Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' - જો સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિયથી સંખ્યામવર્ષાયુ જેમ અસુરકુમારમાં ઉત્પન્ન થનારના, તેમજ નવા ગમકો કહેવા. વિશેષ સ્થિતિ અને સંવેધ જાણી લેવો. જેમ પોતાની જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેમજ ત્રણે ગમકોમાં - સમ્યક્ દષ્ટિ અને મિથ્યાદષ્ટિ પણ છે, બે જ્ઞાન અને બે અજ્ઞાન નિયમા છે, બાકી પૂર્વવતું. જો મનુષ્યથી આવીને ઉપજે તો ભેદ, જ્યોતિષ્કમાં ઉત્પન્ન થનારની માફક કહેવા. યાવત્ - હે ભગવન્! અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય, જે સૌધર્મકલ્પમાં દેવપણે ઉપજવા યોગ્ય હોય, તો જેમ અસંખ્યાત વર્ષ આયુવાળા. સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકનો સૌધર્મકલ્પમાં ઉત્પાદ કહ્યો તેમજ સાતે ગમકો અહીં કહેવા. માત્ર પહેલા બે ગમકમાં અવગાહના જઘન્યથી એક ગાઉ, ઉત્કૃષ્ટથી ત્રણ ગાઉ કહેવી. ત્રીજા ગમકમાં જઘન્ય અને ઉત્કૃષ્ટ બંનેમાં ત્રણ ગાઉ કહેવી. ચોથી ગમકમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને એક ગાઉં, પાછલા ગમકોમાં જઘન્ય-ઉત્કૃષ્ટ બંને ત્રણ ગાઉં, બાકી સંપૂર્ણ પૂર્વવત્, જો સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી ઉપજે તો, જેમ અસુરકુમારમાં સંજ્ઞીમનુષ્યથી કહ્યું, તે રીતે નવે ગમતો કહેવા. માત્ર સૌધર્મદેવની સ્થિતિ અને સંવેધ જાણી લેવો. બાકી પૂર્વવત્ . ભગવન્! ઈશાન દેવ ક્યાંથી આવીને ઉપજ ? સૌધર્મ દેવ સમાન વક્તવ્યતા ઈશાન દેવની કહેવી. વિશેષ આ - અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિકને સૌધર્મમાં જે સ્થાને ઉત્પન્ન થનારની પલ્યોપમ સ્થિતિ કહી, તે અહીં સાતિરેક પલ્યોપમ કહેવી. ચોથા ગમકમાં અવગાહના જઘન્યથી ધનુષ પૃથત્વ, ઉત્કૃષ્ટથી સાતિરેક બે ગાઉ. બાકી તેમજ. અસંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્યની સ્થિતિ તેમજ કહેવી જેમ પંચેન્દ્રિય તિર્યંચયોનિકની કહી છે. અસંખ્યાત વર્ષાયુષ્કની અવગાહના પણ જે સ્થાને એક ગાઉ છે, ત્યાં સાતિરેક એક ગાઉ કહેવી. સંખ્યાત વર્ષાયુષ્ક તિર્યંચયોનિક મનુષ્યોની જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી, તેમ સંપૂર્ણ નવે ગમકમાં કહેવી. માત્ર - ઈશાનની સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવન્! સનસ્કુમાર દેવ ક્યાંથી આવીને ઉપજે છે ? શર્કરામભા પૃથ્વી નૈરયિકોની સમાન કહેવો. યાવત્ - હે ભગવન્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી પંચેન્દ્રિય તિર્યંચયોનિક જે સનકુમાર દેવમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય બાકી પરિમાણાદિથી ભવાદેશ પર્યન્ત તે જ વક્તવ્યતા કહેવી, જેમ સૌધર્મમાં ઉત્પન્ન થનારની કહી છે. માત્ર સનકુમારની સ્થિતિ અને સંવેધ જાણી લેવા. જેમ પોતાની કાળ જઘન્યકાળ સ્થિતિ હોય છે, તેવી ત્રણે ગમકોમાં પહેલી પાંચ વેશ્યા કહેવી. બાકી પૂર્વવત્ જો મનુષ્યોથી આવીને ઉપજ ? શર્કરામભામાં ઉપજનાર મનુષ્યો માફક નવે ગમકો કહેવા, માત્ર સનસ્કુમારની સ્થિતિ, સંવેધ જાણવા. ભગવન ! માહેન્દ્રક દેવો ક્યાંથી આવીને ઉપજે જે સનસ્કુમારની માફક માહેન્દ્ર દેવની વક્તવ્યતા કહેવી. વિશેષ એ- મહેન્દ્રની દેવની સ્થિતિ સાતિરેક જાણવી. એ રીતે બ્રહ્મલોક દેવની વક્તવ્યતા છે. વિશેષ આ - બ્રહ્મલોકની સ્થિતિ અને સંવેધ જાણવા. એ રીતે સહસ્ત્રાર સુધી કહેવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવા. લાંતકાદિની જઘન્યકાળ સ્થિતિક તિર્યંચયોનિકના ત્રણે ગમકમાં છ એ વેશ્યા કહેવી. સંઘયણો બ્રહ્મલોક અને લાંતકમાં પહેલા પાંચ, મહાશુક્ર, સહસારમાં ચાર, તિર્યંચયોનિકોને અને મનુષ્યોને પણ કહેવું. બાકી પૂર્વવત્. ભગવન્! આનત દેવો ક્યાંથી આવીને ઉપજે છે ? સહસાર દેવો માફક ઉપપાત કહેવો. વિશેષ એતિર્યંચ યોનિક છોડી દેવા. યાવત્ - ભગવન્! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક સંજ્ઞી મનુષ્ય જે આનત દેવોમાં ઉપજવા યોગ્ય છે, તે મનુષ્યની વક્તવ્યતા સહસ્ત્રારમાં ઉત્પન્ન થનારની માફક કહેવી. માત્ર સંઘયણ ત્રણ કહેવા. બાકી અનુબંધ સુધી પૂર્વવતુ. ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી સાત ભવ ગ્રહણ. કાલાદેશથી જઘન્યથી બે વર્ષ પૃથત્વ અધિક ૧૮-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક પ૭-સાગરોપમ કાળ રહે. એ પ્રમાણે બાકીના આઠે ગમકો કહેવા. માત્ર સ્થિતિ, સંવેધ જાણી લેવા. બાકી પૂર્વવતુ. એ પ્રમાણે અચુત દેવ સુધી જાણવું. માત્ર સંવેધ જાણી લેવો. ચાર સંઘયણોમાંથી આનતાદિમાં ત્રણ સંઘયણવાળા ઉપજે. મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 163