Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૮ સૂત્ર-૭૨૧ એક ગાથા દ્વારા અઢારમાં શતકના દશ ઉદ્દેશાના નામો જણાવે છે–પ્રથમ, વિશાખા, માકંદિક, પ્રાણાતિપાત, અસુર, ગુડ, કેવલિ, અનગાર, ભવ્ય, સોમિલ. શતક૧૮, ઉદ્દેશો.૧ પ્રથમ સૂત્ર-૭૨૨ થી 726 722. તે કાળે, તે સમયે રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - જીવ, જીવભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ નથી અપ્રથમ છે. એ પ્રમાણે નૈરયિકથી લઈને વૈમાનિક સુધી જાણવુ. ભગવન્! સિદ્ધ, સિદ્ધ ભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ છે, અપ્રથમ નથી. ભગવન્સર્વ જીવો, જીવભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવુ. ભગવદ્ ! સર્વ સિદ્ધ જીવો સિદ્ધ ભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ છે, અપ્રથમ નથી. ભગવન્! આહારક જીવ, આહાર ભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. યાવત્ વૈમાનિક. બહુવચનમાં એમ જ છે. ભગવન્! અણાહારક જીવ અણાહારક ભાવથી પ્રશ્ન ? ગૌતમ ! કદાચ પ્રથમ હોય, કદાચ અપ્રથમ હોય. ભગવન્! નૈરયિક જીવ, અણાહારક ભાવથી પ્રથમ છે કે અપ્રથમ ? ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. એ રીતે વૈમાનિક સુધી જાણવું. સિદ્ધ જીવ અનાહારક ભાવથી પ્રથમ છે અપ્રથમ નથી. ભગવદ્ ! અણાહારક જીવો અણાહારક ભાવથી. ? પ્રશ્ન. પ્રથમ પણ હોય, અપ્રથમ પણ હોય. નૈરયિકોથી વમાનિક સુધી સર્વ જીવો પ્રથમ નથી, અપ્રથમ છે. સર્વ સિદ્ધો પ્રથમ છે, અપ્રથમ નથી. ભવસિદ્ધિક એક કે અનેક જીવ, આહારક મુજબ. એ રીતે અભવસિદ્ધિક પણ છે. ભગવન્! નોભવસિદ્ધિક નો-અભવસિદ્ધિક જીવ ? પ્રશ્ન. ગૌતમ ! પ્રથમ છે, અપ્રથમ નથી. નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક જીવો નોભવસિદ્ધિક નોઅભવસિદ્ધિક ભાવથી ? પૂર્વવત્. એ રીતે બહુવચનમાં બંને જાણવા. ભગવન્! સંજ્ઞીજીવ, સંજ્ઞીભાવથી પ્રથમ છે? પ્રશ્ન. ગૌતમ ! પ્રથમ નથી, અપ્રથમ છે. એ રીતે વિકસેન્દ્રિયને વર્જીને યાવત્ વૈમાનિક સુધી જાણવુ. બહુવચનમાં પણ આમ જ કહેવું. અસંજ્ઞી જીવો પણ એ રીતે જ એકવચના બહુવચનથી જાણવા, વિશેષ એ કે - અસંજ્ઞીનું કથન વ્યંતર સુધી જાણવું. નોસંજ્ઞી-નોઅસંજ્ઞી જીવ, મનુષ્ય અને સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. એ રીતે બહુવચનમાં પણ છે. ભગવન્! સલેશ્યીનો પ્રશ્ન. ગૌતમ ! આહારક મુજબ છે. એ રીતે બહુવચનમાં પણ છે. કૃષ્ણલેશ્યા યાવત્ શુક્લલશ્યામાં પણ એ રીતે છે. વિશેષ એ કે - જેને જે લેશ્યા હોય તે કહેવી. અલેશ્યી જીવ, મનુષ્ય અને સિદ્ધનું કથન નોસંજ્ઞી-નોઅસંજ્ઞી માફક કહેવા. ભગવન્! સમ્યગદષ્ટિ જીવ, સમ્યગદષ્ટિ ભાવથી શું પ્રથમ છે ? પૃચ્છા. ગૌતમ ! કદાચ પ્રથમ પણ હોય, કદાચ અપ્રથમ પણ હોય. એ પ્રમાણે એકેન્દ્રિયને વર્જીને વૈમાનિક સુધી કહેવું. સિદ્ધ પ્રથમ છે, અપ્રથમ નથી. બહુવચનમાં જીવો પ્રથમ પણ છે. અપ્રથમ પણ છે. એ રીતે વૈમાનિક સુધી કહેવું. સિદ્ધો પ્રથમ છે, અપ્રથમ નથી. મિથ્યાદષ્ટિ જીવ એક કે બહુવચનમાં આહારક માફક જાણવા. સમ્યમિથ્યાદષ્ટિ જીવ એકવચનમાં કે બહુવચનમાં સમ્યગદષ્ટિ માફક જાણવા. વિશેષ એ કે - જેને સમ્યગુ મિથ્યાદષ્ટિ હોય તેને તે કહેવી. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 95