Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5 “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૭ સૂત્ર-૬૯૩ ભગવતી શ્રુતદેવતાને નમસ્કાર થાઓ. આ શતકના ઉદ્દેશાના નામો એક ગાથા દ્વારા જણાવે છે- કુંજર, સંયત, શૈલેશી, ક્રિયા, ઈશાન, પૃથ્વી, પૃથ્વી, અપૂ. અપુ, વાયુ, વાયુ, એકેન્દ્રિય, નાગ, સુવર્ણ, વિદ્યુતું. વાયુ, અગ્નિ. શતક-૧૭, ઉદ્દેશો-૧ કુંજર' સૂર-૬૯૫ - રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ કહ્યું - ભગવદ્ ! ઉદાયી હસ્તિરાજ ક્યાંથી અનંતર ઉદ્વર્તીને ઉદાયી હસ્તિરાજપણે ઉત્પન્ન થયો. ગૌતમ! અસુરકુમાર દેવમાંથી અનંતર ઉદ્વર્તીને ઉદાયી હસ્તિરાજપણે ઉપન્યો. ભગવન્! ઉદાયી હસ્તિરાજ કાળમાસે કાળ કરીને ક્યાં જશે ? ક્યાં ઉત્પન્ન થશે ? ગૌતમ ! આ રત્નપ્રભા. પૃથ્વીમાં ઉત્કૃષ્ટ સાગરોપમ સ્થિતિવાળા નરકાવાસમાં નૈરયિકપણે ઉપજશે. ભગવનતે ત્યાંથી અનંતર ઉદ્વર્તીને ક્યાં જશે ? ક્યાં ઉપજશે? ગૌતમ ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવતુ સર્વે દુઃખોનો. અંત કરશે. ભગવનું ! ભૂતાનંદ હસ્તિરાજ ક્યાંથી અનંતર ઉદ્વર્તીને ભૂતાનંદ હસ્તિરાજપણે, એ પ્રમાણે ઉદાયીની માફક જાણવું યાવત્ તે અંત કરશે ? સૂત્ર-૬૯૬ ભગવદ્ ! કોઈ પુરુષ તાડના વૃક્ષ ઉપર ચઢી, પછી તે તાડથી તાડના ફળને હલાવે કે પાડે, તો તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ તાડવૃક્ષે ચડી, તાડના ફળને હલાવે કે પાડે, ત્યાં સુધી તે પુરુષને કાયિકી યાવતુ પાંચ ક્રિયા સ્પર્શે છે. જે જીવોના શરીરથી તાડવૃક્ષ, તાડફળ ઉત્પન્ન થયેલ છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચ ક્રિયા લાગે. ભગવન્તે તાડફળ પોતાના ભારથી યાવત્ નીચે પડે છે, તેનાથી જે જીવ યાવત્ જીવનથી રહિત થાય છે, તેનાથી તે પુરુષને કેટલી ક્રિયા લાગે ? ગૌતમ ! યાવત્ તે ફળ વડે જીવો જીવનરહિત થાય તેટલામાં તે પુરુષને કાયિકી યાવત્ ચાર ક્રિયાઓ પૃષ્ટ થાય. જે જીવોના શરીરથી તાડફળ બન્યું છે, તે જીવોને કાયિકી યાવત્ પાંચે ક્રિયા સ્પર્શે. જે જીવ નીચે પડતા તાડફળને માટે સ્વાભાવિક રૂપે ઉપકારક હોય છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ લાગે. ભગવન્! કોઈ પુરુષ વૃક્ષના મૂળને હલાવે કે નીચે પાડે તો તેને કેટલી ક્રિયાઓ લાગે ? ગૌતમ ! જ્યાં સુધી તે પુરુષ વૃક્ષના મૂળને હલાવે કે પાડે ત્યાં સુધી, તે પુરુષને કાયિકી યાવતુ પાંચે ક્રિયાઓ સ્પર્શે. જે જીવોના શરીરોથી મૂળ યાવત્ બીજ નિષ્પન્ન થયા છે, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયાઓ લાગે. ભગવદ્ ! તે મૂલ પોતાના ભારથી યાવત્ જીવનરહિત થાય, ત્યારે હે ભગવન્ ! તે પુરુષને કેટલી ક્રિયાઓ લાગે ? ગૌતમ ! જ્યાં સુધી તે મૂલ પોતાના ભારથી યાવત્ જીવનરહિત થાય, ત્યાં સુધી તે પુરુષને કાયિક આદિ ચાર ક્રિયાઓ લાગે. જે જીવોના શરીરથી તે કંદ યાવત્ બીજ નિષ્પન્ન થયા છે, તે જીવોન કાયિકી આદિ ચાર ક્રિયાઓ લાગે. જે જીવોના શરીરથી મૂલ નિષ્પન્ન થયેલ છે, તે જીવોને કાયિકી આદિ પાંચ ક્રિયા સ્પર્શે, જે જીવ પડતા એવા મૂલના. સ્વાભાવિક ઉપકારક હોય, તે જીવોને પણ કાયિકી આદિ પાંચે ક્રિયા લાગે છે. ભગવન્કોઈ પુરુષ વૃક્ષના કંદને હલાવે અથવા નીચે પાડે, તો તેને કેટલી ક્રિયાઓ લાગે ? ગૌતમ ! તે પુરુષને યાવતુ પાંચ ક્રિયાઓ સ્પર્શે છે. જે જીવોના શરીરથી મૂલ યાવતુ બીજ નિષ્પન્ન થયા હોય, તે જીવોને યાવત્ પાંચ ક્રિયાઓ સ્પર્શે. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 88