Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવન્આ રત્નપ્રભા પૃથ્વીના પૂર્વીય ચરમાંતમાં જીવ છે? પ્રશ્ન. ગૌતમ ! જીવ નથી. એ પ્રમાણે જેમ લોકના કહ્યા તેમ ચારે ચરમાંતો યાવત્ ઉત્તરીય સુધી કહેવા. ઉપરીતનને જેમ દશમાં શતકમાં વિમલા દિશામાં કહ્યું, તેમ બધુ કહેવુ. અધઃસ્તન ચરમાંતમાં તેમજ કહેવું. વિશેષ એ કે - પંચેન્દ્રિયના ત્રણ ભંગો કહેવા. બાકી પૂર્વવતું. રત્નપ્રભા પૃથ્વીના ચારે ચરમાંતો કહ્યા, એ રીતે શર્કરા પ્રજાના પણ ચાર ચરમાંતો કહેવા. રત્નપ્રભાના અધઃસ્તન ચરમાંત સમાન શર્કરામભાપૃથ્વીના ઉપરીતન અને અધઃસ્તન ચરમાંતની વક્તવ્યતા કહેવી. આ પ્રમાણે અધઃસપ્તમી પૃથ્વીના ચરમાંતો સુધીના વિષયમાં કહેવું. એ પ્રમાણે સૌધર્મ યાવતુ અચુતમાં કહેવું. રૈવેયકમાં પણ એમ જ કહેવું. વિશેષ એ કે - તેમાં ઉપરીતન અને અધઃસ્તન ચરમાંત વિષયમાં, જીવ દેશોના સંબંધમાં પંચેન્દ્રિયોમાં પણ વચ્ચેનો ભંગ ન કહેવો. એ રીતે રૈવેયક વિમાનોની જેમ અનુત્તર વિમાનો અને ઈષત્ પ્રાશ્મારા કહેવા. 684. ભગવન્! પરમાણુ પુદ્ગલ, એક સમયમાં લોકના પૂર્વથી પશ્ચિમ ચરમાંત અને પશ્ચિમ ચરમાંતથી પૂર્વ ચરમાંત સુધી, તથા દક્ષિણ ચરમાંતથી ઉત્તર ચરમાંત અને ઉત્તરથી દક્ષિણ ચરમાંત જઈ શકે? ઉપરથી નીચે, નીચેથી ઉપરના ચરમાંતે જઈ શકે? હા, ગૌતમ! જઈ શકે. સૂત્ર-૬૮૫ ભગવનવર્ષા વરસે છે કે નથી વરસતી એ જાણવા કોઈ પુરુષ હાથ, પગ, બાહુ કે ઉરુને સંકોચે કે ફેલાવે તો તેને કેટલી ક્રિયા લાગે? ગૌતમ ! તે પુરુષને કાયિકી યાવતુ પાંચ ક્રિયા સ્પર્શે. સૂત્ર-૬૮૬ ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ લોકાંતે રહીને અલોકમાં હાથ યાવત્ ઉરુને સંકોચવા કે અસારવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્એમ કેમ કહો છો કે તે યાવત્ સમર્થ નથી ? જીવોને આહારોપચિત, શરીરોપચિત અને કલેવરોપચિત પુદ્ગલો હોય છે. પુદ્ગલોને આશ્રીને જીવો કે અજીવોની ગતિપર્યાય કહેલ છે. અલોકમાં જીવ નથી કે પુદ્ગલ નથી, તેથી એમ કહ્યું. ભગવનું ! તે એમ જ છે 2, તે એમ જ છે . શતક-૧૬, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૯ બલીન્દ્ર સૂરણ-૬૮૭ ભગવન્! વૈરોચનેન્દ્ર વૈરોચનરાજ બલિની સુધર્માસભા ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપના મેરુ પર્વતની ઉત્તરે તિર્જા અસંખ્ય યોજના ગયા પછી જેમ ચમરની યાવત્ 42,000 યોજના ગયા પછી ત્યાં બલીન્દ્રનો રુચકેન્દ્ર નામે ઉત્પાત પર્વત છે, તે 1721 યોજન ઊંચો છે ઇત્યાદિ તિગિચ્છિ કૂડવત્ કહેવું પ્રાસાદાવતંસકનું પ્રમાણ પણ તેમજ છે. સિંહાસન, સપરિવાર બલિનો પરિચારનો અર્થ તેમજ છે. વિશેષ એ - રુચકેન્દ્ર પ્રભાદિ છે. બાકી પૂર્વવત્ યાવત્ બલિચંચા રાજધાની અને બીજાનું આધિપત્ય કરે છે યાવત્ રુચકેન્દ્ર ઉત્પાત્ પર્વતની ઉત્તરે 6,5545,50,000 તિહુઁ જતા યાવત્ 40,000 યોજન જતા બલીન્દ્રની રાજધાની છે તેનો વિષ્ફભ એક લાખ યોજન છે, બાકી પૂર્વવત્. યાવત્ બલિપીઠ તથા ઉપપાત થી આત્મરક્ષક સુધી, બધું તે પ્રમાણે સંપૂર્ણ કહેવું. વિશેષ એ કે સાતિરેક સાગરોપમ સ્થિતિ છે. બાકી બલી સુધી પૂર્વવત્ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 86