Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્! ભાવ પરમાણુ કેટલા ભેદે છે? ચાર ભેદે - વર્ણવાન, ગંધવાન, રસવાન, સ્પર્શવાન,. ભગવન્! તે એમ જ છે. એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૨૦, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૨૦, ઉદ્દેશો-૬ અંતર સૂત્ર-૭૮૯ થી 791 789. ભગવદ્ ! પૃથ્વીકાયિક જીવ આ રત્નપ્રભા પૃથ્વી અને શર્કરા પ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્યાતા કરીને સૌધર્મકલ્પમાં પૃથ્વીકાયિકરૂપે ઉત્પન્ન થાય, તો હે ભગવન્! શું પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે કે પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય ? ગૌતમ ! પહેલા ઉત્પન્ન થઈને પછી આહાર કરે અથવા પહેલા આહાર કરીને પછી ઉત્પન્ન થાય. ઇત્યાદિ, જેમ શતક-૧૭ના ઉદ્દેશા-૬-માં કહ્યું તેમ યાવત્ તે કારણે હે ગૌતમ ! એમ કહ્યું કે પૂર્વે પણ યાવત્ ઉત્પન્ન થાય. વિશેષ એ કે –ત્યાં સંપ્રાપ્ત કરીને, અહીં આહાર કરે છે - એમ કહેવું. બાકી પૂર્વવતું. ભગવન્! પૃથ્વીકાયિક આ રત્નપ્રભા અને શર્કરા પ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને જે ઈશાના કલ્પમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય૦ પૂર્વવત્ કહેવું. યાવત્ ઈષત્ પ્રાભારાએ ઉત્પાદ કહેવો. ભગવન્! પૃથ્વીકાયિક શર્કરા પ્રભા અને વાલુકાપ્રભા પૃથ્વીના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને, જે સૌધર્મ યાવત્ ઇષત્ પ્રાભારામાં ઉત્પન્ન થવા યોગ્ય હોય એ પ્રમાણે આ ક્રમથી યાવત્ તમા અને અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં મરણ સમુઠ્ઠાત કરીને ઉત્પાદ કહેવો. - ભગવન્! પૃથ્વીકાયિક સૌધર્મ ઈશાન અને સનકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ધાતમાં મરીને જે આ રત્નપ્રભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, હે ભગવન્! તે પહેલા ઉપજીને પછી આહાર કરે ? ઇત્યાદિ બધું પૂર્વવત્ જાણવુ યાવત્ તેથી એ પ્રમાણે કહ્યું છે, યાવત્ નિક્ષેપો કરવો. ભગવનું ! પૃથ્વીકાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર માહેન્દ્ર કલ્પના અંતરમાં મરણ સમુઘાત કરીને જે શર્કરામભા પૃથ્વીમાં પૃથ્વીકાયિકપણે ઉત્પન્ન થવાને યોગ્ય હોય, ઇત્યાદિ પૂર્વવત્. યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે સનતકુમાર-માહેન્દ્ર અને બ્રહ્મલોક કલ્પના અંતરમાં મરણ સમુઘાત કરીને, ફરી પણ યાવત્, અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે બ્રહ્મલોક અને લાંતક કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. એ પ્રમાણે લાંતક અને મહાશુક્ર કલ્પના અંતરમાં મરણ સમુદ્ઘાત કરીને ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં, એ રીતે મહાશુક્ર અને સહસ્ત્રાર કલ્પના અંતરમાં સમાવહત થઈને ફરી પણ યાવત્ અધઃસપ્તમીએ એ પ્રમાણે સહસ્ત્રાર અને આનત-પ્રાણત કલ્પના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં, એ પ્રમાણે આનત-પ્રાણત અને આરણ-અમ્રુત કલ્પના અંતરમાં ફરી પણ યાવત્ અધઃસપ્તમીમાં. એ રીતે આરણ-અય્યત અને રૈવેયક વિમાનના અંતરમાં યાવતુ અધઃસપ્તમીમાં. એ પ્રમાણે રૈવેયક વિમાન અને અનુત્તર વિમાનના અંતરમાં યાવત્ અધઃસપ્તમીમાં, એ પ્રમાણે અનુત્તર વિમાન અને ઈષત્ પ્રાશ્મારામાં યાવત્ અધઃસપ્તમીમાં ઉત્પાદ કહેવો. 790. ભગવદ્ ! અપ્રકાયિક, આ રત્નપ્રભા અને શર્કરાખભા પૃથ્વીના અંતરમાં સમવહત થઈને, જે સૌધર્મ કલ્પમાં અપ્રકાયિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, બાકી બધું પૃથ્વીકાયિક મુજબ કહેવું. યાવત્ તેથી એ પ્રમાણે પહેલા અને બીજા કલ્પના અંતરમાં સમવહત થઈને યાવત્ ઇષત્ પ્રાગ્લારામાં ઉત્પાદ કહેવો. એ રીતે આ ક્રમથી યાવત્ તમા. અન અધઃસપ્તમી પૃથ્વીના અંતરમાં સમવહત થઈને યાવત્ ઇષત્ પ્રાશ્મારામાં અપ્રકાયિકત્વથી ઉત્પાદ કહેવો. ભગવન ! જે અપુકાયિક સૌધર્મ-ઈશાન સનકુમાર-માદે-કલ્પના અંતરમાં મરણ સમુઘાત કરે, કરીને જે રત્નપ્રભા પૃથ્વીમાં ઘનોદધિ વલયમાં અપ્રકાયિકપણે ઉત્પાદ કહેવો, એ પ્રમાણે યાવત્ અનુત્તર વિમાન અને ઇષતુ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 129