Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ પછી જ્યાં કોલ્લાગ સંનિવેશ હતુ ત્યાં આવ્યો, ત્યારે તે કોલ્લાગ સંનિવેશની બહાર ઘણા લોકોને પરસ્પર એમ કહેતા. યાવત્ પ્રરૂપતા સાંભળ્યા. હે દેવાનુપ્રિયો! બહુલ બ્રાહ્મણ ધન્ય છે, ઇત્યાદિ યાવત્ તેનો જન્મ, જીવિત સફળ છે. ત્યારે તે ગોશાલક મંખલિપુત્ર ઘણા લોકો પાસે આ અર્થ સાંભળી, અવધારીને આ - આવા પ્રકારનો તેને મનોગત સંકલ્પ યાવતુ ઉત્પન્ન થયો. મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવાન મહાવીરની જેવી ઋદ્ધિ, ધૃતિ, યશ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ લબ્ધ-પ્રાપ્તી અને અભિસન્મુખ થયેલ છે, તેવી બીજા કોઈ તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણની ઋદ્ધિ, ધૃતિ યાવત્ પરાક્રમ લબ્ધ-પ્રાપ્ત-અભિસન્મુખ થયેલ નથી. તેથી નિઃસંદેહ આ મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક, શ્રમણ ભગવંત મહાવીર અહીં જ હશે, એમ કરીને કોલ્લાગ સંનિવેશના અંદર-બહાર, ચારે તરફ મારી માર્ગણા-ગવેષણા કરી, મને ચોતરફ શોધતા કોલ્લાગ સંનિવેશની બાહ્ય પ્રણિતભૂમિમાં મારી સન્મુખ આવી મળ્યો. ત્યારે તે ગોશાળો હર્ષિત-સંતુષ્ટ થઈ મને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ નમન કરીને આમ કહ્યું - હે ભગવન! તમે મારા ધર્માચાર્ય છો, હું તમારો શિષ્ય છું. ત્યારે હે ગૌતમ! મેં ગોશાળાની આ વાતનો સ્વીકાર કર્યો. ત્યારપછી હે ગૌતમ ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે પ્રણિત ભૂમિમાં છ વર્ષ સુધી લાભ-અલાભ, સુખ-દુઃખ, સત્કાર-અસત્કારને અનુભવતો અનિત્ય જાગરિકા કરતો વિચર્યો. સૂત્ર-૬૪૦ ત્યારપછી હે ગૌતમ ! હું અન્ય કોઈ દિવસે પ્રથમ શરદકાળ સમયમાં જ્યારે. અલ્પવૃષ્ટિ થયેલ ત્યારે. ગોશાળા સાથે સિદ્ધાર્થગ્રામ નગરથી કુર્મારગ્રામ નગરે વિહાર કરવા નીકળ્યો, તે સિદ્ધાર્થગ્રામ નગરથી કુર્મારગ્રામ નગરના અંતરમાં એક મોટો તલનો છોડ, પુષ્પ-પત્ર યુક્ત હર્યોભર્યો, શ્રી વડે અતિ શોભતો રહેલો હતો. ત્યારે તે ગોશાળાએ તલનો છોડ જોઈને, મને વંદન-નમસ્કાર કરીને આમ પૂછ્યું કે, હે ભગવન્! આ તલનો છોડ નિષ્પન્ન થશે. કે નહીં? આ સાત તલપુષ્પ જીવો મરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ત્યારે મેં કહ્યું. આ તલનો છોડ નિષ્પન્ન થશે, આ સાત તલ પુષ્પ મરીને આ જ તલના છોડમાં સાત તલરૂપે ઉત્પન્ન થશે. ત્યારે તે ગોશાળાએ મેં આમ કહેતા, આ વાતની શ્રદ્ધા ન કરી, પ્રતીતિ ન કરી, રૂચી ન કરી, આ કથનની અશ્રદ્ધા, અપ્રીતિ, અરુચી કરીને મારા નિમિત્તે “આ મિથ્યાવાદી થઈ જાય તેમ વિચારીને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો, સરકીને જ્યાં તલનો છોડ હતો ત્યાં ગયો. જઈને તે તલના છોડને માટી સહિત સમૂલ ઉખાડીને એકાંતે ફેંકી દીધો. હે ગૌતમ ! તે જ ક્ષણે દિવ્ય વાદળો પ્રગટ થયા, ત્યારપછી તે દિવ્ય વાદળ જલદીથી ગરજવા. લાગ્યા, તુરંત જ વિજળીઓ થવા લાગી, શીઘ્રતાથી અતિ માટી કે અતિ પાણી ન થાય તે રીતે પાણીની બુંદો વરસી, રજ અને ધૂળને શાંત કરી દીધી, દિવ્ય સલીલ-ઉદક વર્ષા વરસી, જ્યાં તે તલનો છોડ રહેલો, તે ત્યાં જ ચોંટી ગયો, ત્યાં જ બદ્ધમૂલ થઈને ત્યાં જ સ્થિર થઈ ગયો. તે સાત તલપુષ્પના જીવો મરીને ફરી તે જ તલના છોડમાં એક તલફલિકામાં સાત તલરૂપે ઉત્પન્ન થયા. સૂત્ર-૬૪૧ થી 64 641. ત્યારપછી હે ગૌતમ ! હું ગોશાલક મંખલિપુત્ર સાથે જ્યાં કુંડગ્રામનગર હતું ત્યાં આવ્યો, ત્યારે તે કુંડગ્રામ નગરની બહાર વૈશ્યાયન નામે બાલ તપસ્વી નિરંતર છટ્ટ-છના તપકર્મ સાથે બે હાથને ઊંચા કરી-કરીને સૂર્યાભિમુખ રહી, આતપના ભૂમિમાં આતાપના લેતો વિચરતો હતો. સૂર્યના તેજથી તપેલી તે જુઓ ચોતરફ પડતી. હતી. પ્રાણ-ભૂત-જીવ-સત્ત્વની અનુકંપાથી તે પડતી એવી “જુને વારંવાર ઉપાડીને માથામાં પાછી મૂકતો હતો. ત્યારે તે ગોશાળાએ વૈશ્યાયન બાલતપસ્વીને જોયો, જોઈને મારી પાસેથી ધીમે-ધીમે પાછળ સરક્યો સરકીને જ્યાં વૈશ્યાયન બાલતપસ્વી હતો, ત્યાં ગયો, જઈને બાલતપસ્વીને આમ કહ્યું. શું તમે તત્વજ્ઞ કે તપસ્વી મુનિ છો કે “જુના સજ્જાતર છો ? ત્યારે તે વૈશ્યાનને ગોશાળાના આ કથનનો આદર ન કર્યો. સ્વીકાર્યું નહીં. પણ મૌના રહ્યો. ત્યારે તે ગોશાળાએ, વૈશ્યાયનને બે ત્રણ વખત આમ પૂછ્યું કે શું તમે તત્વજ્ઞ કે મુનિ યાવત્ શય્યાતર છો? મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 58