Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્રપ૮૬ ભગવન્અસુરેન્દ્ર અસુરરાજ ચમરનો ચમરચંચા નામે આવાસ ક્યાં છે? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતની દક્ષિણમાં તિર્જા અસંખ્ય દ્વીપસમુદ્ર ગયા પછી આદિ જેમ શતક-૨માં સભા ઉદ્દેશકની વક્તવ્યતા છે, તે સંપૂર્ણ જાણવી. વિશેષ એ કે અહી ઉત્પાત પર્વતનું નામ તિગિચ્છકૂટ છે, ચમરચંચા રાજધાની છે, ચમરચંચ નામે આવાસપર્વત છે અને અન્ય ઘણા દ્વીપ આદિ સુધી બાકી બધું વર્ણન કરવું યાવત્ 3,16,227 યોજન, 3 ગાઉં, 228 ધનુષ અને વિશેષાધિક સાડાતેર અંગુલ પરિધિ છે. તે ચમરચંચા રાજધાનીની દક્ષિણ-પશ્ચિમમાં 655 કરોડ, ૩પ-લાખ, 50 હજાર યોજન દૂર અરુણોદક સમુદ્રમાં તીર્થો જઈને આ અસુરેન્દ્ર અસુરકુમાર રાજ ચમરના ચમરચંચા નામે આવાસ પર્વત છે. તે 84,000 યોજના લાંબો છે, પરિધિ 2,65,632 યોજનની અધિક છે. આ આવાસ એક પ્રાકાર વડે ચોતરફથી ઘેરાયેલ છે, તે પ્રાકાર ઊંચાઈમાં 150 યોજન છે, આ રીતે ચમરચંચા રાજધાનીની વક્તવ્યતા સભાને છોડીને યાવત્ ચાર પ્રાસાદ પંક્તિઓ. છે સુધી કહેવી. ભગવદ્ ! શું અસુરેન્દ્ર અસુરરાજ ચમર, શું તે ચમરચંચ આવાસમાં રહે છે? આ અર્થ સમર્થ નથી. ભગવન્! તો કયા કારણથી અમરેન્દ્રનો આવાસ ‘ચમરચંચ આવાસ કહેવાય છે? ગૌતમ ! જેમ આ મનુષ્યલોકમાં ઉપકારીલયન, ઉદ્યાન-લયન, નિર્યાણિયલયન, ધારાવારિકલયન હોય છે, ત્યાં ઘણા મનુષ્યો, માનુષીઓ બેસે છે, સૂવે છે આદિ જેમ રાયપ્પલેણઈય સૂત્રમાં કહ્યું છે તેમ યાવત્ કલ્યાણ ફળવૃત્તિ વિશેષ અનુભવતા વિચરે છે, પણ તેઓ. નિવાસ સ્થાન અન્યત્ર સ્વીકારે છે, એ પ્રમાણે ગૌતમ ! ચમરેન્દ્રનો ‘ચમરચંચ આવાસ કેવળ ક્રિડારતિપ્રતિક છે, પણ નિવાસ અન્યત્ર કરે છે માટે પૂર્વવત્ કહ્યું. ભગવદ્ ! તે એમ જ છે. તે એમ જ છે. સૂત્ર-૫૮૭, 588 587. ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અન્ય કોઈ દિને રાજગૃહી નગરીના ગુણશીલચૈત્યથી યાવત્ વિહાર કર્યો તે કાળે, તે સમયે ચંપા નગરી હતી, પૂર્ણભદ્ર ચૈત્ય હતું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્ વિચરતા ચંપાનગરીમાં પૂર્ણભદ્ર ચૈત્ય હતું ત્યાં આવ્યા. આવીને યાવત્ વિચરે છે. તે કાળે, તે સમયે સિંધુસૌવીર જનપદમાં વીતીભય નામે નગર હતું. તેની બહાર પૂર્વ દિશામાં મૃગવન ઉદ્યાના હતું. સર્વઋતુક આદિ વર્ણન કરવું. તે વીતિભય નગરમાં ઉદાયન રાજા હતો, તે મહાન હતો આદિ વર્ણન કરવું. તે ઉદાયન રાજાને પ્રભાવતી (તથા પદ્માવતી)નામે રાણી હતી. સુકુમાલ ઇત્યાદિ વર્ણન કરવું. તે ઉદાયના રાજાનો પુત્ર, પ્રભાવતી દેવીનો આત્મજ એવો અભિચિકુમાર હતો. સુકુમાલ હતો યાવત્ શિવભદ્રકુમારવત્ યાવત્ સર્વ સૌખ્ય અનુભવતો વિચરતો હતો. તે ઉદાયન રાજાને કેશીકુમાર નામે ભાણેજ સુકુમાલ યાવત્ સુરૂપ હતો. તે ઉદાયન રાજા સિંધુ સૌવીર પ્રમુખ ૧૬-જનપદોના, વીતીભય પ્રમુખ 363 નગરો અને આકરોનો, મહસેના આદિ દશ મુગટબદ્ધ, તથા છત્ર ચામર, બાલવીઝનકવાળા રાજાનો અને બીજા ઘણા રાજા-ઇશ્વર-તલવર યાવત્ સાર્થવાહ આદિનું આધિપત્ય યાવત્ કરતો, પાલન કરતો હતો. જીવાજીવનો જ્ઞાતા એવો શ્રાવક હતો યાવત્ વિચરતો હતો.(અહી નગરી, ચૈત્ય, રાજા, રાણી, કુમાર વગેરે બધું વર્ણન ઉજવાઈ સૂત્રાનુસાર જાણવું. ત્યારે તે ઉદાયન રાજા અન્ય કોઈ દિવસે પૌષધશાળામાં આવ્યો. શંખ શ્રાવક માફક વિચરવા લાગ્યો. ત્યારે તે ઉદાયનને મધ્યરાત્રિએ ધર્મજાગરિકાથી જાગતા આ આવા પ્રકારનો મનોગત યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - તે ગ્રામ, આકર, નગર, ખંડ, કર્બટ, મડંબ, દ્રોણમુખ, પટ્ટણ, આશ્રમ, સંબાહ, સંનિવેશાદિ ધન્ય છે, જ્યાં શ્રમણ ભગવંત મહાવીર વિચરે છે. તે રાજા, ઇશ્વર, તલવર યાવતુ સાર્થવાહ વગેરે ધન્ય છે, જે ભગવંતને વાંદી, નમી, સેવે છે. જો શ્રમણ ભગવંત મહાવીર પૂર્વાનુપૂર્વી ચાલતા, ગામ-ગામ યાવત્ વિચરતા, અહીં આવે, અહીં સમોસરે, આ. વીતીભય નગરની બહાર મૃગવન ઉદ્યાનમાં યથાપ્રતિરૂપ અવગ્રહ લઈને સંયમ અને તપ વડે યાવત્ વિચરે, તો હું મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 38