Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 131
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! અકર્મભૂમિ કેટલી છે? ગૌતમ ! ત્રીશ છે. પાંચ હૈમવત, પાંચ હૈરણ્યવત, પાંચ હરિવર્ષ, પાંચ રમ્યવાસ, પાંચ દેવકુ, પાંચ ઉત્તરકુરુ. ભગવન્! આ ત્રીશ અકર્મભૂમિમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? તે અર્થ સમર્થ નથી. ભગવન્! આ પાંચ ભરત, ઐરવતમાં ઉત્સર્પિણી, અવસર્પિણી હોય છે? હા, છે. ભગવન્!આ પાંચ મહાવિદેહમાં ? ત્યાં ઉત્સર્પિણી નથી, અવસર્પિણી નથી. ત્યાં અવસ્થિત કાળ છે. 794. ભગવદ્ ! આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંત પંચમહાવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ પ્રરૂપે છે ? તે અર્થ. સમર્થ નથી. પરંતુ આ પાંચ ભરત, પાંચ ઐરવતમાં પહેલા અને છેલ્લા બંને અરિહંત ભગવંતો પંચ મહાવ્રતિક - પંચ અણુવ્રતિક સપ્રતિક્રમણ ધર્મ કહે છે, બાકીના અરિહંત ભગવંતો ચતુર્યામધર્મ પ્રરૂપે છે. આ પાંચ મહાવિદેહમાં અરિહંત ભગવંતો ચતુર્યામ ધર્મ પ્રરૂપે છે. ભગવન્! જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં કેટલા તીર્થંકરો કહ્યા છે ? ગૌતમ ! ચોવીશા તીર્થંકરો કહ્યા છે. તે આ રીતે - ઋષભ, અજિત, સંભવ, અભિનંદન, સુમતિ, સુપ્રભ, સુપાર્શ્વ, શશિ, પુષ્પદંત, શ્રેયાંસ, વાસુપૂજ્ય, વિમલ, અનંત, ધર્મ, શાંતિ, કુંથુ, અર, મલિ, મુનિસુવ્રત, નમિ, નેમિ, પાર્શ્વ, વર્ધમાન. 795. ભગવદ્ ! આ ચોવીશ તીર્થકરોના કેટલા જિનાંતર છે? ગૌતમ! ૨૩-જિનાંતર છે. ભગવદ્ ! આ ૨૩-જિનાંતરોમાં કોઈને ક્યાંય કાલિક શ્રુતનો ઉચ્છેદ થયો છે ? ગૌતમ ! આ ૨૩જિનંતરોમાં પહેલા અને પછીના આઠ-આઠ જિનાંતરોમાં કાલિક શ્રુતનો વ્યવચ્છેદ થયો નથી. મધ્યના સાત જિનંતરોમાં કાલિક સૂત્રનો વ્યવચ્છેદ થયો છે. પરંતુ દૃષ્ટિવાદનો વિચ્છેદ સર્વે જિવંતરોમાં થયો છે. - 796. જંબુદ્વીપ- દ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં હે ભગવન્! આપ દેવાનુપ્રિયનું પૂર્વકૃતગત કેટલો કાળ સ્થાયી રહેશે? ગૌતમ ! મારું પૂર્વગત શ્રત આ અવસર્પિણીમાં 1000 વર્ષ રહેશે. ભગવદ્ ! જે રીતે જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું પૂર્વગત શ્રત 1000 વર્ષ રહેશે, તેમ હે ભગવન્! જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં બીજા તીર્થંકરોનું પૂર્વગત શ્રત કેટલો કાળ રહેશે? ગૌતમ! કેટલાકનું સંખ્યાત કાળ, કેટલાકનું અસંખ્યાતકાળ. 79(c). ભગવન્! જંબુદ્વિીપ દ્વીપના ભરત ક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ કેટલો કાળ રહેશે ? ગૌતમ ! મારું તીર્થ 21000 વર્ષ સુધી રહેશે. 798. ભગવન્! જેમ જંબુદ્વીપના ભરતક્ષેત્રમાં આ અવસર્પિણીમાં આપ દેવાનુપ્રિયનું તીર્થ 21,000 વર્ષ સુધી રહેશે. તેમ હે ભગવન્! જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં આગામી કાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ કેટલો કાળ સ્થાયી રહેશે ? ગૌતમ ! અહંનું કૌશલિક ઋષભનો જિનપર્યાય છે, એટલા સંખ્યાત વર્ષ આગામીકાળે છેલ્લા તીર્થંકરનું તીર્થ રહેશે. 79. ભગવન્! તીર્થને તીર્થ કહેવાય કે તીર્થંકરને તીર્થ કહેવાય ? ગૌતમ ! અરહંતો તો નિયમા તીર્થંકર છે, પણ તીર્થ ચાતુર્વર્ણ શ્રમણસંઘ છે - તે આ - શ્રમણ, શ્રમણી, શ્રાવક, શ્રાવિકા. 800. ભગવન્! પ્રવચન એ પ્રવચન છે કે પ્રાવચની એ પ્રવચન છે? ગૌતમ ! અરહંત તો નિયમા પ્રવચની છે, પરંતુ દ્વાદશાંગી ગણિપિટક પ્રવચન છે. તે આ - આચાર યાવત્ દષ્ટિવાદ. ભગવન્! જે આ ઉગ્ર, ભોગ, રાજન્ય, ઇસ્યાકુ, જ્ઞાન, કૌરવ્ય છે, તે આ ધર્મમાં અવગાહીને, આઠ પ્રકારની કર્મરાજ મલને ધૂએ છે, ધોઈને પછી સિદ્ધ થઈ યાવતુ દુઃખનો અંત કરે છે? હા, ગૌતમ ! જે આ ઉગ્ર, ભોગ, તે પ્રમાણે જ યાવત્ અંત કરે છે, કેટલાક કોઈ એક દેવલોકમાં, દેવપણે ઉત્પન્ન થાય છે. ભગવન્! દેવલોક કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે દેવલોક છે - ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૨૦, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 131

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240