Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' જેમ કોઈ પુરુષ એરણ ઉપર ધણની ચોંટ મારતો મોટા-મોટા શબ્દોથી યાવતું મહાપર્યવસાનવાળો ન થાય. જેમ કોઈ પુરુષ તરુણ, બલવાન યાવત્ મેધાવી, નિપુણ, શિલ્પોપક હોય, તે એક મોટા શાલ્મલી વૃક્ષની ભીની, અજટીલ, અગઠિલ, અચિક્કણ, અવક્ર, આધાર ઉપર રહેલ ગંડિકા ઉપર તીક્ષ્ણ કૂહાડીથી પ્રહાર કરે તો જોરજોરથી શબ્દો કર્યા વિના, સરળતાથી તેના મોટા-મોટા ટૂકડા કરી દે છે. આ જ પ્રમાણે હે ગૌતમ ! જે શ્રમણ નિર્ચન્થોએ પોતાના કર્મો યથા-બાદર, શિથિલ, નિષ્ઠિત કર્યા હોય યાવત્ જલદીથી નષ્ટ થઈ જાય છે. જેટલા-તેટલામાં યાવત્ મહાપર્યવસાન વાળા થાય છે. હે ગૌતમ ! જેમ કોઈ પુરુષ સૂકા તૃણના પૂળાને યાવત્ અગ્નિમાં નાંખે તો તે જલદી બળી જાય છે, તેમ ઇત્યાદિ શતક-૬માં જેમ કહ્યું તેમ તપેલા લોહ ઉપર જળબિંદુ યાવતું મહાપર્યવસાન વાળા થાય છે. તેથી હે ગૌતમ! એમ કહ્યું કે - અન્નગ્લાયક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મ નિજેરે યાવત્ ક્રોડાક્રોડ વરસે પણ ન ખપાવે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે, યાવત્ વિચરે છે. શતક-૧૬, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૬, ઉદ્દેશો-૫ ગંગદત્ત સૂર-૬૭૩ થી 675 - 173. તે કાળે, તે સમયે ઉલૂકતીર નામે નગર હતું. એકજંબૂક ચૈત્ય હતું. તે કાળે, તે સમયે ભગવંત મહાવીર સ્વામી પધાર્યા, પર્ષદા પાછી ગઈ. નગર અને ચૈત્યનું વર્ણન ઉજવાઈ સૂત્રાનુસાર જાણવું. તે કાળે, તે સમયે દેવેન્દ્ર દેવરાજ શક્ર, વજપાણી, એ રીતે જેમ બીજા ઉદ્દેશામાં કહ્યું, તેમ દિવ્ય યાન વિમાન વડે આવ્યા. યાવતુ જ્યાં શ્રમણ ભગવંત મહાવીર હતા, ત્યાં આવીને યાવત્ નમીને આમ કહ્યું - ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલોને ગ્રહણ કર્યા વિના અહીં આવવાને સમર્થ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! મહર્તુિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને અહીં આવવા સમર્થ છે? હા, સમર્થ છે. ભગવન્! મહદ્ધિક દેવ એ પ્રમાણે આ આલાવાથી ૧.આવવા, ૨.જવા, ૩.બોલવા,ઉત્તર દેવા, ૪.આંખ ખોલવા કે બંધ કરવા, ૫.સંકોચન કે પ્રસારણમાં, ૬.સ્થાન-શચ્યા-નિષદ્યા કરવામાં, ૭.વિકુર્વણા કરવામાં, ૮.પરિચારણા કરવામાં સમર્થ છે? યાવત્ હા, સમર્થ છે. આ આઠ ઉક્ષિપ્ત પ્રશ્નોના ઉત્તરો પૂછ્યા, પૂછીને સંભ્રમપૂર્વક વંદન કર્યા, કરીને તે જ દિવ્ય યાન વિમાનમાં આરૂઢ થઈને, જે દિશાથી આવેલો, તે જ દિશામાં પાછો ગયો. 64. ભગવન્! એમ સંબોધીને ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન, નમન કરીને આમ પૂછયું - અન્ય કોઈ દિવસોમાં હે ભગવન્! દેવેન્દ્ર દેવરાજ શક્ર આપ દેવાનુપ્રિયને વંદન, નમન, સત્કાર, યાવત્ પર્યુપાસના રે છે, પણ હે ભગવન્! આજે શક્રેન્દ્ર આપને આઠ પ્રશ્નોના ઉત્તર પૂછીને સંભ્રાંતતાથી વંદન, નમન યાવત્ કરીને જલદી ચાલ્યો ગયો, તેનું શું કારણ ? ગૌતમાદિને આમંત્રીને ભગવંતે કહ્યું - હે ગૌતમ ! તે કાળે, તે સમયે મહાશુક્ર કલ્પના મહાસામાન્ય નામના વિમાનમાં મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય બે દેવો એક જ વિમાનમાં દેવપણે ઉત્પન્ન થયા. તેમાં એક માયી મિથ્યાદષ્ટિ, બીજો અમારી સમ્યગદષ્ટિ હતો. ત્યારે તે માયીમિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવે, તે અમારી સમ્યગદૃષ્ટિ ઉપપન્નક દેવને આમ કહ્યું - પરિણમતા પુદ્ગલ પરિણત ના કહેવાય, અપરિણત કહેવાય. કેમ કે તે પરિણત થઈ રહ્યા છે. તેથી આવા પુદ્ગલો પરિણત નથી, અપરિણત છે. ત્યારે અમાયી સમ્યગદષ્ટિ દેવે માયી મિથ્યાદષ્ટિ દેવને કહ્યું કે - પરિણમતા પુદ્ગલ પરિણત કહેવાય, અપરિણત નહીં, કેમ કે તે પુદ્ગલો પરિણમી રહ્યા છે, માટે પરિણત છે, અપરિણત નથી. આમ કહીને અમારી સમ્યગુ-દષ્ટિ દેવે, તેને પરાજિત કર્યો. ત્યારે અમારી સમ્યગદષ્ટિ દેવે અવધિજ્ઞાન પ્રયોજીને મને જોયો, જોઈને તેને એવો વિચાર યાવત્ ઉત્પન્ન મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 80