Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' છે, તે નૈરયિક વીચી દ્રવ્યોને આહારે છે, જે નૈરયિકો પ્રતિપૂર્ણ દ્રવ્યોને આહારે છે, તેઓ અવીચીદ્રવ્યોને આહારે છે. તેથી ગૌતમ ! પૂર્વવત્ કહ્યું એ પ્રમાણે યાવત્ વૈમાનિક આહાર કરે છે. સૂત્ર-૬૧૭ ભગવન્! જ્યારે દેવેન્દ્ર દેવરાજ શક્ર, દિવ્ય ભોગોપભોગ ભોગવવાને ઇચ્છે, તો તે કયા પ્રકારે ઉપભોગ કરે ? ગૌતમ ! ત્યારે તે શક્રેન્દ્ર એક મહાચક્ર સદશ ગોળાકાર વિક, તે સ્થાન લંબાઈ-પહોળાઈથી એક લાખ યોજન હોય, તેની પરિધિ 3,16,227 યોજન યાવત્ ૧૩ણા અંગુલ હોય છે. નેમિ પ્રતિરૂપક તે સ્થાનનો ઉપરી ભૂમિભાગ બહુમ રમણીય યાવત્ મણિનો સ્પર્શવાળો હોય. તે નેમિ પ્રતિરૂપકના બહુમધ્ય દેશભાગે ત્યાં એક મહાન પ્રાસાદાવતંસક વિદુર્વે, તે ઉંચાઈમાં 500 યોજન અને 250 યોજન પહોળો હોય, તે અત્યંત ઊંચો અને પ્રભાપુંજથી વ્યાપ્ત યાવત્ પ્રતિરૂપ હોય. તે પ્રાસાદાવતંસકનો ઉપરિતલ પમલતાના ચિત્રણથી યાવત્ પ્રતિરૂપ હોય. તે પ્રાસાદાવતંસકનો અંદરનો ભાગ બહુસમ રમણીય યાવત્ મણિના સ્પર્શવાળો હોય. તેમાં વૈમાનિકની સદશ આઠ યોજનની મણિપીઠિકા હોય. તે મણિપીઠિકા ઉપર એક મહાન દેવશયનીય વિકુ. શય્યાનું વર્ણન, રાયપ્પલેણઈય સૂત્રાનુસાર યાવત્ પ્રતિરૂપ કરવું. તેમાં તે શક્રેન્દ્ર આઠ સપરિવાર અગ્રમહિષી સાથે, બે સૈન્ય - નાટ્યાનિક અને ગંધર્વાનિક સાથે મહાઆહત, નૃત્ય યાવત્ દિવ્ય ભોગોપભોગ ભોગવતો વિચરે છે. - જ્યારે દેવેન્દ્ર દેવરાજ ઈશાન દિવ્ય ભોગ ભોગવવા ઇચ્છે. જેમ શક્રેન્દ્રમાં કહ્યું તેમ બધું જ ઇશાનેન્દ્રમાં પણ કહેવું. એ પ્રમાણે સનકુમારમાં પણ કહેવું. વિશેષ એ કે -પ્રાસાદાવતંસક 600 યોજન ઊંચો, 300 યોજન પહોળો કહેવો, મણિપીઠિકા તે જ પ્રમાણે આઠ યોજનની કહેવી. તે મણિપીઠિકાની ઉપર એક મોટું સિંહાસન વિકુ તે સપરિવાર કહેવું. ત્યાં દેવેન્દ્ર દેવરાજ સનકુમાર 72,000 સામાનિકો યાવત્ 2,88,000 આત્મરક્ષક દેવો અને ઘણા સનસ્કુમાર કલ્પવાસી વૈમાનિક દેવ-દેવીઓ સાથે પરીવરીને યાવતુ ભોગ ભોગવતો વિચરે છે. આ પ્રમાણે સનકુમારની માફક યાવત્ પ્રાણત, અય્યત ઇન્દ્રો. કહેવા. વિશેષ એ કે - જેનો જેટલો પરિવાર, તે તેને કહેવો. પ્રાસાદ ઉચ્ચત્વ જે સ્વ-સ્વ કલ્પમાં વિમાનોનું ઉચ્ચત્વ છે, તેનાથી અડધો-અડધો વિસ્તાર યાવતુ શ્રુતના 900 યોજન ઉચ્ચત્વ અને 450 યોજનનો વિસ્તાર છે. ત્યાં હે ગૌતમ ! દેવેન્દ્ર દેવરાજ અય્યતા 10,000 સામાનિક યાવત્ ભોગ ભોગવતો. વિચરે છે. બાકી પૂર્વવત્. ભગવદ્ ! તે એમજ છે. તે એમજ છે. શતક-૧૪, ઉદ્દેશા-૬નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૭ ‘સંસૃષ્ટ' સૂત્ર-૧૧૮ રાજગૃહમાં યાવત્ એમ કહ્યું, પર્ષદા પાછી ગઈ. હે ગૌતમ ! એ પ્રમાણે શ્રમણ ભગવંત મહાવીરે ગૌતમને સંબોધીને આમ કહ્યું - હે ગૌતમ ! તું મારી સાથે ચિર સંશ્લિષ્ટ છે, તું મારો ચિરસંસ્તુત છે, મારો ચિરપરિચિત છે, ચિર કાલ સેવિત છે, મારે ચિરકાળથી તું અનુગામી છે, ગૌતમ ! તું મારી સાથે ચિરાનુવૃત્તિ છે. અનંતર દેવલોક, અનંતર માનુષ્ય ભવમાં સ્નેહરાગ વાળો છે.. કેટલું કહીએ ? મૃત્યુ પછી, કાયાનો ભેદ થયા બાદ, અહીંથી મૃત્યુ પામીને બંને તુલ્ય, એકાર્થ મણામતાથી (એક પ્રયોજનવાળા) વિશેષતા રહિત થઈ જઈશું. સૂત્ર-૬૧૯ ભગવન્! જે પ્રમાણે આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ તે પ્રમાણે અનુત્તરોપપાતિક દેવો પણ આ અર્થને જાણે અને જુએ ? હા, ગૌતમ ! જેમ આપણે બંને આ અર્થને જાણીએ અને જોઈએ છીએ, તેમ અનુત્તરોપપાતિક દેવો પણ જાણે અને જુએ. ભગવદ્ ! એમ કેમ કહો છો કે અનુત્તરોપપાતિક દેવો પણ જાણે અને જુએ. ? ગૌતમ ! અનુત્તરોપપાતિક મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 49