનુબંધ સ્થિતિપદ મુજબ. બાકીનું ઈશાનક મુજબ. કાયસંવેધ જાણી લેવો. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૪,ઉદ્દેશો-૨૧' મનુષ્ય ' સૂત્ર-૮૫૭ ભગવન્! મનુષ્ય ક્યાંથી આવીને ઉત્પન્ન થાય છે ? નૈરયિકથી કે યાવતુ દેવથી આવીને ? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. એ પ્રમાણે ઉપપાત પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશકવત્ કહેવો યાવત્ તમાં પૃથ્વી નૈરયિકથી આવીને પણ ઉપજે. પણ અધઃસપ્તમીથી આવીને ન ઉપજે. ભગવદ્ ! રત્નપ્રભાપૃથ્વી નૈરયિક જે મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્ય માસપૃથત્વ અને ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં. બાકીની વક્તવ્યતા પંચેન્દ્રિયતિર્યંચ૦માં ઉત્પન્ન થનારની માફક તેમજ કહેવી. વિશેષ એ - પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા સંખ્યાતા ઉપજે. ત્યાં અંતર્મુહર્ત સાથે કર્યો તેમ અહીં માસ પૃથત્વથી સંવેધ કરવો જોઈએ. બાકી પૂર્વવતુ. રત્નપ્રભા વક્તવ્યતા માફક શર્કરામભાની વક્તવ્યતા કહેવી. વિશેષ આ જઘન્ય વર્ષપ્રથત્વ સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વકોડીમાં. અવગાહના, લેશ્યા, જ્ઞાન, સ્થિતિ, અનુબંધ, સંવેધમાં વિશેષતા તિર્યંચયોનિક ઉદ્દેશા માફક જાણવી. એ પ્રમાણે તમા પૃથ્વીનૈરયિક સુધી જાણવુ. જો તિર્યંચયોનિકોથી આવીને ઉપજે, તો શું એકેન્દ્રિયથી કે યાવતુ પંચેન્દ્રિય તિર્યંચયોનિકથી આવીને ઉપજે? ગૌતમ! એકેન્દ્રિય તિર્યંચયોનિક ભેદો, પંચેન્દ્રિય તિર્યંચયોનિક ઉદ્દેશક અનુસાર જાણવા. માત્ર તેઉકાય વાયુકાયનો નિષેધ કરવો. બાકી પૂર્વવત્ યાવત્ - ભગવદ્ ! જે પૃથ્વીકાયિક મનુષ્યમાં ઉપજવા યોગ્ય હોય, તે હે ભગવન્ ! કેટલા કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટથી પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવન્! તે જીવો. એ પ્રમાણે જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકોમાં ઉત્પન્ન થનાર પૃથ્વીકાયની વક્તવ્યતા અહીં પણ ઉત્પન્ન થનારની નવે ગમકમાં કહેવી. માત્ર ત્રીજા, છઠ્ઠી, નવમાં ગમકમાં પરિમાણ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા ઉપજે. જ્યારે સ્વયં જઘન્યકાળ સ્થિતિક હોય છે, ત્યારે વચ્ચેના ત્રણ ગમકોમાં પ્રથમ ગમકમાં અધ્યવસાય પ્રશસ્ત, અપ્રશસ્ત બંને હોય છે. બીજા ગમકમાં અપ્રશસ્ત, ત્રીજા ગમકમાં પ્રશસ્ત હોય છે - . મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 159