Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' સૂત્ર-૬૭૧ ત્યારે શ્રમણ ભગવંત મહાવીર, અન્ય કોઈ દિવસે રાજગૃહ નગરના ગુણશીલ ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદ વિહારથી વિચરે છે. તે કાળે, તે સમયે ઉલૂકતીર નામે નગર હતું. તે નગરની બહાર ઈશાન ખૂણામાં એક જંબૂ નામે ચૈત્ય હતુ. નગર અને ચૈત્યનું વર્ણન ઉવવાઈ સૂત્રોનુસાર કરવું. ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી ચાલતા યાવત્ એકજંબૂ ચૈત્યે સમોસર્યા યાવત્ પર્ષદા દર્શનાર્થે આવી, ધર્મ શ્રવણ કરી પાછી ગઈ. ભગવન્! એમ સંબોધીને ગૌતમસ્વામીએ ભગવંતને વંદન, નમસ્કાર કર્યા. વાંદી-નમીને કહ્યું કે - ભગવનું ! ભાવિતાત્મા અણગાર નિરંતર છઠ્ઠ તપ કરતા યાવત્ આતાપના લેતા, દિવસના પૂર્વાદ્ધમાં પોતાના હાથ, પગ, બાજુ કે જંઘાને સંકોચવું કે પ્રસારવું ન કલ્પે, પણ પશ્ચિમાદ્ધમાં પોતાના હાથ, પગ યાવત્ જંઘાને સંકોચવી કે પ્રસારવી કલ્પ છે. તેને લટકતા મશા હોય, કોઈ વૈદ્ય, તે જુએ, ઋષિને ભૂમિ ઉપર સૂવડાવે, પછી મશાને કાપે. હે ભગવન્! જે છેદે તેને કેટલી ક્રિયા લાગે ? જેના મશા છેદાય તેને એક ધર્માતરાય સિવાય બીજી ક્રિયા ન લાગે? હા, ગૌતમ ! તેમજ છે. યાવત્ અણગારને ધર્માન્તરાય થાય છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૬, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ અપા. શતક-૧૬, ઉદ્દેશો-૪ જાવંતિય સૂત્ર-૬૭૨ રાજગૃહ નગરમાં યાવત્ ગૌતમસ્વામીએ આમ પૂછ્યું - ભગવદ્ ! હંમેશા ગ્લાન(અમનોજ્ઞ) આહાર કરનાર શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, શું તેટલા કર્મ નરકોમાં નૈરયિક એક વર્ષમાં, અનેક વર્ષોમાં, સો વર્ષોમાં ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! ચોથભક્ત કરનાર શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મોની નિર્જરા કરે, એટલા કર્મો નરકમાં નૈરયિક સો. વર્ષોમાં, અનેક સો વર્ષોમાં, હજાર વર્ષોમાં, લાખ વર્ષોમાં ખપાવે છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! છઠ્ઠભક્તિક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મો નિર્જરે એટલા કર્મો નરકમાં નૈરયિક હજાર વર્ષમાં, હજારો વર્ષમાં, લાખ વર્ષોમાં ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! અષ્ટમભક્તિક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મો ખપાવે, એટલા કર્મો નરકમાં નૈરયિક લાખ વર્ષે લાખો વર્ષે કરોડ વર્ષે ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્દશમ ભક્તિક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મો નિજરે એટલા કર્મો નરકમાં નૈરયિક કરોડ વર્ષે કરોડો વર્ષે, કોડાકોડી વર્ષે ખપાવે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવદ્ ! એમ કેમ કહો છો ? અન્નગ્લાયક શ્રમણ નિર્ચન્થ જેટલા કર્મો નિર્જરે એટલા કર્મ નરકમાં નૈરયિક એક વર્ષે અનેક વર્ષોમાં, સો વર્ષમાં કે હજાર વર્ષમાં ન ખપાવે, ચતુર્થભક્તિક જેટલા ઇત્યાદિ પૂર્વોક્ત કથન કહેવું યાવત્ કોડાકોડી વર્ષે ન ખપાવે ? ગૌતમ ! જેમ કોઈ વૃદ્ધ પુરુષ, જરા જર્જરીત દેહવાળો, જેની ચામડી શિથિલ હોવાથી સંકોચાઈને કરચલીવાળી થઈ હોય, દાંતની પંક્તિ ઘણા દાંતો પડી જવાથી, થોડા દાંત રહ્યા હોય, જે ગરમી અને તરસથી પીડાતો હોય, જે આતુર, ભૂખ્યો, તરસ્યો, દુર્બળ, કલોત હોય તેવો વૃદ્ધ એક મોટા કોશાંબ વૃક્ષની સૂકી–જટીલ-ગંઠિલ-ચીકણીવાંકી-નિરાધાર ચંડિકા ઉપર કુંઠિત પરસુ વડે પ્રહાર કરે, તે વખતે તે પુરુષ મોટા મોટા અવાજો કરે તો પણ તે લાકડીના મોટા-મોટા ટુકડા ન કરી શકે, આ પ્રમાણે હે ગૌતમ ! નૈરયિકોએ પોતાના પાપકર્મો ગાઢ કર્યા હોય, ચીકણા કર્યા હોય એ પ્રમાણે છઠ્ઠા શતક મુજબ યાવત્ મહાપર્યવસાણા(મોક્ષરૂપ ફળવાળા) ન થાય. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 79