Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસુરકુમારમાં કોઈ અગ્નિકાય મધ્યેથી નીકળી જાય, કોઈ ન નીકળે. જે નીકળે તે શું ત્યાં બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. તેને શસ્ત્ર પ્રહાર ન કરી શકે. તેથી એમ કહ્યું. સ્વનિતકુમાર સુધી આમ કહેવું. એકેન્દ્રિયો, નૈરયિકવત્ કહેવા. ભગવદ્ ! બેઇન્દ્રિયો અગ્નિકાય મધ્યેથી જઈ શકે ? અસુરકુમારવત્ કહેવા. વિશેષ એ કે જે તેમાંથી નીકળે, તે બળી જાય ? હા, બળે છે. એ રીતે ચઉરિન્દ્રિય સુધી છે. ભગવદ્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક વિષયક પ્રશ્ન. ગૌતમ ! કેટલાક નીકળે, કેટલાક ન નીકળે. એમ કેમ કહ્યું? ગૌતમ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિક બે ભેદે છે - વિગ્રહગતિ સમાપન્નક, અવિગ્રહગતિ સમાપન્નક. વિગ્રહગતિ સમાપન્નક, નૈરયિકવત્ કહેવા યાવત્ તેને શસ્ત્રાક્રમણ થતું નથી. અવિગ્રહગતિ સમાપન્નક પંચેન્દ્રિય તિર્યંચયોનિક બે ભેદે છે - ઋદ્ધિ પ્રાપ્ત અને અવૃદ્ધિપ્રાપ્ત. તેમાં જે ઋદ્ધિપ્રાપ્ત છે, તેમાં કોઈ અગ્નિકાય મધ્યેથી નીકળે, કોઈ ન નીકળે. જે નીકળે, તે ત્યાં દાઝે ? ના, તે અર્થ યોગ્ય નથી. તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. તેમાં જે અનૃદ્ધિ પ્રાપ્ત છે, તેમાં કેટલાક અગ્નિકાય વચ્ચોવચ્ચથી નીકળી જાય, કેટલાક ન નીકળે. જે નીકળી જાય, તે શું તેમાં દાઝે ? હા દાઝે. તેથી કહ્યું કે યાવત્ ન નીકળે. એ રીતે મનુષ્ય પણ કહેવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા. સૂત્ર-૬૧૩ નૈરયિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - અનિષ્ટ એવા - 1. શબ્દ, 2. રૂપ, 3. ગંધ, 4. રસ, 5. સ્પર્શ, 6. ગતિ, 7. સ્થિતિ, 8. લાવણ્ય, 9. યશોકીર્તિ, 10. ઉત્થાન કર્મબળ વીર્ય પુરુષાકાર પરાક્રમ. અસુરકુમારો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ શબ્દ, ઈષ્ટ રૂપ યાવત્ ઈષ્ટ ઉત્થાન કર્મ બળા વીર્ય પુરુષાકાર પરાક્રમ. એ પ્રમાણે સ્વનિતકુમાર સુધી જાણવુ. પૃથ્વીકાયિકો છ સ્થાનો અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટ અનિષ્ટ સ્પર્શ, ઇષ્ટ અનિષ્ટ ગતિ યાવત્ પરાક્રમ. એ પ્રમાણે વનસ્પતિકાયિક સુધી કહેવુ. બેઇન્દ્રિયો સાત સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઇષ્ટ અનિષ્ટ રસ, બાકી છ એકેન્દ્રિયો મુજબ જાણવા. તેઇન્દ્રિયો આઠ સ્થાનો અનુભવતા વિચરે છે. તે આ - ઇષ્ટ અનિષ્ટ ગંધ, બાકી સાત બેઇન્દ્રિય મુજબ. ચઉરિન્દ્રિયો નવ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઇષ્ટાનિષ્ટ રૂપ, બાકી આઠ ઇન્દ્રિય મુજબ. પંચેન્દ્રિય તિર્યંચયોનિકો દશ સ્થાનોને અનુભવતા વિચરે છે. તે આ - ઈષ્ટાનિષ્ટ શબ્દ યાવત્ પરાક્રમ. એ રીતે મનુષ્યો પણ જાણવા. વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિકને અસુરકુમારવત્ જાણવા. સૂત્ર-૬૧૪ ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુલો ગ્રહણ કર્યા વિના તિર્ધા પર્વત કે તિર્થી ભીંતને ઉલ્લંઘવા કે પ્રલંઘવા સમર્થ છે? ગૌતમ ! ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! મહદ્ધિક યાવત્ મહાસૌખ્ય દેવ બાહ્ય પુદ્ગલ ગ્રહણ કરીને તિર્થો યાવત્ પ્રલંઘવાને સમર્થ છે? હા, છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-પનો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૬ “આહાર' સૂત્ર-૬૧૫, 616 615. રાજગૃહમાં યાવત્ આમ કહ્યું - ભગવન્! નૈરયિકો શું આહારે છે? શું પરિણામે છે? કઈ યોનિવાળા છે? કેટલી સ્થિતિ છે ? ગૌતમ ! નૈરયિક પુદ્ગલાહારી, પુદ્ગલ પરિણામી, પુદ્ગલ યોનિક, પુદ્ગલ સ્થિતિક છે, તેઓ કર્મોપક, કર્મનિદાના, કર્મસ્થિતિક, કર્મોને કારણે જ વિપર્યાસને પામે છે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહેવું. - 616. ભગવદ્ ! નૈરયિકો શું વીચી દ્રવ્યોને આહારે છે કે અવીચી દ્રવ્યોને ? ગૌતમ ! નૈરયિકો તે બંનેને આહારે છે. ભગવન્! એમ કેમ કહ્યું કે બંને દ્રવ્યો આહારે છે? ગૌતમ ! જે નૈરયિકો એક પ્રદેશ ન્યૂન દ્રવ્યોને આહારે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 48