SearchBrowseAboutContactDonate
Page Preview
Page 47
Loading...
Download File
Download File
Page Text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ શતક-૧૪, ઉદ્દેશો-૪ પુગલ' સૂત્ર-૬૦૭ ભગવન્! શું આ પુદ્ગલ અતીતમાં અનંત, શાશ્વત, એક સમય સુધી રૂક્ષ, એક સમય અરૂક્ષ, એક સમય રૂક્ષ અને અરૂક્ષ બંને સ્પર્શવાળો રહેલ છે ? પહેલાં કરણ દ્વારા અનેક વર્ણ અનેક રૂપવાળા પરિણામથી પરિણત થયા અને પછી તે પરિણામ નિર્જિર્ણ થઈને પછી એક વર્ણ અને એક રૂપવાળા થયા છે ? હા, ગૌતમ ! તેમ થયું છે. ભગવન્! આ પુદ્ગલ શાશ્વત વર્તમાનકાળમાં એક સમય સુધી ? પૂર્વવત્ પ્રશ્ન. એ રીતે અનાગત અને અનંતમાં પણ જાણવુ. ભગવદ્ ! આ સ્કંધ અનંત અતીતમાં ? પૂર્વવત્, પુદ્ગલવત્ કહેવું. ભગવદ્ ! શું આ સ્કંધ, અનંત, શાશ્વત, અનાગત કાળમાં એક સમય રુક્ષ, એક સમય સ્નિગ્ધ હોય છે? પૂર્વવત પ્રશ્ન. ગૌતમ ! જેમ પુદ્ગલ પરિણામના વિષયમાં કહ્યું, તેમ સ્કંધના વિષયમાં પણ કહેવું. સૂત્ર-૬૦૮ ભગવન્શું આ જીવ અનંત, શાશ્વત કાળમાં એક સમયમાં દુઃખી, એક સમયમાં સુખી, એક સમયમાં દુઃખી અને સુખી હતો ? પહેલા કરણ દ્વારા અનેક ભાવવાળા અનેકભૂત પરિણામથી પરિણત થયેલ ? ત્યારપછી વેદનીયની નિર્જરા થતા એક ભાવ, એકરૂપવાળો હતો ? હા, ગૌતમ ! તેમ હતો. આ પ્રમાણે શાશ્વત, વર્તમાનકાળમાં પણ જાણવું. એ રીતે અનંત શાશ્વત અનાગત કાળમાં પણ જાણવું. સૂત્ર-૧૦૯, 610 109. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ શું શાશ્વત કે અશાશ્વત ? ગૌતમ ! કથંચિત શાશ્વત, કથંચિત અશાશ્વત. ભગવનુ એમ કેમ કહ્યું ? ગૌતમ ! દ્રવ્યાર્થતાથી શાશ્વત, વર્ણ યાવત્ સ્પર્શ પર્યાયોથી અશાશ્વત છે, તેથી કહ્યું કથંચિત શાશ્વત અને કથંચિત અશાશ્વત છે. 610. ભગવદ્ ! પરમાણુ પુદ્ગલ ચરમ છે કે અચરમ ? ગૌતમ ! દ્રવ્યાદેશથી ચરમ નથી, અચરમ છે. ક્ષેત્રાદેશથી કથંચિત ચરમ, કથંચિત અચરમ છે. કાલાદેશથી અને ભાવાદેશથી પણ તેમ જ છે. સૂત્ર-૬૧૧ ભગવન્! પરિણામ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે છે - જીવ પરિણામ અને અજીવ પરિણામ. એ પ્રમાણે પ્રજ્ઞાપના સૂત્રનું 13 મુ પરિણામપદ સંપૂર્ણ કહેવું. ભગવદ્ ! તે એમ જ છે 2. યાવત્ ગૌતમસ્વામી વિચરે છે. શતક-૧૪, ઉદ્દેશા-૪નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૪, ઉદ્દેશો-૫ ‘અગ્નિ સૂત્ર-૬૧૨ ભગવદ્ ! નૈરયિક, અગ્નિકાયની વચ્ચોવચ્ચથી જઈ શકે? ગૌતમ! કેટલાક જાય, કેટલાક ન જાય. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! નૈરયિકો બે ભેદે છે - વિગ્રહગતિ સમાપન્નક અને અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાયની વચ્ચોવચ્ચથી નીકળી જાય, ભગવન્! શું તેમાં તે બળી જાય ? ના, તે અર્થ સમર્થ નથી. કેમ કે, તેના ઉપર શસ્ત્ર ન ચાલી શકે. તેમાં જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે નૈરયિક અગ્નિકાયની વચ્ચોવચ્ચથી ન નીકળે. તેથી એમ કહ્યું કે યાવત્ ન જઈ શકે. ભગવન્! અસુરકુમાર દેવ, અગ્નિકાયની વચ્ચેથી નીકળી શકે? ગૌતમ ! કોઈક નીકળે, કોઈક ન નીકળે. ભગવન્! એમ કેમ કહ્યું? ગૌતમ ! અસુરકુમાર બે ભેદે - વિગ્રહગતિ સમાપન્નક, અવિગ્રહગતિ સમાપન્નક. તેમાં જે વિગ્રહગતિ સમાપન્નક અસુરકુમાર છે, તે નૈરયિકવતુ નીકળી જાય છે, તેમાં જે અવિગ્રહગતિ સમાપન્નક છે, તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 47
SR No.035606
Book TitleAgam 05 Bhagwati 02 Gujarati Translation
Original Sutra AuthorN/A
AuthorDipratnasagar, Deepratnasagar
PublisherDipratnasagar, Deepratnasagar
Publication Year2020
Total Pages240
LanguageGujarati
ClassificationBook_Devnagari, Book_Gujarati, & agam_bhagwati
File Size5 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy