Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સલેશ્ય યાવત્ શુક્લલેશ્યનું કથન આહારકવત્ છે. માત્ર જેને જે લેગ્યા હોય તે કહેવી. અલેશ્ય, નોસંજ્ઞીનોઅસંજ્ઞીવતું જાણવા. સમ્યગદષ્ટિ, અણાહારકવત્ છે. મિથ્યાદષ્ટિ, આહારક માફક છે. સમ્યમિથ્યાદૃષ્ટિમાં એકેન્દ્રિય અને વિકલેન્દ્રિયને વર્જીને કથંચિત ચરમ, કથંચિત અચરમ છે, બહુવચનમાં ચરમ પણ છે, અચરમ પણ છે. સંયત જીવ અને મનુષ્ય, આહારકવત્ છે. અસંયત પણ તેમજ છે. સંયતાસંયત પણ તેમજ છે. માત્ર છે જેને હોય તે કહેવું. નોસંયત-નોઅસંયત-નોસંયતાસંયતને, નોભવસિદ્ધિક-નોઅભવસિદ્ધિક માફક જાણવા. સકષાયી યાવતુ લોભકષાયી સર્વસ્થાનોમાં આહારકવતુ છે. અકષાયી અને સિદ્ધમાં ચરમ નથી, અચરમ છે. મનુષ્યપદમાં કથંચિત ચરમ, કથંચિત અચરમ છે. જ્ઞાની, સર્વત્ર સમ્યગદષ્ટિ સમાન છે, આભિનિબોધિક જ્ઞાની યાવત્ મન:પર્યવજ્ઞાની, આહારકવત્ છે. માત્ર જેને જે હોય તે કહેવું. કેવલજ્ઞાની, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીવત્, અજ્ઞાની યાવત્ વિર્ભાગજ્ઞાની, આહારકવતું. સયોગી યાવત્ કાયયોગી, આહારકવતુ, જેને જે યોગ હોય તે કહેવો. અયોગી, નોસંજ્ઞી-નોઅસંજ્ઞીવત્ કહેવા. સાકારોપયુક્ત અને અનાકારોપયુક્ત, અનાહારકવત્ છે. સવેદક યાવત્ નપુંસકવેદક, આહારકવત્ છે. અવેદક, અકષાયી માફક જાણવા. સશરીરી યાવતુ કાર્મણશરીરી, આહારકવતુ છે. માત્ર છે જેને હોય તે કહેવું. અશરીરી, નોભવસિદ્ધિક-નોઅભવ સિદ્ધિકવત છે. પાંચ પર્યાપ્તિથી પર્યાપ્ત, પાંચ અપર્યાપ્તિથી અપર્યાપ્ત આહારકવત્ છે. સર્વત્ર એકવચન-બહુવચનમાં દંડકો કહેવા - અહી લક્ષણ ગાથા બતાવેલ છે 725. જે જીવ, જે ભાવને પુનઃ પ્રાપ્ત કરશે તે, તે ભાવથી અચરમ થશે. જેનો જે ભાવથી અત્યંત વિયોગ થશે તે, તે ભાવે ચરમ થશે. 726. ભગવદ્ ! આપ કહો છો, તે એમ જ છે, એમ જ છે કહી વિચરે છે. શતક-૧૮, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક.૧૮, ઉદ્દેશો.૨ વિશાખા સૂત્ર૭૨૭ તે કાળે, તે સમયે વિશાખા નામે નગરી હતી. બહુપુત્રિક ચૈત્ય હતું. (નગરી અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્ર મુજબ કરવું). ભગવંત મહાવીર સ્વામી પધાર્યા યાવત્ પર્ષદા પર્યાપાસે છે. - તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજપાણી, પુરંદર, આદિ શતક-૧૬, ઉદ્દેશા-૨ મુજબ તે રીતે દિવ્ય આવ્યો. વિશેષ એ કે - આભિયોગિક દેવો હતા. યાવતુ બત્રીશવિધ નાટ્યવિધિ દેખાડી. દેખાડીને યાવત્ પાછો ગયો. ભન્ત! એમ સંબોધી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને યાવતુ આમ કહ્યું - જેમ શતક-૩માં ઈશાનેન્દ્રનું વર્ણન છે, તેમજ કૂટાગાર દૃષ્ટાંત, તેમજ પૂર્વભવ પૃચ્છા છે યાવત્ તે દિવ્ય ઋદ્ધિ અભિમુખ થઈ? ગૌતમ દિને સંબોધીને ભગવંત મહાવીરે, ગૌતમસ્વામીને આમ કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે આ જ જંબુદ્વીપ દ્વીપમાં ભરતક્ષેત્રમાં હસ્તિનાપુર નામે નગર હતું. સહસ્રામ્રવન ઉદ્યાન હતું. તે હસ્તિનાપુર નગરમાં કાર્તિક નામે શ્રેષ્ઠી રહેતો હતો. તે ધનાઢ્ય યાવત્ અપરિભૂત હતો. વણિકોમાં અગ્ર સ્થાને હતો. તે 1008 વણિકોમાં ઘણા જ કાર્યોમાં, કારણોમાં, કુટુંબમાં પૂછવા યોગ્ય હતો, એ પ્રમાણે યાવત્ જેમ રાયડૂસેણઈયમાં ચિત્તસારથીને વર્ણન છે તેમજ યાવત્ ચક્ષુભૂત હતો. તે 1008 વણિકનું આધિપત્ય કરતો યાવત્ પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 97