Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar

View full book text
Previous | Next

Page 41
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ ભગવન્! ભાષા કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે. તે આ - સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા ભાષા. સૂત્ર-પ૯૦, 591 પ૯૦. ભગવદ્ ! મન, આત્મા છે કે અન્ય ? ગૌતમ ! મન આત્મા નથી અન્ય છે. જેમ ‘ભાષામાં કહ્યું તેમાં ‘મન’ માટે કહેવું યાવત્ અજીવોને મન ન હોય. ભગવન્મનન પૂર્વે મન હોય, મનન કરતી વેળા મન હોય ? એ પ્રમાણે ‘ભાષા’ મુજબ કહેવું. ભગવદ્ ! મનન પૂર્વે મન ભેદાય, મનન કરતા મન ભેદાય કે મનન સમય વીત્યા પછી મન ભેદાય છે ? એ પ્રમાણે જેમાં ‘ભાષામાં કહ્યું તેમ જાણવું. ભગવન્! મન કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - સત્યમન યાવત્ અસત્યામૃષા મન. પ૯૧. ભગવન્! કાય, આત્મા છે કે અન્ય ? ગૌતમ ! કાય આત્મા પણ છે, અન્ય પણ છે. ભગવન્! કાયા. રૂપી છે કે અરૂપી ? ગૌતમ! કાયા રૂપી પણ છે, અરૂપી પણ છે. એ પ્રમાણે એકેકમાં પૃચ્છા. ગૌતમ ! કાયા સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. કાયા જીવ પણ છે, અજીવ પણ છે. કાયા, જીવની પણ હોય, અજીવની પણ હોય. ભગવન્! કાયા પૂર્વે હોય? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! પૂર્વે પણ કાયા છે, કાય પુદ્ગલ ગ્રહણ કરતી વેળા પણ કાયા છે, કાય સમય વીત્યા પછી પણ કાયા છે. ભગવદ્ ! પૂર્વે કાયા ભેદાય છે? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! પૂર્વે પણ કાયા ભેદાય છે યાવત્ પછી પણ. કાયા ભેદાય છે. ભગવદ્ ! કાયા કેટલા ભેદે છે? ગૌતમ ! સાત ભેદે. તે આ - ઔદારિક, ઔદારિમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, કાર્મણ. સૂત્ર–પ૯૨ ભગવન ! મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ અને પંડિત મરણ. આવીચિક મરણ કેટલા ભેદે ? ગૌતમ! પાંચ ભેદે -દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવથી. આવીચિક મરણ. ભગવન્! દ્રવ્યાવીચિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ-દ્રવ્યાપીચિક મરણ. ભગવન્! એમ કેમ કહો છો - નૈરયિક દ્રવ્યાપીચિક મરણ, નૈરયિક દ્રવ્યાપીચિક મરણ છે ? ગૌતમ ! જે નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને નૈરયિકાયુપણે ગ્રહણ કરે - બાંધે - સ્પર્શે - કરે - પ્રસ્થાપિત કરે - નિવિષ્ટ કરે - અભિનિવિષ્ટ કરે - અભિસમન્વાગત કરે છે, તે દ્રવ્યોને પ્રતિ સમય નિરંતર છોડતા-મરતા રહે છે, તેથી હે ગૌતમ ! નૈરયિક દ્રવ્યાપીચિક મરણ કહ્યું છે. યાવત્ દેવ દ્રવ્યાપીચિક મરણ કહેવું. ભગવદ્ ! ક્ષેત્રાવીચિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે - નૈરયિક યાવત્ દેવ ક્ષેત્રાવીચિક મરણ. ભગવન ! નૈરયિક ક્ષેત્રાવીચિક મરણનો નૈરયિક કેમ કહે છે ? જે નૈરયિક, નૈરયિક ક્ષેત્રમાં વર્તતા જે દ્રવ્યોને નૈરયિકાયુષ્યપણે ગ્રહણ કરે ઈત્યાદિ એ પ્રમાણે જેમ દ્રવ્યાપીચિક મરણમાં કહ્યું. તેમ ક્ષેત્રાવાચિક મરણમાં કહેવું. ભાવારીચિક મરણ સુધી કહેવું. ભગવન્! અવધિમરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે - દ્રવ્યાવધિ મરણ, ક્ષેત્રાવધિ મરણ, કાલાવધિ મરણ, ભવાવધિમરણ, ભાવાવધિ મરણ. ભગવન્! દ્રવ્યાવધિ મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર - નૈરયિક યાવત્ દેવ દ્રવ્યાવધિ મરણ. ભગવન્! નૈરયિક દ્રવ્યાવધિ મરણ કેમ કહેવાય છે? નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને છોડતા મરે છે, ફરી નૈરયિકત્વ પામી, અનાગત કાળે ફરી પણ મરશે. તેથી હે ગૌતમ ! યાવત્ દ્રવ્યાવધિ મરણ કહ્યું. એ પ્રમાણે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 41

Loading...

Page Navigation
1 ... 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220 221 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240