Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5 અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૨૪,ઉદ્દેશો-૧૭ થી 19 ' ' બેઇન્દ્રિયાદિ ? સૂત્ર-૮૫૩ થી 855 17/853. ભગવન્! બેઇન્દ્રિય જીવ ક્યાંથી આવીને ઉપજે છે ? યાવત્ હે ભગવન્પૃથ્વીકાયિક જે બેઇન્દ્રિયમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજ ? પૂર્વોક્ત પૃથ્વીકાયનું કથન કહેવું યાવત્ કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ સંખ્યાત ભવગ્રહણ એટલો કાળ રહે. એ રીતે તેમાં ચાર ગમકોમાં સંવેધ જાણવો. બાકીના પાંચ ગમકોમાં તે રીતે જ આઠ ભવો છે. એ રીતે યાવત્ ચઉરિન્દ્રિય સુધી ચારમાં સંખ્યાત ભવો, પાંચમાં આઠ ભવો છે. પંચેન્દ્રિય તિર્યંચયોનિક અને મનુષ્યોમાં તે રીતે આઠ ભવો છે. દેવો ઍવીને બેઇન્દ્રિયોમાં ના ઉપજે. સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ભગવન્! તે એમ જ છે 2.. 18/854. ભગવન ! તેઇન્દ્રિયો ક્યાંથી આવીને ઉપજે? તે ઇન્દ્રિયો, બેઇન્દ્રિયના ઉદ્દેશ માફક કહેવા. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. તેઉકાય સાથે તૃતીયગમમાં ઉત્કૃષ્ટ 208 રાત્રિદિવસ અને બેઇન્દ્રિય સાથે તૃતીય ગમમાં ઉત્કૃષ્ટથી 196 રાત્રિદિવસ અધિક 48 વર્ષ થાય. તેઇન્દ્રિયો સાથે ત્રીજા ગમમાં ઉત્કૃષ્ટ 392 રાત્રિદિવસ થાય. આ પ્રમાણે સંજ્ઞી મનુષ્ય સુધી સર્વત્ર જાણવુ. ભગવદ્ ! તે એમ જ છે - એમ જ છે. 19/855. ભગવન ચતુરિન્દ્રિય ક્યાંથી આવીને ઉપજે છે ? જેમ તેઇન્દ્રિયના ઉદ્દેશક કહ્યા તેમજ ચઉરિન્દ્રિયને પણ કહેવા. વિશેષ એ કે - સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવન્! તે એમ જ છે 2. શતક-૨૪,ઉદ્દેશો-૨૦ તિર્યંચ પંચેન્દ્રિય ' સૂત્ર-૮૫૬ ભગવન્! પંચેન્દ્રિય તિર્યંચયોનિક, ક્યાંથી આવીને ઉપજે છે ? શું નૈરયિકથી યાવત્ દેવથી આવીને ઉપજે? ગૌતમ! ચારેથી આવીને ઉપજે. જો નૈરયિકથી આવીને ઉપજે તો શું રત્નપ્રભા યાવતુ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકથી આવીને ઉપજે? ગૌતમ! સાતે નરકથી આવીને૦ ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, જે પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં ઉપજવાને યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજ ? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત સ્થિતિમાં, ઉત્કૃષ્ટ પૂર્વકોડી આયુવાળામાં ઉપજે. ભગવન્! તે જીવો એક સમયમાં કેટલા ઉપજે ? અસુરકુમારની વક્તવ્યતા મુજબ કહેવું. વિશેષ એ કે - સંઘયણમાં અનિષ્ટ, અકાંત યાવત્ પુદ્ગલો પરિણમે છે. અવગાહના બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે, તે જઘન્ય અંગુલનો અસંખ્યાતમો ભાગ, ઉત્કૃષ્ટ સાત ધનુષ, ત્રણ રત્ની, છ અંગુલ છે. તેમાં જે ઉત્તરવૈક્રિય છે, તે જઘન્યા અંગુલનો અસંખ્યાત ભાગ, ઉત્કૃષ્ટી ૧૫-ધનુષ, અઢીરત્ની છે. ભગવદ્ ! તે જીવોના શરીરો કયા આકારે છે ? ગૌતમ ! તે બે ભેદે - ભવધારણીય, ઉત્તરવૈક્રિય. તેમાં જે ભવધારણીય છે તે હુંડક સંસ્થિત છે. જે ઉત્તરવૈક્રિય છે, તે પણ હુંડક સંસ્થાને છે. તેમને એક કાપોતલેશ્યા, ચાર સમુદ્ધાત, માત્ર નપુંસકવેદ, સ્થિતિ - જઘન્યા 10,000 વર્ષ, ઉત્કૃષ્ટથી સાગરોપમ છે, અનુબંધ એમ જ છે. બાકી પૂર્વવતું. ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટ આઠ ભવ છે. કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક 10,000 વર્ષ. ઉત્કૃષ્ટી ચાર પૂર્વકોડી અધિક ચાર સાગરોપમ છે - આટલો કાળ રહે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન હોય તો જઘન્ય અને ઉત્કૃષ્ટથી અંતર્મુહૂર્ત સ્થિતિમાં ઉત્પન્ન થાય. બાકી પૂર્વવતું. વિશેષ આ -કાલાદેશથી જઘન્યા પૂર્વવતુ, ઉત્કૃષ્ટથી ચાર અંતર્મુહૂર્ત અધિક ચાર સાગરોપમ. આટલો કાળ રહે. એ રીતે બાકીના સાતે ગમકો જેમ નૈરયિક ઉદ્દેશકમાં સંજ્ઞી પંચેન્દ્રિય સાથે નૈરયિકો છે તે મુજબ કહેવા. મધ્યમ ત્રણ ગમકો અને છેલ્લા ત્રણ ગમકોમાં સ્થિતિમાં વિશેષતા છે. બાકી પૂર્વવતુ બધે જ સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવન ! શર્કરામભા પૃથ્વી નૈરયિક0? જેમ રત્નપ્રભામાં નવ ગુમકો કહ્યા, તેમ અહીં પણ કહેવા. માત્ર શરીરાવગાહના અવગાહના સંસ્થાન પદ મુજબ કહેવી. ત્રણ જ્ઞાન અને ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ, અનુબંધ પૂર્વે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 155