Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' બીજા જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશનકથી પ્રવેશે છે તે નૈરયિકો દ્વાદશ-નોદ્વાદશથી સમર્જિત છે. જે નૈરયિકો અનેક દ્વાદશ પ્રવેશનકથી પ્રવેશે છે, તે નૈરયિક દ્વાદશો વડે સમર્જિત છે. જે નૈરયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્યથી એક, બે કે ત્રણ વડે અને ઉત્કૃષ્ટ અગિયાર પ્રવેશન વડે પ્રવેશે છે, તે દ્વાદશો અને નોદ્વાદશ વડે સમર્જિત છે. તેથી પૂર્વવત્ કહ્યું છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. પૃથ્વીકાયિકોની પૃચ્છા ? ગૌતમ ! પૃથ્વીકાયિકો દ્વાદશ સમર્જિત નથી, નોદ્વાદશ સમર્જિત નથી, દ્વાદશ અને નોદ્વાદશ સમર્જિત નથી. પણ દ્વાદશો વડે સમર્જિત છે. દ્વાદશો અને નોદ્વાદશ વડે પણ સમર્જિત છે. એમ કયા કારણે કહો છો? ગૌતમ! જે પૃથ્વીકાયિક અનેક દ્વાદશો પ્રવેશનકથી પ્રવેશે છે, તેઓ અનેક દ્વાદશો વડે સમર્જિત છે. જે પૃથ્વીકાયિકો અનેક દ્વાદશો વડે અને બીજા જઘન્ય એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટા અગિયાર વડે પ્રવેશે છે, તેઓ દ્વાદશો નોદ્વાદશ વડે સમર્જિત છે. તેથી યાવત્ એમ કહ્યું. એ રીતે યાવત્ વનસ્પતિકાયિક. બેઇન્દ્રિયો યાવત્ સિદ્ધો, નૈરયિકવત્ છે. ભગવન્! આ નૈરયિકોમાં દ્વાદશ સમર્જિત બધે અલ્પબદુત્વ ષક સમર્જિતવત્ કહેવું. માત્ર દ્વાદશનો અભિલાપ કહેવો. ભગવદ્ ! નૈરયિકો શું ચોર્યાશી સમર્જિત છે?, નોચોર્યાશી સમર્જિત છે?, ચોર્યાશી અને નીચોર્યાશી સમર્જિત છે? અનેક ચોર્યાશી વડે સમર્જિત છે ? અનેક ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત છે? ગૌતમ ! નૈરયિકો ઉક્ત પાંચે વિકલ્પો સમર્જિત છે. એમ કેમ કહ્યું ? ગૌતમ ! જે નૈરયિકો 84 પ્રવેશનકથી પ્રવેશે છે, તે ચોર્યાશી સમર્જિત, જેઓ જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી 83 પ્રવેશનક વડે પ્રવેશે છે, તે નોચોર્યાશી સમર્જિત. જે નૈરયિકો ઉક્ત બંને રીતે પ્રવેશે છે, તે ચોર્યાશી-નોચોર્યાશી સમર્જિત છે. જે નૈરયિકો અનેક ૮૪-પ્રવેશનકોથી પ્રવેશે છે તે અનેક ચોર્યાશી સમર્જિત. જે નૈરયિકો ઉક્ત ચોથા અને બીજા ભંગ વડે પ્રવેશે તે અનેકચોર્યાશી-નોચોર્યાશી સમર્જિત છે. તેથી પૂર્વવત્ કહ્યું. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર પૃથ્વીકાયિકો પૂર્વવતુ છેલ્લા બે ભંગ પડે છે. માત્ર આલાવામાં ચોર્યાશી ભંગ કહેવા. એ રીતે વનસ્પતિકાયિક સુધી કહેવું. બેઇન્દ્રિય યાવત્ વૈમાનિકો, નૈરયિકવતું જાણવા. સિદ્ધોની પૃચ્છા.ગૌતમ ! સિદ્ધો ચોર્યાશી સમર્જિત છે, નોચોર્યાશી સમર્જિત પણ છે, ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત પણ છે. પરંતુ સિદ્ધોમાં છેલ્લા બે ભંગ ન કહેવા. ભગવન! એમ કેમ કહ્યું ? - ગૌતમ ! જે સિદ્ધો 84 પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ ચોર્યાશી સમર્જિત છે. જે સિદ્ધો જઘન્યથી એક, બે કે ત્રણ અને ઉત્કૃષ્ટથી ૮૩-પ્રવેશનક વડે પ્રવેશે છે, તેઓ નો ચોર્યાશી સમર્જિત છે. જે સિદ્ધો ઉક્ત બંને ભંગ વડે પ્રવેશે. છે. તેઓ ચોર્યાશી અને નોચોર્યાશી સમર્જિત છે. તેથી કહ્યું કે યાવત સમર્જિત છે. ભગવન્! આ નૈરયિકોમાં ચોર્યાશી સમર્જિત, નોચોર્યાશી સમર્જિત બધું અલ્પબદ્ભુત્વ ષકસમર્જિતવત્ કહેવું યાવત્ વૈમાનિક. માત્ર આલાવામાં 84 કહેવું. ભગવન્! આ સિદ્ધોમાં ચોર્યાશી સમર્જિત, નોચોર્યાશી સમર્જિત, ચોર્યાશી સમર્જિતમાં કોણ કોનાથી યાવત્ વિશેષાધિક છે? ગૌતમ! સૌથી થોડા સિદ્ધો ચોર્યાશી-નોચોર્યાશીથી સમર્જિત છે, ચોર્યાશી સમર્જિત અનંતગુણા છે, નોચોર્યાશી સમર્જિત અનંતગુણા છે. ભગવદ્ ! તે એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક -20 નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 135