Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તિર્યંચયોનિક કહેવાય, આ રીતે મનુષ્ય પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને નૈરયિકો માફક કહેવા. ભગવન્! ભવ્યદ્રવ્ય નૈરયિકની કેટલા કાળની સ્થિતિ છે ? ગૌતમ ! જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી પૂર્વકોટિ. ભવ્ય દ્રવ્ય અસુરકુમારની, ભગવન્! કેટલી કાળસ્થિતિ છે? ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટ ત્રણ પલ્યોપમ, એ રીતે યાવત્ સ્વનિતકુમાર જાણવા. ભવ્યદ્રવ્ય પૃથ્વીકાયની પૃચ્છા. ગૌતમ ! જઘન્ય અંતર્મુહૂર્ત અને ઉત્કૃષ્ટ સાતિરેક બે સાગરોપમ. આ પ્રમાણે અપકાયને પણ જાણવા. તેઉ અને વાયુને નૈરયિકવત્ જાણવુ. વનસ્પતિકાયને પૃથ્વીકાયવત્ જાણવા. બે-ત્રણચાર ઇન્દ્રિય વાળાને નૈરયિકવતુ જાણવા. પંચેન્દ્રિય તિર્યંચની જઘન્યથી અંતર્મુહૂર્ત, ઉત્કૃષ્ટથી ૩૩-સાગરોપમ. એ પ્રમાણે મનુષ્ય પણ છે. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા. ભગવદ્ ! તે એમજ છે. તે એમજ છે. શતક-૧૮, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૮, ઉદ્દેશો-૧૦ સોમિલ’ સૂત્ર-૭૫૩ રાજગૃહમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ભાવિતાત્મા અણગાર તલવાર કે અસ્ત્રાની ધાર ઉપર રહી શકે? હા, રહી શકે. તે ત્યાં છેદાય, ભેદાય ? ના, તે અર્થ યોગ્ય નથી, કેમ કે તેના ઉપર શસ્ત્ર સંક્રમણ ન કરે. એ રીતે જેમ પાંચમાં શતકમાં પરમાણુ પુદ્ગલ વક્તવ્યતા છે, તે યાવત્ “ભગવદ્ ! ભાવિતાત્મા અણગાર ઉદકાવર્તમાં યાવત્ પ્રવેશે, તેને શસ્ત્ર સંક્રમણ ન કરે ?" -ત્યાં સુધી કહેવી. સૂત્ર-૭૫૪ ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ, વાયુકાયથી સ્પષ્ટ છે કે વાયુકાય પરમાણુ પુદ્ગલથી સ્પષ્ટ છે ? ગૌતમ ! પરમાણુ પુદ્ગલ, વાયુકાયથી પૃષ્ટ છે પણ વાયુકાય પરમાણુ પુદ્ગલથી સ્પષ્ટ નથી. ભગવન્! દ્વિપ્રદેશિકઢંધ વાયુકાયથી ? પૂર્વવત્. એ પ્રમાણે યાવત્ અસંખ્યપ્રદેશિક કહેવો. ભગવન્! અનંતપ્રદેશિક સ્કંધ, વાયુકાયથી ? પૃચ્છા. ગૌતમ ! અનંત પ્રદેશી ઢંધ વાયુકાય વડે સ્પષ્ટ છે, વાયુકાય, અનંતપ્રદેશી ઢંધ વડે કદાચ સ્પષ્ટ છે, કદાચ સ્પષ્ટ નથી. ભગવદ્ ! મશક વાયુકાય વડે પૃષ્ટ છે કે વાયુકાય મશક વડે સ્પષ્ટ છે? ગૌતમ ! મશક વાયુકાય વડે સ્પષ્ટ છે, વાયુકાય મશક વડે પૃષ્ટ નથી. સૂત્ર-૭પપ ભગવદ્ આ રત્નપ્રભા પૃથ્વીની નીચે વર્ણથી કાળા-લીલા-લાલ-પીળા-શ્વેત, ગંધથી સુગંધી-દુર્ગધ, રસથી તિક્ત-કર્ક-કષાય-અંબિલ-મધુર, સ્પર્શથી કર્કશ-મૃદુ-ભારે-હલકો-શીત-ઉષ્ણ-સ્નિગ્ધ-રૂક્ષ એ દ્રવ્યો અન્યોન્યબદ્ધ છે - પૃષ્ટ છે - યાવત્ સંબદ્ધ છે? હા, છે. એ રીતે યાવત્ અધઃસપ્તમી સુધી જાણવુ. ભગવદ્ ! સૌધર્મકલ્પની નીચે પૂર્વવત્ જાણવું, એ પ્રમાણે ઈષતપ્રામ્ભારા પૃથ્વી સુધી જાણવું. ભગવદ્ ! તે એમ જ છે. યાવતુ વિચરે છે. પછી ભગવંત મહાવીર પણ યાવતુ બાહ્ય જનપદ વિહારે વિચરે છે. સૂત્ર-૭૫૬ તે કાળે, તે સમયે વાણિજ્યગ્રામ નામે નગર હતું. ધૃતિપલાશ ચૈત્ય હતું. તે વાણિજ્યગ્રામ નગરમાં સોમિલ નામે બ્રાહ્મણ વસતો હતો. તે ધનાઢ્ય યાવતુ અપરિભૂત હતો. ઋગ્વદ આદિનો જ્ઞાતા, વૈદિક શાસ્ત્રમાં કુશળ હતો. પ૦૦ શિષ્યો અને પોતાના કુટુંબનું આધિપત્ય કરતો યાવત્ વિચરતો હતો. ત્યારે શ્રમણ ભગવંત મહાવીર યાવત્ સમોસર્યા યાવત્ પર્ષદા પર્યપાસે છે. ત્યારે તે સોમિલ બ્રાહ્મણને આ વૃત્તાંત જાણીને આવા પ્રકારે યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો. શ્રમણ જ્ઞાતપુત્રા મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 109