Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' વિશેષાધિક છે, તેઇન્દ્રિય વિશેષાધિક, બેઇન્દ્રિય વિશેષાધિક છે. ભગવન! તે એમ જ છે, એમ જ છે, યાવતુ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૨ આકાશ સૂત્ર-૭૮૧ ભગવન્! આકાશ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - લોકાકાશ અને અલોકાકાશ. ભગવન્! લોકાકાશ જીવરૂપ છે કે જીવદેશરૂપ છે ? એ પ્રમાણે જેમ શતક-૨-ના અસ્તિ ઉદ્દેશમાં છે, તેમ અહીં પણ કહેવુ. વિશેષ એ કે- આલાવામાં યાવત્ ભગવદ્ ! ધર્માસ્તિકાય કેટલો મોટો છે? ગૌતમ ! લોક, લોકમાત્ર, લોકપ્રમાણ, લોકસ્પષ્ટ અને લોકને અવગાહીને રહે છે. એ પ્રમાણે યાવત્ પુદ્ગલાસ્તિકાય સુધી કહેવું જોઈએ. ભગવન્! અધોલોક, ધર્માસ્તિકાયને કેટલો અવગાહે છે? ગૌતમ ! સાતિરેક અડધો. એ રીતે આ આલાવાથી બીજા શતક મુજબ કહેવું યાવત્ ભગવદ્ ! ઈષત્ પ્રામ્ભારા પૃથ્વી લોકાકાશના શું સંખ્યાતમાં ભાગને અવગાહે છે ? પ્રશ્ન. ગૌતમ ! સંખ્યાત ભાગને નહીં, પણ અસંખ્યાત ભાગને અવગાહે છે. તે લોકના સંખ્યાત કે અસંખ્યાત ભાગોને અવગાહિત કર્યા નથી, સમગ્ર લોકને પણ અવગાહિત કરેલ નથી. બાકી વર્ણન શતક-૨ મુજબ. સૂત્ર-૭૮૨ ભગવન્ધર્માસ્તિકાયના કેટલા અભિવચનો-અર્થો છે ? ગૌતમ ! અનેક. તે આ - ધર્મ, ધર્માસ્તિકાય, પ્રાણાતિપાત વિરમણ, મૃષાવાદ વિરમણ યાવત્ પરિગ્રહ વિરમણ, ક્રોધવિવેક યાવત્ મિથ્યાદર્શન શલ્ય વિવેક, ઇર્યાસમિતિ, ભાષાસમિતિ યાવત્ ઉચ્ચાર પ્રસવણ ખેલ જલ સિંધાણ પારિષ્ઠાપનિકા સમિતિ, મન-વચનકાયગુપ્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે, તે બધા ધર્માસ્તિકાયના અભિવચનો-અર્થો છે. ભગવન્અધર્માસ્તિકાયના કેટલા અભિવચનો છે ? ગૌતમ ! અનેક. તે આ - અધર્મ, અધર્માસ્તિકાય, પ્રાણાતિપાત યાવત્ મિથ્યાદર્શન શલ્ય, ઇર્યાઅસમિતિ યાવત્ ઉચ્ચાર પ્રસવણ અસમિતિ. મન-વચન-કાય અગુપ્તિ અથવા જે આ કે આવા પ્રકારના છે તે સર્વે અભિવચનો કહેવા. આકાશાસ્તિકાયનો પ્રશ્ન ગૌતમ! અનેક અભિવચનો છે. તે આ- આકાશ, આકાશાસ્તિકાય, ગગન, નભ, સમ, વિષમ, ખહ, વિહ, વીચિ, વિવર, અંબર, અંબરસ, છિદ્ર, શુષિર, માર્ગ, વિમુખ, અર્ક, વ્યર્દ, આધાર, ભાજન, અંતરિક્ષ, શ્યામ, અવકાશાંતર, સ્ફટિક, અગમ, અનંત કે આવા કે આવા પ્રકારના છે તે બધા આકાશાસ્તિકાયના અભિવચનો છે ભગવન્જીવાસ્તિકાયના અભિવચનો કેટલા છે ? ગૌતમ ! અનેક. તે આ - જીવ, જીવાસ્તિકાય, ભૂત, સત્ત્વ, વિજ્ઞ, ચેતા, જેતા, આત્મા, રંગણ, હિંડુક, પુદ્ગલ, માનવ, કર્તા, વિકર્તા, જગત, જંતુ, યોનિ, સ્વયંભૂ, સશરીરી, નાયક, અંતરાત્મા અથવા આ કે આવા પ્રકારના બધા તેના પર્યાયો છે. ભગવદ્ ! પુદ્ગલાસ્તિકાયની પૃચ્છા. ગૌતમ ! અનેક અભિવચનો છે. તે આ - પુદ્ગલ, પુલાસ્તિકાય, પરમાણુ પુદ્ગલ, દ્વિપ્રદેશિક, ત્રિપ્રદેશિક યાવત્ અસંખ્યપ્રદેશિક કે અનંત પ્રદેશિક અથવા જે આ આવા પ્રકારના, તે સર્વે પુદ્ગલાસ્તિકાયના અભિવચનો છે. ભગવદ્ ! તેમ જ છે. શતક-૨૦, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૩ પ્રાણવધ’ સૂત્ર-૭૮૩ ભગવદ્ ! પ્રાણાતિપાત, મૃષાવાદ યાવત્ મિથ્યાદર્શન શલ્ય, પ્રાણાતિપાત વિરમણ યાવત મિથ્યાદર્શનશલ્ય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 121