Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક પર્યન્ત કહેવું. ભગવન્! વર્ણ નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - કાળો વર્ણ નિવૃત્તિ યાવત્ સફેદ વર્ણ નિવૃત્તિ. એ પ્રમાણે બધું જ વૈમાનિક પર્યન્ત કહેવું. એ પ્રમાણે ગંધ નિવૃત્તિ બે ભેદે છે. તે વૈમાનિક સુધી જાણવુ. રસનિવૃત્તિ પાંચ ભેદે છે. યાવત્ વૈમાનિક સ્પર્શ નિવૃત્તિ આઠ ભેદે છે, આ વર્ણન વૈમાનિક સુધી જાણવું. ભગવન્! સંસ્થાન નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! છ ભેદે છે. તે આ -સમચતુરસ સંસ્થાન નિવૃત્તિ યાવત્. હુંડક સંસ્થાન નિવૃત્તિ. નૈરયિક વિશે પ્રશ્ન ? ગૌતમ ! એક હૂંડક સંસ્થાન નિવૃત્તિ. અસુરકુમારનો પ્રશ્ન ? ગૌતમ ! એક સમચતુરઢ સંસ્થાન નિવૃત્તિ એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવું. પૃથ્વીકાયિક વિશે પ્રચ્છા. ગૌતમ ! એક મસૂરચંદ્ર સંસ્થાન નિવૃત્તિ. એ રીતે જેને જે સંસ્થાન હોય તેને તે વૈમાનિક પર્યન્ત કહેવું. સંજ્ઞા નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ! ચાર ભેદે. તે આ - આહાર યાવત્ પરિગ્રહ સંજ્ઞા નિવૃત્તિ, એ રીતે વૈમાનિક સુધી કહેવું. ભગવન્! લેશ્યા નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! છ ભેદે. તે આ -કૃષ્ણલેશ્યા નિવૃત્તિ યાવત્ શુક્લલેશ્યા નિવૃત્તિ. એ રીતે વૈમાનિક પર્યન્ત કહેવું. જેને જેટલી વેશ્યાઓ હોય, તેને તેટલી કહેવી. ભગવન્! દૃષ્ટિ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ - સમ્યગ્દષ્ટિ નિવૃત્તિ, મિથ્યાદૃષ્ટિ નિવૃત્તિ, સમ્યમિથ્યા દષ્ટિ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી જેને જે દૃષ્ટિ હોય તે કહેવી. ભગવદ્ ! જ્ઞાન નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે. તે આ - આભિનિબોધિક જ્ઞાન નિવૃત્તિ યાવત્ કેવલજ્ઞાન નિવૃત્તિ. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને યાવત્ વૈમાનિક સુધી જેને જેટલા જ્ઞાન હોય તે કહેવા. ભગવન્! અજ્ઞાન નિવૃત્તિ કેટલા ભેદે છે ? ગૌતમ ! ત્રણ ભેદે. તે આ - મતિઅજ્ઞાન નિવૃત્તિ, શ્રુતઅજ્ઞાના નિવૃત્તિ, વિર્ભાગજ્ઞાન-નિવૃત્તિ. એ રીતે જેને જેટલા અજ્ઞાન હોય, તે વૈમાનિક સુધી કહેવા. ભગવન્! યોગનિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! ત્રણ ભેદે છે. તે આ - મનોયોગ નિવૃત્તિ, વચનયોગ નિવૃત્તિ, કાયયોગ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી જેને જે પ્રકારે યોગ હોય તે કહેવો. ભગવન! ઉપયોગ નિવૃત્તિ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે, તે આ - સાકારોપયોગ નિવૃત્તિ, અનાકારોપયોગ નિવૃત્તિ. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. વાચનાંતરમાં અહીં સંગ્રહગાથા છે. 771. જીવોની નિવૃત્તિ, કર્મપ્રકૃતિ, શરીરનિવૃત્તિ, સર્વેન્દ્રિયનિવૃત્તિ, ભાષાનિવૃત્તિ, મનોનિવૃત્તિ, કષાયનિવૃત્તિ 772. વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, સંસ્થાન, વેશ્યા, દષ્ટિ, જ્ઞાન, ઉપયોગ અને યોગ આ બધાની નિવૃત્તિ.. 773. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૯ કરણ સૂત્ર-૭૭૪ થી 776 74. ભગવદ્ ! કરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે કરણ છે. તે આ રીતે - દ્રવ્યકરણ, ક્ષેત્રકરણ, કાળકરણ, ભવકરણ, ભાવકરણ. ભગવન્નૈરયિકોને કેટલા ભેદે કરણ છે ? ગૌતમ ! પાંચ ભેદે કરણ છે. તે આ - દ્રવ્યકરણ યાવત્ ભાવકરણ. એ રીતે વૈમાનિક સુધી કહેવું. ભગવન્! શરીરકરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - ઔદારિક શરીરકરણ યાવત્ કાર્પણ શરીરકરણ. એ પ્રમાણે વૈમાનિક સુધી, જેને જેટલા શરીર હોય તેટલા કરણ કહેવા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 118