Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' ભગવદ્ ! અસુરકુમાર દેવો પણ તમસ્કાયને કરે છે ? હા, કરે છે. ભગવદ્ ! કયા હેતુથી અસુરકુમાર દેવો તમસ્કાયને કરે છે? ગૌતમ ! ક્રીડા અને રતિ નિમિત્તે, શત્રુને વિમોહિત કરવાને માટે, ગોપનીય ધનાદિની સુરક્ષા માટે, પોતાની કાયાને છૂપાવવાને, હે ગૌતમ ! આવા કારણોથી અસુરકુમાર દેવો તમસ્કાયને કરે, એ રીતે વૈમાનિક સુધી કહેવું. ભગવન ! તે એમ જ છે. તે એમ જ છે. કહી યાવતુ વિચરે છે. શતક-૧૪, ઉદ્દેશા-શ્નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૩ “શરીર’ સૂત્ર-૬૦૩ ભગવન્મહાકાય, મહાશરીર દેવ ભાવિતાત્મા અણગારની ઠીક મધ્યમાંથી થઈ નીકળી જાય ? ગૌતમ ! કોઈ જાય, કોઈ ન જાય. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! દેવો બે ભેદે છે - માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક અને અમાયી સમ્યગદષ્ટિ ઉપપત્રક. તેમાં જે માયી મિથ્યાદષ્ટિ ઉપપન્નક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વંદન, નમસ્કાર, સત્કાર કરતા નથી, તેમને કલ્યાણ-મંગલ-દેવ-ચૈત્યરૂપ માનીને યાવત્ પય્પાસતા નથી. તે ભાવિતાત્મા અણગારની વચ્ચો વચ્ચથી નીકળી જાય, પરંતુ તેમાં જે અનાયી સમ્યગદષ્ટિ ઉપપત્રક દેવ છે, તે ભાવિતાત્મા અણગારને જોઈને વાંદે, નમે યાવત્ પર્યુપાસે છે, તે ભાવિતાત્મા અણગારની વચ્ચોવચ્ચથી નીકળે નહીં, તેથી હે ગૌતમ ! એમ કહ્યું કે યાવત્ ન જાય. ભગવન્! મહાકાય, મહાશરીર અસુરકુમાર દેવ? પૂર્વવતુ જાણવુ. એ પ્રમાણે દેવદંડકને વૈમાનિક સુધી કહેવો. સૂત્ર-૬૦૪, 605 104. ભગવન ! શું નારકોમાં સત્કાર, સન્માન, કૃતિકર્મ, અભ્યત્થાન, અંજલિ પ્રગ્રહ, આસનાભિગ્રહ, આસનાનપ્રદાન કે નારકોની સામે જવું, બેસેલાની સેવા કરવી, જનારની પાછળ જવું, આદિ વિનયભક્તિ છે? ના, તે અર્થ સમર્થ નથી. ભગવન્! અસુરકુમારોમાં સત્કાર, સન્માન યાવત્ અનુગમનાદિ વિનય છે ? હા, છે. એ પ્રમાણે યાવત્ સ્વનિતકુમાર જાણવુ. પૃથ્વીકાયિક યાવત્ ચઉરિન્દ્રિયમાં નૈરયિકો મુજબ જાણવુ. ભગવદ્ ! પંચેન્દ્રિય તિર્યંચયોનિકમાં સત્કાર યાવત્ અનુગમન વિનય છે ? હા, છે. પણ આસનાભિગ્રહ, આસનાનપ્રદાન વિનય નથી. મનુષ્ય યાવત્ વૈમાનિકમાં અસુરકુમારવત્ જાણવુ. 605. ભગવન્! અલ્પઋદ્ધિક દેવ, મહદ્ધિક દેવની વચ્ચોવચ્ચથી જઈ શકે? ના, તે અર્થ ઠીક નથી. ભગવદ્ શું સમઋદ્ધિક દેવ, સમઋદ્ધિક દેવની વચ્ચોવચ્ચેથી નીકળી શકે? ના, આ અર્થ યોગ્ય નથી. પ્રમત્ત હોય તો જઈ શકે ભગવદ્ ! શું તે શસ્ત્ર પ્રહાર વડે જવા સમર્થ છે કે શસ્ત્રક્રિમણ વિના જવા સમર્થ છે ? ગૌતમ ! તે શસ્ત્રાક્રમણથી જઈ શકે, શસ્ત્રાક્રમણ વિના નહીં. ભગવન્! તે પહેલા શસ્ત્રાક્રમણ કરીને પછી જાય કે પહેલા જઈ, પછી શસ્ત્રાક્રમણ કરે ? આ આલાવા વડે જેમ દશમા શતકમાં આત્મદ્ધિ ઉદ્દેશામાં કહ્યું, તેમ સંપૂર્ણ ચારે દંડકો કહેવા. મહદ્ધિક વૈમાનિકી, અલ્પદ્ધિક દેવીની મધ્યમાં થઈને જઈ શકે. ત્યાં સુધી કહેવું. સૂત્ર-૬૦૬ ભગવદ્ ! રત્નપ્રભા પૃથ્વી નૈરયિકો કેવા પુદ્ગલ પરિણામને અનુભવતા વિચરે છે? ગૌતમ ! અનિષ્ટ યાવત્ અમણામ. એ પ્રમાણે યાવત્ અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક જાણવા. આ પ્રમાણે વેદના પરિણામ જાણવા, એ પ્રમાણે જેમ જીવાભિગમમાં બીજા નૈરયિક ઉદ્દેશકમાં કહ્યું તેમ કહેવું - યાવત્ - ભગવન્! અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક કેવા પરિગ્રહ સંજ્ઞા પરિણામ અનુભવતા વિચરે છે? ગૌતમ ! અનિષ્ટ યાવત્ અમણામ, ભગવદ્ ! તે એમ જ છે, તે એમ જ છે. શતક-૧૪, ઉદ્દેશા-૩નો ગુજરાતી અનુવાદ પૂર્ણ મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 46