Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નારાચવાળા ઉત્પન્ન થાય. બાકી પૂર્વવત્. પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુષ્ક યાવતુ તિર્યંચયોનિક જે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે. તે કેટલા કાળ સ્થિતિમાં ઉપજ ? ગૌતમ! જઘન્યથી ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી. ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્તે જીવોજેમ રત્નપ્રભાના નવ ગમકો કહ્યા, તેમ અહીં જાણવા. વિશેષ એ કે - વજઋષભનારાચા સંઘયણી ઉત્પન્ન થાય અને સ્ત્રીવેદકો ઉત્પન્ન ન થાય. બાકી પૂર્વવત્ યાવત્ અનુબંધ. સંવેધ - ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ સાત ભવ ગ્રહણ કરે છે. કાલ આદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ, એટલો કાળ યાવત્ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો પૂર્વવત્ જ વક્તવ્યતા યાવત્ ભવાદેશ. કાલાદેશથી જઘન્ય પણ તેમજ યાવત્ ચાર પૂર્વકોડી અધિક યાવત્ કરે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાલ સ્થિતિમાં ઉત્પન્ન થાય તો તે પ્ર યાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્યથી ત્રણ ભવગ્રહણ, ઉત્કૃષ્ટથી પાંચ વિગ્રહણ. કાલાદેશથી જઘન્યથી ૩૩સાગરોપમ અને બે અંતર્મહૂર્ત અધિક, ઉત્કૃષ્ટથી ૬૬-સાગરોપમ અને ત્રણ પૂર્વકોડી અધિક. તે જ જઘન્યકાળ સ્થિતિક રત્નપ્રભા પૃથ્વી જઘન્યકાળ સ્થિતિમાં વક્તવ્યતા. માફક કહેવી યાવતુ ભવાદેશ. માત્ર પ્રથમ સંઘયણ, સ્ત્રીવેદક નહીં. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ-ઉત્કૃષ્ટ સાત ભવ. કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહર્ત અધિક ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમ ઇત્યાદિ - x. તે જ જઘન્ય કાળ સ્થિતિમાં ઉત્પન્ન, એ પ્રમાણે ચોથો ગમ સંપૂર્ણ કહેવો યાવત્ કાલાદેશ. તે જ ઉત્કૃષ્ટ કાલ સ્થિતિકમાં ઉત્પન્ન બધું પૂર્વવત્ યાવત્ અનુબંધ, ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટ પાંચ ભવ, કાલાદેશથી જઘન્ય બે અંતર્મુહૂર્ત ૩૩-સાગરોપમ, ઉત્કૃષ્ટથી ત્રણ અંતર્મુહૂર્ણ અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્ કરે. તે જ સ્વયં ઉત્કૃષ્ટ કાળ સ્થિતિમાં જઘન્ય ૨૨-સાગરોપમ, ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમ સ્થિતિમાં ઉપજે છે - ભગવન્! તે બાકી બધું સાતમી પૃથ્વી પ્રથમગમ વક્તવ્યતા કહેવી. યાવત્ ભવાદેશ, વિશેષ એ કે - સ્થિતિ, અનુબંધ, જઘન્યથી પૂર્વકોડી, ઉત્કૃષ્ટથી પૂર્વકોડી. બાકી પૂર્વવત્. કાલાદેશથી જઘન્ય બે પૂર્વકોડી અભ્યધિક ૨૨સાગરોપમ, ઉત્કૃષ્ટ ચાર પૂર્વકોડી અધિક ૬૬-સાગરોપમ. એટલો કાળ યાવત્ કરે. તે જ જઘન્યકાળ સ્થિતિમાં ઉત્પન્ન થાય. સાતમાં ગમ મુજબ જ બધી વક્તવ્યતા અને સંવેધ કહેવો. તે જ ઉત્કૃષ્ટકાળ સ્થિતિમાં ઉત્પન્ન એ પ્રમાણે જ યાવતુ અનુબંધ. ભવાદેશથી જઘન્ય ત્રણ ભવ, ઉત્કૃષ્ટથી પાંચ ભવ. કાલાદેશથી ૩૩-સાગરોપમ બે પૂર્વકોડી અધિક, ઉત્કૃષ્ટ ૬૬-સાગરોપમાદિ. સૂત્ર-૮૪૧, 842 841. જો તે નૈરયિક, મનુષ્યથી આવીને ઉપજે તો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે કે અસંજ્ઞી મનુષ્યથી? ગૌતમ! સંજ્ઞીથી, અસંજ્ઞીથી નહીં. જો સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે તો શું સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી કે અસંખ્યાત૦ થી ઉપજે? ગૌતમ! સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્યથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુ થી નહીં. જો સંખ્યાત વર્ષાયુ, યાવત્ ઉપજે તો પર્યાપ્ત સંખ્યાત થી અપર્યાપ્ત સંખ્યાત વર્ષાયુથી ? ગૌતમ! પર્યાપ્ત સંખ્યાત વર્ષ આયુથી આવીને ઉપજે, અસંખ્યાત વર્ષાયુવાળામાંથી નહીં. ભગવદ્ ! જે પર્યાપ્ત સંખ્યાયુષ્કટ સંજ્ઞી મનુષ્ય નૈરયિકમાં ઉપજવા યોગ્ય હોય, તે ભગવદ્ ! કેટલી પૃથ્વીમાં ઉત્પન્ન થાય ? ગૌતમ! સાતે પૃથ્વીમાં ઉપજે. રત્નપ્રભા યાવત્ અધઃસપ્તમી. ભગવદ્ ! પર્યાપ્ત સંખ્યાત વર્ષાયુ સંજ્ઞી મનુષ્ય, જે રત્નપ્રભા પૃથ્વીમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય તે કેટલી કાળ સ્થિતિમાં ઉપજે? ગૌતમ! જઘન્યા 10,000 વર્ષ, ઉત્કૃષ્ટી સાગરોપમ સ્થિતિમાં ઉપજે. ભગવન્! તે જીવો એક સમયે કેટલા ઉપજે? ગૌતમ! જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી સંખ્યાતા મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 145