Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અસુરકુમાર મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરા વાળા છે ? તે અર્થ સમર્થ નથી, એ પ્રમાણે ચોથો ભંગ કહેવો, બાકીના ૧૫-ભંગનો નિષેધ કરવો. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. ભગવદ્ ! પૃથ્વીકાયિક જીવ મહાશ્રવ, મહાક્રિયા, મહાવેદના, મહાનિર્જરાવાળા છે ? હા, કદાચ હોય, એ પ્રમાણે યાવત્ ભગવદ્ ! પૃથ્વીકાયિક શું અલ્પાશ્રવ, અલ્પક્રિયા, અલ્પવેદના, અલ્પનિર્જરાવાળા છે ? હા, છે. એ પ્રમાણે મનુષ્ય સુધી કહેવું. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમાર માફક કહેવા. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૫ ચરમ સૂત્ર-૭૬૬ ભગવદ્ ! શું નૈરયિક ચરમ(અલ્પ આયુવાળા) પણ છે અને પરમ(અધિક આયુવાળા) પણ છે? હા, છે. ભગવન્! શું ચરમ નૈરયિકો કરતા પરમ ભૈરયિક મહાકર્મવાળા મહાક્રિયાવાળા. મહાશ્રયવાળા અને મહાવેદના વાળા છે. તથા પરમ ભૈરયિક કરતા ચરમ નૈરયિક અલ્પકર્મ વાળા યાવત્ અલ્પવેદના વાળા છે? હા, ગૌતમ ! ચરમ કરતા પરમ નૈરયિક યાવત્ મહાવેદનાવાળા છે. ઇત્યાદિ. ભગવન્! એમ કેમ કહ્યું કે યાવત્ અલ્પવેદનાવાળા છે? હે ગૌતમ ! સ્થિતિને આશ્રીને ગૌતમ! આમ કહ્યું છે ભગવન્! અસુરકુમારો ચરમ પણ છે અને પરમ પણ છે ? પૂર્વવત્. વિશેષ એ કે - વિપરીત કહેવું, પરમ અલ્પકર્મી છે, ચરમ મહાકર્મી છે. બાકી પૂર્વવત્. સ્વનિતકુમાર સુધી આમ જ જાણવુ. પૃથ્વીકાયિકથી મનુષ્ય સુધી, નૈરયિકવત્ જાણવુ. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા. સૂત્ર-૭૬૭ ભગવદ્ ! વેદના કેટલા પ્રકારે છે ? ગૌતમ ! બે પ્રકારે - નિદા(વ્યક્ત રીતે) અને અનિદા (અવ્યક્ત રીતે). ભગવદ્ ! નૈરયિકો નિદા વેદના વેદે છે કે અનિદા વેદના ? પન્નવણા સૂત્ર, પદ-૩૫ મુજબ કહેવું વૈમાનિક સુધી આ પ્રમાણે જાણવું. ભગવન્! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૬ ‘દ્વીપ’ સૂત્ર-૭૬૮ ભગવન્! દ્વીપ-સમુદ્રો ક્યાં છે? ભગવદ્ ! દ્વીપસમુદ્રો કેટલા છે? કયા આકારે છે ? જેમ જીવાભિગમમાં દ્વીપ-સમદ્ર ઉદ્દેશો છે, તે જ અહીં જ્યોતિષ્કમંડલ ઉદ્દેશો વર્જીને કહેવો. યાવત્ પરિણામ, જીવનો ઉત્પાદ યાવત્ અનંતવાર સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૭ ' ભવન સૂત્ર-૭૬૯ ભગવન્! અસુરકુમારોના કેટલા લાખ ભવનાવાસ છે ? ગૌતમ ! અસુરકુમારોના 65 લાખ ભવનો છે. ભગવન ! તે શેના બનેલા છે ? ગૌતમ ! બધા રત્નમય, સ્વચ્છ, શ્લેષ્ણ યાવત્ પ્રતિરૂપ છે. તેમાં ઘણા જીવો અને પુદ્ગલો ઉત્પન્ન થાય છે, વિનષ્ટ થાય છે, ચ્યવે છે, ઉત્પન્ન થાય છે. તે ભવનો દ્રવ્યથી શાશ્વત છે. વર્ણ પર્યાયો યાવત્ સ્પર્શ પર્યાયો વડે અશાશ્વત છે. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી કહેવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 116