Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૪, ઉદ્દેશો-૪ પુગલ' સૂત્ર-૬૦૭ ભગવન્! શું આ પુદ્ગલ અતીતમાં અનંત, શાશ્વત, એક સમય સુધી રૂક્ષ, એક સમય અરૂક્ષ, એક સમય રૂક્ષ અને અરૂક્ષ બંને સ્પર્શવાળો રહેલ છે ? પહેલાં કરણ દ્વારા અનેક વર્ણ અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા અને પછી તે પરિણામ નિર્જિર્ણ થઈને પછી એક વર્ણ અને એક રૂપવાળા થયા છે ? હા, ગૌતમ ! તેમ થયું છે. ભગવન્! આ પુદ્ગલ શાશ્વત વર્તમાનકાળમાં એક સમય સુધી ? પૂર્વવત્ પ્રશ્ન. એ રીતે અનાગત અને અનંતમાં પણ જાણવુ. ભગવદ્ ! આ સ્કંધ અનંત અતીતમાં ? પૂર્વવત્, પુદ્ગલવત્ કહેવું. ભગવદ્ ! શું આ સ્કંધ, અનંત, શાશ્વત, અનાગત કાળમાં એક સમય રુક્ષ, એક સમય સ્નિગ્ધ હોય છે? પૂર્વવત પ્રશ્ન. ગૌતમ ! જેમ પુદ્ગલ પરિણામના વિષયમાં કહ્યું, તેમ સ્કંધના વિષયમાં પણ કહેવું. સૂત્ર-૬૦૮ ભગવન્શું આ જીવ અનંત, શાશ્વત કાળમાં એક સમયમાં દુઃખી, એક સમયમાં સુખી, એક સમયમાં દુઃખી અને સુખી હતો ? પહેલા કરણ દ્વારા અનેક ભાવવાળા અનેકભૂત પરિણામથી પરિણત થયેલ ? ત્યારપછી વેદનીયની નિર્જરા થતા એક ભાવ, એકરૂપવાળો હતો ? હા, ગૌતમ ! તેમ હતો. આ પ્રમાણે શાશ્વત, વર્તમાનકાળમાં પણ જાણવું. એ રીતે અનંત શાશ્વત અનાગત કાળમાં પણ જાણવું. સૂત્ર-૧૦૯, 610 109. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું શાશ્વત કે અશાશ્વત ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત અશાશ્વત. ભગવનુ એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત, વર્ણ યાવત્ સ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે, તેથી કહ્યું કથંચિત શાશ્વત અને કથંચિત અશાશ્વત છે. 610. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ ચરમ છે કે અચરમ ? ગૌતમ ! દ્રવ્યાદેશથી ચરમ નથી, અચરમ છે. ક્ષેત્રાદેશથી કથંચિત ચરમ, કથંચિત અચરમ છે. કાલાદેશથી અને ભાવાદેશથી પણ તેમ જ છે. સૂત્ર-૬૧૧ ભગવન્! પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે - જીવ પરિણામ અને અજીવ પરિણામ. એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રનું 13 મુ પરિણામપદ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે 2. યાવત્ ગૌતમસ્વામી વિચરે છે. શતક-૧૪, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૫ ‘અગ્નિ સૂત્ર-૬૧૨ ભગવદ્ ! નૈરયિક, અગ્નિકાયની વચ્ચોવચ્ચથી જઈ શકે? ગૌતમ! કેટલાક જાય, કેટલાક ન જાય. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે છે - વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાયની વચ્ચોવચ્ચથી નીકળી જાય, ભગવન્! શું તેમાં તે બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. કેમ કે, તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. તેમાં જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાયની વચ્ચોવચ્ચથી ન નીકળે. તેથી એમ કહ્યું કે યાવત્ ન જઈ શકે. ભગવન્! અસુરકુમાર દેવ, અગ્નિકાયની વચ્ચેથી નીકળી શકે? ગૌતમ ! કોઈક નીકળે, કોઈક ન નીકળે. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! અસુરકુમાર બે ભેદે - વિગ્રહગતિ સમાપન્નક, અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક અસુરકુમાર છે, તે નૈરયિકવતુ નીકળી જાય છે, તેમાં જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 47