Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કર્માશોને 200 વર્ષમાં ખપાવે. અસુરકુમાર દેવો અનંત કર્માશોને 300 વર્ષોમાં ખપાવે. ગ્રહ-નક્ષત્ર-તારારૂપ જ્યોતિષ્ક દેવો અનંત કર્માશોને 400 વર્ષમાં યાવત્ ખપાવે. ચંદ્ર-સૂર્ય જ્યોતિર્મેન્દ્રો જ્યોતિષ રાજ અનંત કર્માશોને 500 વર્ષોમાં ખપાવે. સૌધર્મ, ઇશાન દેવો 1000 વર્ષોમાં યાવત્ ખપાવે, સનતકુમાર-માહેન્દ્ર દેવો 2000 વર્ષોમાં યાવત્ ખપાવે, એ પ્રમાણે આ આલાવાથી બ્રહ્મલોક-લાંતક દેવો 3000 વર્ષોમાં ખપાવે, મહાશુક્ર-સહસ્ત્રાર દેવો 4000 વર્ષોમાં, આનત-પ્રાણત, આરણ-અય્યત દેવો 5000 વર્ષોમાં ખપાવે. નીચલી રૈવેયકના દેવો અનંત કર્માશોને એક લાખ વર્ષમાં ખપાવે, મધ્યમ રૈવેયકના દેવો બે લાખ વર્ષોમાં, ઉપરની રૈવેયકના દેવો ત્રણ લાખ વર્ષોમાં, વિજયાદિ ચારના દેવો ચાર લાખ વર્ષોમાં અને સર્વાર્થસિદ્ધ દેવો અનંતા કર્માશોને પાંચ લાખ વર્ષોમાં ખપાવે છે. એ કારણે હે ગૌતમ ! તે દેવો જે અનંત કર્મીશોને જઘન્યથી 100, 200, 300 અને 500 વર્ષોમાં ખપાવે છે, યાવતુ પાંચ હજાર વર્ષોમાં ખપાવે છે. યાવતુ પાંચ લાખ વર્ષોમાં ખપાવે. ભગવન! તેમજ છે. શતક-૧૮, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૮' અનગારક્રિયા સૂત્ર-૭૯ રાજગૃહે યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! સંમુખ અને બંને તરફ યુગમાત્ર ભૂમિને જોતા ઇર્યાપૂર્વક ગમન કરતા. ભાવિતાત્મા અણગારના પગ નીચે મરઘીનું બચ્ચું, બતકનું બચ્ચું કે કીડી જેવા સૂક્ષ્મ જીવ આવીને મરે તો તે અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે કે સાંપરાયિકી ક્રિયા લાગે ? ગૌતમ ! યાવત્ તે ભાવિતાત્મા અણગારને ઐર્યાપથિકી ક્રિયા લાગે, બીજી નહીં. ભગવદ્ ! એમ કેમ કહ્યું? શતક-૭-માં સંવૃત્ત ઉદ્દેશા મુજબ સર્વ ઉત્તર જાણવો યાવત્ અર્થના નિક્ષેપ સુધી કહેવું. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. યાવત્ વિચરે છે. પછી ભગવંત મહાવીર બાહ્ય જનપદમાં યાવત્ વિચરે છે. સૂત્ર-૭૫૦, 751 750. તે કાળે, તે સમયે રાજગૃહ નગર, ગુણશીલ ચૈત્ય હતું યાવત્ પૃથ્વીશિલાપટ્ટક હતો. તે ગુણશીલ ચૈત્યની સમીપે ઘણાં અન્યતીર્થિકો રહેતા હતા. કોઈ દિવસે શ્રમણ ભગવાન મહાવીર યાવત્ સમોસર્યા યાવત્ પર્ષદા નીકળી. તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના મોટા શિષ્ય ઇન્દ્રભૂતિ અણગાર યાવત્ ઉર્ધ્વજાનૂ યાવત્ વિચરે છે. ત્યારે તે અન્યતીર્થિકો, ગૌતમસ્વામી પાસે આવ્યા, આવીને ગૌતમસ્વામીને આમ કહ્યું - હે આર્ય! તમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવતુ એકાંતબાલ છો. ત્યારે ગૌતમસ્વામીએ, અન્યતીર્થિકોને આમ કહ્યું - હે આર્યો! કયા કારણથી અમે ત્રિવિધ ત્રિવિધ અસંયત યાવત્ એકાંતબાલ છીએ ? ત્યારે તે અન્યતીર્થિકોએ ગૌતમસ્વામીને આમ કહ્યું - હે આર્ય! તમે ગમન કરતી વેળા જીવોને આક્રાંત કરો. છો, મારો છો યાવત્ ઉપદ્રવ કરો છો. તેથી તમે જીવોને આક્રાંત કરતા, યાવ ઉપદ્રવ કરતા હોવાથી ત્રિવિધ ત્રિવિધે યાવત્ એકાંતબાલ છો. ત્યારે ગૌતમસ્વામીએ, તે અન્યતીર્થિકોને આમ કહ્યું કે - હે આર્યો! અમે ગમન કરતી વેળા જીવોને કચડતા નથી યાવત્ ઉપદ્રવ કરતા નથી. હે આર્યો ! અમે ગમન કરતી વેળા કાયાથી સંયમ યોગને પાળતા વિશેષ રૂપે નિરીક્ષણ કરીને ચાલીએ છીએ, અમે એ રીતે જોઈ-જોઈને ગમન કરીએ છીએ, વિશેષ-વિશેષ નિરીક્ષણ કરતા ચાલીએ છીએ. તેથી અમે જીવોને કચડતા નથી યાવતુ ઉપદ્રવિત કરતા નથી. તેથી અમે પ્રાણોને કચડ્યા વિના મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 107