Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' એવો શ્રાવક હતો યાવત્ વિચરતો હતો. તે કાળે, તે સમયે ધર્મના આદિકર ઇત્યાદિ, જેમ શતક-૧૬માં કહ્યું તેમ અરહંત મુનિસુવ્રત પધાર્યા, યાવત્ પર્ષદા પર્યપાસે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, આ વૃત્તાંત જાણીને હર્ષિત, સંતુષ્ટ થયો. ઈત્યાદિ જેમ શતક-૧૧માં સુદર્શન શ્રેષ્ઠીમાં કહ્યું, તેમ તે વંદન કરવા નીકળ્યો યાવત તે ભગવંતને પર્યાપાસે છે. ત્યારે તે મુનિસુવ્રત અરહંતે કાર્તિક શ્રેષ્ઠી આદિને ધર્મ કહ્યો, યાવત્ પર્ષદા પાછી ગઈ. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, મુનિસુવ્રત અરહંતને યાવત્ સાંભળીને, અવધારીને, હર્ષિત, સંતુષ્ટ થઈ. ઉત્થાનથી ઉડ્યો, ઉઠીને મુનિસુવ્રત સ્વામીને યાવત્ આમ કહ્યું - ભગવદ્ ! એ પ્રમાણે યાવત્ જેમ તમે કહો છો. વિશેષ એ કે - હે દેવાનુપ્રિય! 1008 વણિકોને પૂછીને, મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, ત્યારપછી હું આપ દેવાનુપ્રિયની પાસે દીક્ષા લેવા ઇચ્છું છું. ભગવંતે કહ્યું- સુખ ઉપજે તેમ કરો યાવત્ પ્રતિબંધ ન કરો. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી યાવત્ નીકળે છે. હસ્તિનાપુરે પોતાના નગરમાં, પોતાના ઘેર આવે છે. આવીને 1008 વણિકોને બોલાવે છે. પછી આમ કહ્યું - હે દેવાનુપ્રિયો! મેં મુનિસુવ્રત અરહંત પાસે ધર્મ સાંભળ્યો, તે ધર્મ મને ઇષ્ટ છે, પ્રતિષ્ઠ છે, રૂચેલ છે. હે દેવાનુપ્રિયો! હું સંસારના ભયથી ઉદ્વિગ્ન થયો છું યાવત્ દીક્ષા લેવા ઇચ્છું છું. હે દેવાનુપ્રિયો! તમે શું કરશો ? કયો વ્યવસાય કરશો ? તમારા હૃદયમાં શું ઈષ્ટ છે ? ત્યારે તે 1008 વણિકોએ તેને આમ કહ્યું - હે દેવાનુપ્રિય! જો તમે સંસારના ભયથી ઉદ્વિગ્ન છો યાવત્ દીક્ષા લેશો, તો હે દેવાનુપ્રિય! અમારે બીજા કોનું આલંબન છે ? કોનો આધાર કે પ્રતિબંધ છે ? હે દેવાનુપ્રિય! અમે પણ સંસારના ભયથી ઉદ્વિગ્ન, જન્મ-મરણથી ભયભીત છીએ. આપ દેવાનુપ્રિયની સાથે મુનિસુવ્રત અરહંતની પાસે મુંડ થઈને ઘરથી નીકળી, દીક્ષા લઈશું. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠીએ 1008 વણિકોને આમ કહ્યું - હે દેવાનુપ્રિયો! જો તમે સંસારભયથી ઉદ્વિગ્ન અને જન્મ-મરણથી ડરીને મારી સાથે મુનિસુવ્રત સ્વામી પાસે યાવત્ દીક્ષા લેવા ઇચ્છતા હો, તો તમે પોત-પોતાના ઘેર જાઓ, પોતાના ઘરમાં વિપુલ અશન, પાન યાવત્ તૈયાર કરાવો. મિત્ર, જ્ઞાતિજન યાવત્ સમક્ષ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપો. સ્થાપીને, તે મિત્ર, જ્ઞાતિજન યાવતું મોટા પુત્રને પૂછીને સહસ્ત્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મિત્રજ્ઞાતિજન યાવ-પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યક્ અનુગમન કરાતા સર્વ સિદ્ધ યાવત્ નાદથી કાળક્ષેપ કર્યા વિના, મારી પાસે આવો. ત્યારે તે 1008 વણિકો કાર્તિક શ્રેષ્ઠીના આ અર્થને વિનયપૂર્વક સ્વીકારે છે, સ્વીકારીને પોત-પોતાના ઘરે આવે છે. આવીને વિપુલ અશન યાવત્ તૈયાર કરાવે છે. કરાવીને મિત્ર, જ્ઞાતિજન યાવત્ તેમની સમક્ષ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપે છે. પછી તે બધાને પૂછીને, સહસ્રપુરુષવાહિની શિબિકામાં આરૂઢ થઈને, મિત્ર-જ્ઞાતિજન યાવત્ પરિજન અને મોટા પુત્ર દ્વારા સમ્યક અનુગમન કરાતા સર્વઋદ્ધિ યાવતુ નાદથી, કાળક્ષેપ કર્યા વિના કાર્તિક શ્રેષ્ઠી પાસે આવે છે. ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી વિપુલ અશનાદિ તૈયાર કરાવે છે, ઇત્યાદિ વર્ણન ગંગદત્ત માફક જાણવું યાવત્ મિત્ર, જ્ઞાતિજન યાવત્ પરિજન અને મોટા પુત્ર તથા 1008 વણિકો વડે સમ્યક્ અનુગમન કરાતો સર્વઋદ્ધિ યાવત્ નાદપૂર્વક હસ્તિનાપુર નગરની વચ્ચોવચ્ચથી ગંગદત્ત માફક નીકળી યાવત્ ભગવંત મુનિસુવ્રતને આ પ્રમાણે કહ્યુંહે ભગવન્! આ લોક આદીપ્ત છે, પ્રદીપ્ત છે, આદીપ્ત-પ્રદીપ્ત છે યાવત્ આનુગામિકપણે થશે. તેથી હે ભગવન્! હું ઇચ્છું છું કે 1008 વણિકો સાથે આપ પોતે જ દીક્ષા આપો. યાવત્ ધર્મ કહો. ત્યારે તે મુનિસુવ્રત અરહંત, કાર્તિક શ્રેષ્ઠીને 1008 વણિકો સાથે પોતે જ દીક્ષા આપી અને ધર્મ કહે છે કે - હે દેવાનુપ્રિયો! આ રીતે જવું. આ રીતે ચાલવું યાવતુ સંયમ પાલન કરવું. (શતક- 2 ના સ્કંદકનો અધિકાર કહેવો). ત્યારે તે કાર્તિક શ્રેષ્ઠી, 1008 વણિકો સાથે મુનિસુવ્રત અરહંત પાસે આ આવા પ્રકારનો ધર્મોપદેશ સમ્યકુ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 98