Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! આ ઉષ્ણતાથી અભિહત, તૃષાથી અભિહત, દાવાગ્નિ જવાલાથી અભિહત શાલયષ્ટિકા કાળમાસે કાળ કરીને યાવતું ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! આ જ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં વિંધ્યગિરિના પાદમૂળમાં માહેશ્વરી નગરીમાં શાલ્મલી વૃક્ષરૂપે ફરી ઉત્પન્ન થશે. તે ત્યાં અર્ચિત-વંદિત-પૂજિત યાવત્ લીંપેલ-ગુંપેલ પૂજનિક થશે. ભગવદ્ ! ત્યાંથી અનંતર ઉદ્વર્તીને બાકી શાલવૃક્ષ મુજબ યાવત્ અંત કરશે. ભગવન્આ ઉષ્ણતાથી અભિહત આદિ ઉર્દુબર યષ્ટિકા કાળમાસે કાળ કરીને યાવત્ ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! આ જંબુદ્વીપમાં ભરતક્ષેત્રમાં પાડલિપુત્ર નામક નગરમાં પાડલિવૃક્ષપણે ફરી જન્મ લેશે. તે ત્યાં અર્ચિત, વંદિત યાવત્ થશે. યાવત્ પૂર્વવત્ અંત કરશે. સૂત્ર-૬૨૬, 627. - 626. તે કાળે, તે સમયે અંબડ પરિવ્રાજકના 700 શિષ્યો ગ્રીષ્મકાળ સમયમાં એ પ્રમાણે જેમ ઉવવાઈ સૂત્રમાં કહ્યું તે પ્રમાણે યાવત્ આરાધક થયા. 627. ભગવન્! ઘણા લોકો પરસ્પર એમ કહે છે, એ રીતે નિક્ષે અંબડ પરિવ્રાજક કાંડિલ્યપુર નગરમાં સો. ઘરોમાં એ પ્રમાણે જેમ ‘ઉવવાઈ સૂત્રમાં અંબડનું કથન કર્યું, તેમ દઢપ્રતિજ્ઞા સર્વ દુખોનો અંત કરશે. સૂત્ર-૬૨૮ થી 630 - 628. ભગવન્! શું અવ્યાબાધ દેવ’ અ-વ્યાબાધ દેવ છે? હા, છે. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! પ્રત્યેક અવ્યાબાધ દેવ, પ્રત્યેક પુરુષની, પ્રત્યેક આંખની પલક ઉપર દિવ્ય દેવદ્ધિ, દિવ્ય દેવઘુતિ, દિવ્ય દેવયુક્તિ, દિવ્ય દેવાનુભાગ, દિવ્ય બત્રીશવિધ નૃત્યવિધિ દેખાડવાને સમર્થ છે, એમ કરતા તે દેવ. તે પુરુષને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી, શરીર છેદ કરતો નથી. એટલી સૂક્ષ્મતાથી તે દેવ નાટ્યવિધિ દેખાડી શકે છે. તેથી તે દેવ અવ્યાબાધ દેવ કહેવાય. 629. ભગવદ્ ! શું દેવેન્દ્ર દેવરાજ શક્ર, પોતાના હાથમાં ગ્રહણ કરેલ તલવારથી કોઈ પુરુષનું મસ્તક કાપી કમંડલમાં નાખવા સમર્થ છે? હા, સમર્થ છે. તે આમ કઈ રીતે કરે છે? ગૌતમ ! તે મસ્તકને છેદી-છેદીને નાંખે છે, ભેદી-ભેદીને નાંખે છે, કૂટી-ફૂટીને નાંખે છે, ચૂર્ણ કરી-કરીને નાંખે છે. ત્યારપછી જલદીથી પુનઃ મસ્તક બનાવી દે છે. આ પ્રક્રિયામાં. તે પુરુષને કંઈ પણ આબાધા કે વ્યાબાધા પહોંચાડતો નથી. આ પ્રકારની સૂક્ષ્મતાપૂર્વક મસ્તક કાપીને તે કમંડલુમાં નાંખે છે. 630. ભગવદ્ ! જંભક દેવ, જંભક દેવ છે ? હા, છે. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! જંભક દેવો, નિત્ય પ્રમોદી, અતિ ક્રીડાશીલ, કંદર્પતિ, મોહનશીલ હોય છે. જે કોઈ તે દેવને કુદ્ધ જુએ છે, તે પુરુષ મહાન અપયશ. પામે છે. જે કોઈ તે દેવને સંતુષ્ટ જુએ છે, તે મહાયશને પામે છે. તેથી હે ગૌતમ! જંભક દેવો છે. ભગવન જંભક દેવો કેટલા ભેદે છે, ગૌતમ ! દશ ભેદે - અન્નજંભક, પાનજંભક, વસ્ત્રજંભક, લયનજંભક, શયનથંભક, પુષ્પભ્રંભક, ફળફંભક, પુષ્પફળઝુંભક, વિદ્યાવૃંભક, અવ્યક્તશૃંભક. ભગવન્! જંભક દેવો ક્યાં નિવાસ કરે છે ? ગૌતમ ! બધા દીર્ઘ વૈતાઢ્યોમાં, ચિત્ર-વિચિત્ર-યમકપર્વતોમાં, કાંચન ગિરિમાં, અહીં જંભક દેવો નિવાસ કરે છે. ભગવન્! જંભક દેવોની કેટલી કાળ સ્થિતિ છે? ગૌતમ ! એક પલ્યોપમ. ભગવન્! આપ કહો છે, તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૯ “આણગાર' સૂત્ર-૬૩૧ ભગવન્! ભાવિતાત્મા અણગાર. જે પોતાની કર્મલેશ્યાને ન જાણે, ન જુએ તે શું સરૂપી અને સકર્મલેશ્યને મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 52