Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૯ સૂત્ર-૭૫૮ એક ગાથા દ્વારા આ 19 માં શતકમાં રહેલા 10 ઉદ્દેશાનાં નામો જણાવે છે- વેશ્યા, ગર્ભ, પૃથ્વી, મહાશ્રવ, ચરમ, દ્વીપ, ભવન, નિવૃત્તિ, કરણ, વનચરસુર. શતક-૧૯, ઉદ્દેશો-૧ લેશ્યા સૂત્ર-૭૫૯ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવનું ! વેશ્યા કેટલી છે? ગૌતમ ! છ. તે આ પ્રમાણે - અહી પન્નવણાસૂત્ર, પદ-૧૭નો ચોથો વેશ્યા ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૨ “ગર્ભ સૂત્ર-૭૬૦ ભગવન્! વેશ્યાઓ કેટલી છે? વેશ્યાઓ 6 છે- કૃષ્ણ યાવત શુક્લ. એ રીતે જેમ પન્નવણા સૂત્ર, પદ-૧૭ નો ગર્ભ ઉદ્દેશો છે, તે સંપૂર્ણ કહેવો. ભગવનતે એમ જ છે, એમ જ છે. શતક-૧૯, ઉદ્દેશા-૨નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૯, ઉદ્દેશો-૩ પૃથ્વી સૂત્ર-૭૬૧ - રાજગૃહમાં યાવતુ આમ કહ્યું - ભગવનશું કદાચિત યાવતુ ચાર પાંચ પ્રખ્વીકાયિક મળીને સાધારણ શરીર બાંધે છે? બાંધીને પછી આહાર કરે છે. પરિણમાવે છે, શરીરનો બંધ કરે છે? ના, તે અર્થ સમર્થ નથી. કેમ કે પૃથ્વીકાયિક જીવ પ્રત્યેક આહારી, પ્રત્યેક પરિણામી છે, પ્રત્યેક શરીર બાંધે છે. ત્યારપછી તેઓ આહાર કરે છે, પરિણમાવે છે અને શરીરને પુષ્ટ કરતા રહે છે. ભગવન! તે જીવોને કેટલી વેશ્યાઓ છે? ગૌતમ ! ચાર. તે આ -કૃષ્ણ, નીલ, કાપોત, અને તેજલેશ્યા. ભગવન્! તે જીવો શું સમ્યક્દષ્ટિ, મિથ્યાદષ્ટિ કે સમ્યમિથ્યાદષ્ટિ છે ? ગૌતમ ! તેઓ સમ્યક્દષ્ટિ કે સમ્યક્રમિથ્યાદષ્ટિ નથી, મિથ્યાદષ્ટિ છે. ભગવન્! તે જીવો જ્ઞાની છે કે અજ્ઞાની? ગૌતમ ! જ્ઞાની નથી, અજ્ઞાની છે. તે - મતિ અજ્ઞાની, શ્રુત અજ્ઞાની ભગવન્! તે જીવો શું મનોયોગી, વચનયોગી કે કાયયોગી છે? ગૌતમ ! તેઓ મનોયોગી કે વચનયોગી નથી, કાયયોગી છે. ભગવદ્ ! તે જીવો શું સાકારોપયુક્ત કે અનાકારોપયુક્ત છે ? ગૌતમ ! તેઓ સાકારોપયુક્ત પણ છે, અનાકારોપયુક્ત પણ છે. ભગવન્તે જીવો શું આહાર કરે છે? ગૌતમ ! દ્રવ્યથી અનંત પ્રદેશિક દ્રવ્યો. એ રીતે જેમ પન્નવણાના. પદ- ૨૮ન પહેલા આહારોદ્દેશકમાં કહ્યું છે, તેમ યાવત્ સર્વ આત્મપ્રદેશથી આહાર કરે છે - ત્યાં સુધી કહેવું. ભગવદ્ ! તે જીવો જે આહાર કરે છે, તેનો ચય થાય છે અને જે આહાર નથી કરતા, તેનો ચય નથી થતો ? ચીર્ણ આહાર બહાર નીકળે છે અથવા શરીરાદિરૂપે પરિણમે છે? હા, ગૌતમ! યાવત્ તેમજ છે. ભગવન્! તે જીવોને એ પ્રમાણે સંજ્ઞા, પ્રજ્ઞા, મન અને વચન હોય છે કે - અમે આહાર કરીએ છીએ? ના, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 112