Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 154
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી 22,000 વર્ષાધિક દેશોન બે પલ્યોપમ. એ રીતે નવે ગમકો અસુરકુમારના ગમક સમાન છે. માત્ર સ્થિતિ કાલાદેશથી જાણવી. આ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત આ કહેવું. જો વ્યંતરથી આવીને ઉપજે તો શું પિશાચથી આવીને કે યાવતુ ગંધર્વથી? ગૌતમ! પિશાચ યાવત્ ગંધર્વ, બધાથી ઉપજે. ભગવન્! વ્યંતર દેવ જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તેના અસુરકુમાર સમાન નવે ગમકો કહેવા. વિશેષ એ - સ્થિતિ અને કાલાદેશે જાણવો. સ્થિતિ જઘન્યા 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી પલ્યોપમ. જો જ્યોતિષ્ક દેવોથી આવીને ઉપજે તો શું ચંદ્રવિમાનથી આવીને ઉપજે કે તારાવિમાનથી ? ગૌતમ! તે પાંચથી. ભગવદ્ ! જે જ્યોતિષ્ક દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય? અસુરકુમારવત્ લબ્ધિ કહેવી. માત્ર એક તેજોલેશ્યા છે. ત્રણ જ્ઞાન - ત્રણ અજ્ઞાન નિયમા. સ્થિતિ - જઘન્યા પલ્યોપમનો આઠમો ભાગ. ઉત્કૃષ્ટી 1000 વર્ષ અધિક પલ્યોપમ. એ રીતે અનુબંધ, કાલાદેશથી જઘન્યા અંતર્મુહૂર્ત અધિક પલ્યોપમનો આઠમો ભાગ ઉત્કૃષ્ટી 22,000 વર્ષાધિક પલ્યોપમ. આ રીતે બાકીના આઠ ગમકો પણ કહેવા. માત્ર સ્થિતિ, કાલાદેશ જાણવો. જો વૈમાનિક દેવોથી આવીને ઉપજે તો શું કલ્પોપગથી કે કલ્પાતીતથી આવીને? ગૌતમ! કલ્પોપગથી, કલ્પાતીતથી નહીં. જો કલ્પોપગથી આવીને ઉપજે, તો શું સૌધર્મકલ્પથી કે યાવત્ અશ્રુતકલ્પથી આવીને ઉપજે? ગૌતમ! સૌધર્મ અને ઇશાન કલ્પથી આવીને ઉપજે, સનસ્કુમારાદિ કલ્પથી આવીને નહીં. ભગવન્સૌધર્મકલ્પથી આવીને જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે કેટલો કાળ૦? જ્યોતિષ્ક ગમક માફક જાણવુ. વિશેષ એ - સ્થિતિ, અનુબંધ જઘન્યથી પલ્યોપમ - ઉત્કૃષ્ટી બે સાગરોપમ. કાલાદેશથી અંતર્મુહૂર્ત અધિક પલ્યોપમ અને ઉત્કૃષ્ટી 22,000 વર્ષાધિક બે સાગરોપમ. એ રીતે બાકીના આઠે ગમકો કહેવા. વિશેષ આ સ્થિતિ અને કાલાદેશ જાણવો જોઈએ. ભગવન્ઇશાનદેવથી જે પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ રીતે ઇશાનદેવથી પણ નવ ગમકો કહેવા. માત્ર સ્થિતિ, અનુબંધ જઘન્યથી સાતિરેક પલ્યોપમ, ઉત્કૃષ્ટી સાતિરેક બે સાગરોપમ. બાકી પૂર્વવતુ. ભગવન! તે એમ જ છે. તે એમ જ છે. યાવત્ વિચરે છે. - શતક-૨૪,ઉદ્દેશો-૧૩ થી 16 ' અપૂકાય આદિ ' સૂત્ર-૮૯ થી 852 13/89. ભગવદ્ ! અપ્રકાયિક ક્યાંથી આવીને ઉપજે છે ? જેમ પૃથ્વીકાયિક ઉદ્દેશકમાં કહ્યું છે તેમ, યાવતુ ભગવન્! પૃથ્વીકાયિક જીવ જે અપ્રકાયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે કેટલા કાળની સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી 7000 વર્ષની સ્થિતિવાળામાં ઉપજે, એ રીતે પૃથ્વીકાયિક ઉદ્દેશક સદશ કહેવું. માત્ર સ્થિતિ, સંવેધ જાણવો. બાકી પૂર્વવતુ. ભગવન! તે એમ જ છે, એમ જ છે. 14/850. ભગવન્! તેઉકાયિક ક્યાંથી આવીને ઉપજે છે ? પૃથ્વીકાયિકના ઉદ્દેશામાં કહ્યું તેમ કહેવું. માત્ર સ્થિતિ અને સંવેધ જાણવા. દેવમાંથી આવી ન ઉપજે. બાકી પૂર્વવતુ. ભગવન્! તે એમ જ છે 2. 15/851. ભગવદ્ ! વાયુકાયિક ક્યાંથી આવીને ઉપજ ? ગૌતમ! તેઉકાયિક ઉદ્દેશક મુજબ જાણવુ. માત્રા સ્થિતિ અને સંવેધ જાણી લેવા. ભગવનું ! તે એમ જ છે 2. 16/852. ભગવન્! વનસ્પતિકાયિક ક્યાંથી આવીને ઉપજ ? પૃથ્વીકાયિક સમાન સંપૂર્ણ ઉદ્દેશો કહેવો. વિશેષ એ કે- વનસ્પતિકાયિક જીવ વનસ્પતિકાયમાં ઉપજે ત્યારે પહેલા, બીજા, ચોથા, પાંચમાં ગમકમાં પરિમાણ આ છે - પ્રતિસમય, નિરંતર અનંતા ઉપજે, ભવાદેશથી જઘન્ય બે ભવ, ઉત્કૃષ્ટથી અનંતા ભવગ્રહણ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી અનંતા કાળ રહે યાવત એટલા કાળ સુધી ગમનાગમન કરે. બાકીના પાંચ ગમતો આઠ ભવગ્રહણવાળા તેમજ છે. માત્ર સ્થિતિ અને સંવેધ જાણી લેવો. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે - એમ જ છે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 154

Loading...

Page Navigation
1 ... 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240