Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨' યાવત્ ઉપદ્રવ કર્યા વિના ત્રિવિધ ત્રિવિધ યાવત્ એકાંત પંડિત થઈએ છીએ. હે આર્યો! તમે જે સ્વયં ત્રિવિધ ત્રિવિધ યાવતુ એકાંતબાલ છો. ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું - કયા કારણે હે આર્યો! અમે ત્રિવિધ ત્રિવિધ યાવતુ એકાંતબાલ છીએ? ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું - હે આર્યો! તમે જ ચાલતી વેળા પ્રાણોને કચડો છો યાવત્ ઉપદ્રવ કરો છો. તેથી તમે પ્રાણોને કચડતા યાવત્ ઉપદ્રવ કરતા ત્રિવિધ યાવત્ એકાંતબાલ છો. ત્યારે ગૌતમસ્વામીએ તે અન્યતીર્થિકોને આ રીતે નિરુત્તર કર્યા, કરીને જ્યાં ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને ભગવંતને વંદન-નમસ્કાર કર્યા, કરીને ભગવંત સમીપે યાવત્ પર્યુપાસના કરે છે. ગૌતમસ્વામીને આમંત્રી ભગવંતે, ગૌતમને આમ કહ્યું - તે હે ગૌતમ ! તે અન્યતીર્થિકોને સારુ કહ્યુ, તેમને યથાર્થ કહ્યું. હે ગૌતમ ! મારા ઘણા શિષ્યો શ્રમણ નિર્ચન્થ છદ્મસ્થ છે. જે તમારી જેમ ઉત્તર દેવામાં સમર્થ નથી. જેમ તમે અન્યતીર્થિકોને સારુ કહ્યું, તેમને આમ કહ્યું તે યથાર્થ છે. ત્યારપછી ભગવંતે આમ કહેતા, ગૌતમસ્વામી. હર્ષિત, સંતુષ્ટ થયા. ભગવંતને વંદન-નમસ્કાર કર્યા અને આ પ્રમાણે પૂછ્યું - 751. ભગવદ્ ! શું છદ્મસ્થ મનુષ્યો પરમાણુ પુદ્ગલને જાણે છે - જુએ છે? અથવા નથી જાણતા-નથી. જોતા ? ગૌતમ ! કેટલાક જાણે છે, જોતા નથી. કેટલાક જાણતા નથી - જોતા નથી. ભગવન ! છદ્મસ્થ મનુષ્ય દ્વિપ્રદેશિક સ્કંધને શું જાણે છે, જુએ છે ? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ અસંખ્યપ્રદેશિક સ્કંધમાં કહેવું. ભગવદ્ ! છદ્મસ્થ મનુષ્ય અનંતપ્રદેશી ઢંધને શું જાણે છે, જુએ છે ? ગૌતમ ! કેટલાક જાણે છે, જુએ છે. કેટલાક જાણે છે, જોતા નથી. કેટલાક જાણતા નથી, જુએ છે. કેટલાક જાણતા નથી, જોતા નથી. [ શું આધોવધિક મનુષ્ય પરમાણુ પુદ્ગલને શું જાણે છે, જુએ છે ? છદ્મસ્થ અનુસાર આધોવધિકને કહેતા યાવત્ અનંતપ્રદેશી ઢંધ કહેવો. ભગવન્પરમાધોવધિક મનુષ્ય, જે સમયે જાણે છે, તે સમયે જુએ છે અને જે સમયે જુએ છે, તે સમયે જાણે છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવનું ! એમ કેમ કહો છો ? ગૌતમ ! સાકારમાં તે જ્ઞાન હોય, અનાકારમાં તે દર્શન હોય. બંને ઉપયોગ એક સમયે ન હોય, તેથી યાવત્ કહ્યું કે તે સમયે ન જાણે. અનંતપ્રદેશી સુધી કહેવું. ભગવદ્ ! કેવલી મનુષ્ય પરમાણુ પુદ્ગલને શું જાણે છે, જુએ છે ? પરમાધોવધિની માફક કેવલી પણ કહેવા. યાવત્ અનંતપ્રદેશી. ભગવન્! આપ કહો છો, તે એમજ છે. તે એમજ છે શતક-૧૮, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૯ ભવ્યદ્રવ્ય સૂત્ર-૭૫૨ રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! ભવ્યદ્રવ્ય નૈરયિક શું ભવ્યદ્રવ્ય નૈરયિક છે? હા, છે. ભગવનએમ કેમ કહ્યું? જે કોઈ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કે મનુષ્ય, નૈરયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય છે, તે ભવ્યદ્રવ્ય નૈરયિક કહેવાય છે. તેથી યાવત્ આમ કહેલુ છે. આ પ્રમાણે સ્વનિતકુમાર પર્યન્ત જાણવુ. ભગવદ્ ! ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક, ભવ્યદ્રવ્યપૃથ્વી છે? હા, છે. એમ કેમ કહ્યું? ગૌતમ ! જે તિર્યંચયોનિક કે મનુષ્ય કે દેવ પૃથ્વીકાયિકમાં ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયિક કહેવાય છે, તેથી કહ્યું છે. આ રીતે જ અપ્રકાયિક, વનસ્પતિકાયિકને જાણવા. તેલ, વાયુ. બે - ત્રણ - ચાર ઇન્દ્રિયોવાળામાં જે કોઈ તિર્યંચ કે મનુષ્ય ઉત્પન્ન થવા યોગ્ય હોય તે ભવ્યદ્રવ્ય તેઉકાયિક આદિ કહેવાય છે. જે કોઈ નૈરયિક યાવત્ દેવ પંચેન્દ્રિય તિર્યંચયોનિકપણે ઉત્પન્ન થવા યોગ્ય હોય, તે ભવ્યદ્રવ્ય પંચેન્દ્રિય મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 108