Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાંતક ઉત્પન્ન થયો છે, ઉજ્જવલ વેદના છે યાવત્ છદ્મસ્થપણે કાળ કરશે. અન્યતીર્થિકો કહેશે કે છદ્મસ્થપણે જ કાળધર્મ પામ્યા, આવા પ્રકારના મહા મનોમાનસિક દુઃખથી અભિભૂત થઈને આતાપના ભૂમિથી ઊતર્યા. ઊતરીને માલુકાકચ્છ આવ્યા, તેમાં પ્રવેશ્યા. પ્રવેશીને મોટા મોટા શબ્દોથી અવાજથી. કુહૂકુહુ કરતા જોર-જોરથી. રડવા લાગ્યા. હે આર્યો ! એમ આમંત્રીને ભગવંત મહાવીરે શ્રમણ નિર્ચન્થોને આમંત્રીને આ પ્રમાણે કહ્યું - ખરેખર, હે આર્યો! મારા શિષ્ય સિંહ અણગાર પ્રકૃતિભદ્રક ઇત્યાદિ બધું કહેવું યાવતુ તે મોટેમોટેથી રડી રહ્યા છે તો હે આર્યો ! જાઓ. તમે સિંહ અણગારને બોલાવો. ત્યારે તે શ્રમણ નિર્ચન્થો ભગવંત દ્વારા આમ કહેવાતા ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. કરીને ભગવંત પાસેથી શાણકોષ્ઠ ચૈત્યથી નીકળ્યા, નીકળીને માલુકાકચ્છમાં સિંહ અણગાર પાસે આવ્યા. આવીને સિંહ અણગારને આમ કહ્યું - હે સિંહ ! ધર્માચાર્ય તમને બોલાવે છે. ત્યારે તે સિંહ અણગાર શ્રમણ નિર્ચન્થ સાથે માલુકાકચ્છથી નીકળ્યા. નીકળીને શાણકોષ્ઠક ચૈત્ય ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી યાવત્ પય્પાસના કરી. સિંહાદિને આમંત્રી ભગવંત મહાવીર સિંહ અણગારને આમ કહ્યું - હે સિંહ! ધ્યાનાંતરિકામાં વર્તતા તને આવા પ્રકારનો સંકલ્પ થયો યાવતુ તું રડવા લાગ્યો. હે સિંહ ! આ અર્થ સમર્થ છે. હા, છે. હે સિંહ! ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે યાવત્ હું કાળ કરવાનો નથી. હું બીજા સાડા પંદર વર્ષ ગંધહસ્તિ માફક જિનરૂપે વિચરીશ. તો હે સિંહ ! તું, મેંઢિકગ્રામ નગરે રેવતી ગાથાપત્નીના ઘરે જા, ત્યાં રેવતીએ મારા માટે કોહલાના બે ફળ સંસ્કારિત કરેલા છે. તેનું મારે પ્રયોજન નથી, પરંતુ તેને ત્યાં માર્જીરા નામક વાયૂપશાંતક બિજોરાપાક કાલે તૈયાર કરેલ છે તે લઈ આવ, મારે તેનું પ્રયોજન છે. ત્યારે તે સિંહ અણગાર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા, હર્ષિત સંતુષ્ટ યાવત્ આનંદિત હૃધ્ય થઈ શ્રમણ ભગવંતને વાંદી, નમી અત્વરિત-અચપળ-અસંભ્રાંતપણે મુહપત્તિ પડિલેહે છે. પછી ગૌતમસ્વામી માફક યાવત્ શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરી, તેમની પાસેથી શાણકોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને અત્વરિત યાવતુ મેંઢિકગ્રામ નગરે આવ્યા. આવીને મેંઢિકગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને રેવતી ગાથાપત્નીનું ઘર હતું, ત્યાં આવીને તેણીના ઘરમાં પ્રવેશ્યા. ત્યારે તે રેવતી ગાથાપત્ની સિંહ અણગારને આવતા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને જલદીથી આસનથી ઊભી થઈ, પછી સિંહ અણગાર પ્રતિ સાત-આઠ પગલા સામે ગઈ, જઈને તેમને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદનનમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું - હે દેવાનુપ્રિય ! આજ્ઞા કરો. આપના આગમનનું પ્રયોજન જણાવો. ત્યારે સિંહ અણગારે રેવતી ગાથાપત્નીને આમ કહ્યું કે - હે દેવાનુપ્રિય ! તમે ભગવંત મહાવીર માટે બે કોહલાના ફળ સંસ્કારિત કરેલા છે, તેનું પ્રયોજન નથી. પરંતુ માર્જર વાયુ ઉપશાંતક બિજોરાપાક તૈયાર કરેલ છે, તેનું મારે પ્રયોજન છે. ત્યારે તે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને આમ કહ્યું - એવા કોણ જ્ઞાની કે તપસ્વી છે, જેણે તમને આ અર્થ કહ્યો અને મારા અંતરનું રહસ્ય જલદી બતાવી દીધું કે જેથી તમે આ જાણો છો ? ત્યારે સ્કંદકના વર્ણન સમાન સિંહ અણગારે કહ્યું યાવત્ હું જાણું છું. ત્યારે સિંહ અણગાર પાસે આ વાત સાંભળી, અવધારી રેવતી ગાથાપત્ની હર્ષિત, સંતુષ્ટ થઈને, રસોઈ ગૃહમાં આવી, આવીને વાસણ ખોલ્યું. ખોલીને સિંહ અણગાર પાસે આવી, આવીને સિંહ અણગારના પાત્રમાં, તે બધો બિજોરા પાક સમ્યક્ પ્રકારે વહોરાવ્યો. રેવતી ગાથાપત્નીએ તે દ્રવ્યશુદ્ધિથી યાવત્ દાનથી સિંહ અણગારને પ્રતિલાભિત કરતા દેવાયુ બાંધ્યું, જેમાં મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 70