Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' પાસે ગયા, તેને વંદન, નમસ્કાર કર્યા, પછી આ અર્થને માટે સમ્યક્ વિનયપૂર્વક વારંવાર ખમાવ્યા. સૂત્ર-૭૨૯ ત્યારે તે માકંદિકપુત્ર અણગાર ઉત્થાનથી ઉઠીને શ્રમણ ભગવંત મહાવીર પાસે આવે છે, આવીને ભગવંતને વંદે-નમે છે. પછી આમ પૂછ્યું - ભગવન્ભાવિતાત્મા અણગાર સર્વે કર્મોને વેદતા, સર્વે કર્મોને નિર્જરતા ચરમ મરણે મરતા, સર્વે મરણે મરતા, સર્વ શરીર ત્યાગ કરતા, ચરમ કર્મ વેદતા, ચરમ કર્મ નિર્ભરતા, ચરમ શરીર છોડતા, મારણાંતિક કર્મ વેદતા-નિર્ભરતા-મરતા, મારણાંતિક શરીર છોડતા, જે ચરમ નિર્જરા પુદ્ગલો છે, શું તે પુદ્રલો સૂક્ષ્મ કહેલ છે? હે આયુષ્યમાન્ શ્રમણ! શું તે પુદ્ગલ સમગ્ર લોકનું અવગાહન કરીને રહેલ છે? હા, માકંદિક પુત્ર ! ભાવિતાત્મા અણગારના યાવત્ ચરમ નિર્જરા પુદ્ગલો. લોકને અવગાહીને રહે છે. ભગવન્શું છદ્મસ્થ મનુષ્ય, તે નિર્જરા પુદ્ગલોના અન્યત્વ અને વિવિધત્વને કંઈ પણ જાણે-દેખે ? માકંદીપુત્ર ! તેમ શક્ય નથી. જેમ પ્રજ્ઞાપના સૂત્રના પદ-૧૫ ના પહેલા ઇન્દ્રિય ઉદ્દેશકમાં કહ્યું તેમ, યાવત્ વૈમાનિક યાવત્ જે તેમાં ઉપયોગયુક્ત છે, તે જાણે-દેખે અને આહારરૂપે ગ્રહે. પણ ઉપયોગરહિત હોય તે ન જાણે - ન દેખે. પણ તેને ગ્રહણ કરે. આ પ્રમાણે નિક્ષેપો કહેવા. ભગવનશું નૈરયિકો નિર્જરા પુદ્ગલોને ન જાણે, ન દેખે પણ ગ્રહણ કરે, ઈત્યાદિ પ્રશ્ન. માકાન્દીપુત્ર ! એમજ છે, એ રીતે યાવત્ પંચેન્દ્રિય તિર્યંચયોનિક કહેવા. ભગવન્! મનુષ્ય, નિર્જરા પુદ્ગલોને શું જાણે-દેખે-ગ્રહે કે ન જાણે-ન દેખે-ન ગ્રહે? માન્દીપુત્ર ! કોઈક જાણે-દેખે-ગ્રહે. કોઈક ન જાણે-ન દેખે-ન ગ્રહે. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! મનુષ્યો બે ભેદે છે - સંજ્ઞીભૂત, અસંજ્ઞીભૂત. તેમાં જે અસંજ્ઞીભૂત છે, તે ન જાણે-ન દેખે- ગ્રહે. જે સંજ્ઞીભૂત છે, તે બે ભેદે - ઉપયુક્ત અને અનુપયુક્ત, તેમાં જે અનુપયુક્ત છે, તે ન જાણે - ન દેખે - ગ્રહે. તેમાં જે ઉપયુક્ત છે, તે જાણે - દેખે - ગ્રહે. તેથી. ગૌતમ ! એ પ્રમાણે પૂર્વવત્ કહ્યું. વ્યંતર અને જ્યોતિષ્કને નૈરયિકવત્ જાણવા. ભગવદ્ ! શું વૈમાનિક, તે નિર્જરા પુદ્ગલોને જાણે ? ઈત્યાદિ પ્રશ્ન. માકન્દીપુત્ર ! મનુષ્યવત્ જાણવુ. વિશેષ એ કે - વૈમાનિકો બે ભેદે છે- 1. માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક, 2. અમાયી-સમ્યગદૃષ્ટિ ઉપપત્રક. તેમાં જે માયી. મિથ્યાદૃષ્ટિ છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. જે અનાયી સમ્યગુદૃષ્ટિ છે, તે બે ભેદે - અનંતરોપપન્નક, પરંપરોપપત્રક તેમાં જે અનંતરોપપન્નક છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. તેમાં જે પરંપરોપપન્નક છે, તે બે ભેદે - પર્યાપ્તા, અપર્યાપ્તા. તેમાં જે અપર્યાપ્ત છે તે ન જાણે - ન જુએ - ગ્રહે. જે પર્યાપ્તા છે તે બે ભેદે - ઉપયુક્ત, અનુપયુક્ત. તેમાં જે અનુપયુક્ત છે, તે ન જાણે - ન જુએ - ગ્રહે. પણ જે ઉપયુક્ત છે, તે જાણે - જુએ અને આહારરૂપે ગ્રહણ કરે. સૂત્ર-૭૩૦ ભગવદ્ ! બંધ કેટલા ભેદે છે? હે માકંદિક પુત્ર ! બે ભેદે -દ્રવ્યબંધ, ભાવબંધ. ભગવન્! દ્રવ્યબંધ કેટલા ભેદે છે ? માકંદિપુત્ર ! બે ભેદે –પ્રયોગબંધ, વીસસાબંધ. ભગવન્! વીસસાબંધ કેટલા ભેદે છે? માકંદિકપુત્ર ! બે ભેદે - સાદી વિસસાબંધ, અનાદિ વિસસાબંધ. ભગવન્! પ્રયોગબંધ કેટલા ભેદે છે? બે - શિથિલ બંધનબંધ, ઘન બંધનબંધ. ભગવદ્ ! ભાવબંધ, કેટલા ભેદે છે ? માકંદિક પુત્ર ! બે ભેદે - મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. ભગવન્! નૈરયિકને કેટલા ભેદે ભાવબંધ છે? માકંદિક પુત્ર ! બે ભેદે - મૂલ પ્રકૃતિબંધ, ઉત્તર પ્રકૃતિબંધ. એ પ્રમાણે વૈમાનિક સુધી જાણવુ. ભગવન્! જ્ઞાનાવરણીયકર્મનો ભાવબંધ કેટલા ભેદે ? માકંદિકપુત્ર ! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, ઉત્તરપ્રકૃતિબંધ. ભગવન્! નૈરયિકને જ્ઞાનાવરણીય કર્મનો ભાવબંધ કેટલા ભેદે છે ? માકંદિકપુત્ર! બે ભેદે - મૂલપ્રકૃતિબંધ, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 100