Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' દેવોને અનંતી મનોદ્રવ્યવર્ગણા લબ્ધ-પ્રાપ્ત-અભિસમન્વાગત હોય છે. તેથી આ પ્રમાણે કહ્યું. સૂત્ર-૬૨૦ ભગવદ્ ! તુલ્યો કેટલા ભેદે છે ? છ ભેદે છે - દ્રવ્યતુલ્ય, ક્ષેત્રતુલ્ય, કાળતુલ્ય, ભવતુલ્ય, ભાવતુલ્ય, સંસ્થાનતુલ્ય. ભગવદ્ ! દ્રવ્યતુલ્ય એમ કેમ કહેવાય છે ? ગૌતમ ! એક પરમાણુ પુદ્ગલ બીજા પરમાણુ પુદ્ગલથી દ્રવ્યથી તુલ્ય છે, પરંતુ પરમાણુ પુદ્ગલ, પરમાણુ પુદ્ગલ વ્યતિરિક્ત દ્રવ્યથી તુલ્ય નથી. દ્વિપ્રદેશિક સ્કંધ, બીજા દ્વિપ્રદેશિક સ્કંધ દ્રવ્યથી તુલ્ય નથી. એ પ્રમાણે યાવત્ દશ પ્રદેશિક સ્કંધ કહેવો. સંખ્યાત પ્રદેશિક સ્કંધ બીજા સંખ્યાત પ્રદેશિક સ્કંધને તુલ્ય છે, પણ તુલ્ય સંખ્યાત પ્રદેશિક સ્કંધ, તુલ્ય સંખ્યાત પ્રદેશિક વ્યતિરિક્ત સ્કંધ દ્રવ્યની તુલ્ય નથી. એ પ્રમાણે તુલ્ય અસંખ્યાત પ્રદેશિક, તુલ્ય અનંત પ્રદેશિક સ્કંધ પણ કહેવો. તેથી હે ગૌતમ ! એ પ્રમાણે કહ્યું કે તે દ્રવ્યથી તુલ્ય છે. ભગવદ્ ! કયા કારણથી એ ક્ષેત્રતુલ્ય' કહેવાય છે ? ગૌતમ ! એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, બીજા એક પ્રદેશાવગાઢ પુદ્ગલના ક્ષેત્રથી તુલ્ય છે. પણ એક પ્રદેશાવગાઢ પુદ્ગલ, એક પ્રદેશાવગાઢથી વ્યતિરિક્ત પુદ્ગલના ક્ષેત્રથી તુલ્ય નથી. ભગવન્! કયા કારણથી એ ‘કાળતુલ્ય કહેવાય છે? ગૌતમ ! એક સમય સ્થિતિક પુદ્ગલ, બીજા એક સમય સ્થિતિક પુદ્ગલને કાળથી તુલ્ય છે, પણ એક સમય સ્થિતિક વ્યતિરિક્ત પુદ્ગલને કાળથી તુલ્ય નથી, એ રીતે યાવતુ દશ સ્થિતિક. એ પ્રમાણે તુલ્ય સંખ્યાત સ્થિતિક, એ પ્રમાણે જ તુલ્ય અસંખ્યાત સ્થિતિક જાણવું. ભગવન્કયા કારણથી તે “ભવતુલ્ય’ એમ કહેવાય છે? ગૌતમ ! નૈરયિક, બીજા નૈરયિકને ભવાર્થતાથી તુલ્ય છે, નૈરયિકથી વ્યતિરિક્તને ભવાર્થતાથી તુલ્ય નથી, એ પ્રમાણે તિર્યંચયોનિક, મનુષ્ય અને દેવમાં પણ જાણવુ. તે કારણથી યાવત્ ભવતુલ્ય છે. ભગવન્! કયા કારણથી તે ભાવતુલ્ય, ભાવતુલ્ય કહેવાય છે? ગૌતમ ! એક ગુણ કાળા પુદ્ગલ, એક ગુણ કાળા પુદ્ગલને ભાવથી તુલ્ય છે. પણ એક ગુણ કાળા વ્યતિરિક્ત પુદ્ગલને ભાવથી તુલ્ય નથી, એ પ્રમાણે યાવત્ દશગુણ કાળા. એ રીતે તુલ્ય સંખ્યાત ગુણ કાળા પુદ્ગલ, એ રીતે તુલ્ય અસંખ્યાત ગુણ કાળા, એ રીતે તુલ્યા અનંતગુણ કાળાના વિષયમાં પણ જાણવુ. જેમ કાળા તેમ નીલા, રાતા, પીળા, સફેદમાં કહેવું. એ પ્રમાણે સુરભિગંધ, દુરભિગંધમાં. એ રીતે તિક્ત યાવત્ મધુરમાં, એ રીતે કર્કશ યાવત્ રૂક્ષમાં પણ જાણવુ. ઔદયિક ભાવ, ઔદયિક ભાવને ભાવથી તુલ્ય છે, પણ ઔદયિક ભાવ વ્યતિરિક્ત ભાવને ભાવથી તુલ્ય નથી. એ પ્રમાણે ઔપશમિક, ક્ષાયિક, લાયોપથમિક, પારિણામિક, સંનિપાતિક ભાવમાં જાણવું ભાવતુલ્ય કહ્યું. ભગવન્! સંસ્થાનતુલ્યને સંસ્થાનતુલ્ય કેમ કહે છે? ગૌતમ ! પરિમંડલસંસ્થાન, બીજા પરિમંડલ સંસ્થાનથી તુલ્ય છે, પણ પરિમંડલ સંસ્થાન વ્યતિરિક્ત સંસ્થાનને તુલ્ય નથી. એ પ્રમાણે વૃત્ત, વ્યસ, ચતુરસ, આયતા સંસ્થાનમાં પણ કહેવું. સમચતુરઢ સંસ્થાન, બીજા સમચતુરઢ સંસ્થાનને સંસ્થાનથી તુલ્ય છે, પરંતુ સમચતુરસ સંસ્થાન વ્યતિરિક્ત સંસ્થાનને તુલ્ય નથી. એ પ્રમાણે પરિમંડલ યાવત્ હૂંડક સંસ્થાનમાં પણ જાણવું, તેથી સંસ્થાનતુલ્ય કહ્યું. સૂત્ર-૧૨૧ ભગવદ્ ! ભક્ત પ્રત્યાખ્યાન કરનાર અણગાર, સંથારામાં કાલ ધર્મને પામે, તેને ઉત્પત્તિ સ્થાનમાં, પહેલા. મૂચ્છિત યાવત્ અધ્યપપન્ન થઈ આહાર કરે છે, પછી અમૂચ્છિત, અમૃદ્ધ યાવત્ અનાસક્ત આહાર હોય છે ? હા, ગૌતમ ! ભક્ત પચ્ચકખાણ કર્તા અણગાર એ રીતે આહાર કરે છે, મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 50