________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ ભગવન્! ભાષા કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે. તે આ - સત્યા, મૃષા, સત્યામૃષા, અસત્યામૃષા ભાષા. સૂત્ર-પ૯૦, 591 પ૯૦. ભગવદ્ ! મન, આત્મા છે કે અન્ય ? ગૌતમ ! મન આત્મા નથી અન્ય છે. જેમ ‘ભાષામાં કહ્યું તેમાં ‘મન’ માટે કહેવું યાવત્ અજીવોને મન ન હોય. ભગવન્મનન પૂર્વે મન હોય, મનન કરતી વેળા મન હોય ? એ પ્રમાણે ‘ભાષા’ મુજબ કહેવું. ભગવદ્ ! મનન પૂર્વે મન ભેદાય, મનન કરતા મન ભેદાય કે મનન સમય વીત્યા પછી મન ભેદાય છે ? એ પ્રમાણે જેમાં ‘ભાષામાં કહ્યું તેમ જાણવું. ભગવન્! મન કેટલા ભેદે છે ? ગૌતમ! ચાર ભેદે છે. તે આ - સત્યમન યાવત્ અસત્યામૃષા મન. પ૯૧. ભગવન્! કાય, આત્મા છે કે અન્ય ? ગૌતમ ! કાય આત્મા પણ છે, અન્ય પણ છે. ભગવન્! કાયા. રૂપી છે કે અરૂપી ? ગૌતમ! કાયા રૂપી પણ છે, અરૂપી પણ છે. એ પ્રમાણે એકેકમાં પૃચ્છા. ગૌતમ ! કાયા સચિત્ત પણ છે, અચિત્ત પણ છે. કાયા જીવ પણ છે, અજીવ પણ છે. કાયા, જીવની પણ હોય, અજીવની પણ હોય. ભગવન્! કાયા પૂર્વે હોય? ઈત્યાદિ પ્રશ્ન. ગૌતમ ! પૂર્વે પણ કાયા છે, કાય પુદ્ગલ ગ્રહણ કરતી વેળા પણ કાયા છે, કાય સમય વીત્યા પછી પણ કાયા છે. ભગવદ્ ! પૂર્વે કાયા ભેદાય છે? ઈત્યાદિ પૃચ્છા. ગૌતમ ! પૂર્વે પણ કાયા ભેદાય છે યાવત્ પછી પણ. કાયા ભેદાય છે. ભગવદ્ ! કાયા કેટલા ભેદે છે? ગૌતમ ! સાત ભેદે. તે આ - ઔદારિક, ઔદારિમિશ્ર, વૈક્રિય, વૈક્રિયમિશ્ર, આહારક, આહારકમિશ્ર, કાર્મણ. સૂત્ર–પ૯૨ ભગવન ! મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે છે. તે આ - આવીચિક મરણ, અવધિ મરણ, આત્યંતિક મરણ, બાળ મરણ અને પંડિત મરણ. આવીચિક મરણ કેટલા ભેદે ? ગૌતમ! પાંચ ભેદે -દ્રવ્ય, ક્ષેત્ર, કાળ, ભવ અને ભાવથી. આવીચિક મરણ. ભગવન્! દ્રવ્યાવીચિક મરણ કેટલા ભેદે છે ? ગૌતમ ! ચાર ભેદે - નૈરયિક, તિર્યંચયોનિક, મનુષ્ય, અને દેવ-દ્રવ્યાપીચિક મરણ. ભગવન્! એમ કેમ કહો છો - નૈરયિક દ્રવ્યાપીચિક મરણ, નૈરયિક દ્રવ્યાપીચિક મરણ છે ? ગૌતમ ! જે નૈરયિક, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને નૈરયિકાયુપણે ગ્રહણ કરે - બાંધે - સ્પર્શે - કરે - પ્રસ્થાપિત કરે - નિવિષ્ટ કરે - અભિનિવિષ્ટ કરે - અભિસમન્વાગત કરે છે, તે દ્રવ્યોને પ્રતિ સમય નિરંતર છોડતા-મરતા રહે છે, તેથી હે ગૌતમ ! નૈરયિક દ્રવ્યાપીચિક મરણ કહ્યું છે. યાવત્ દેવ દ્રવ્યાપીચિક મરણ કહેવું. ભગવદ્ ! ક્ષેત્રાવીચિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર ભેદે - નૈરયિક યાવત્ દેવ ક્ષેત્રાવીચિક મરણ. ભગવન ! નૈરયિક ક્ષેત્રાવીચિક મરણનો નૈરયિક કેમ કહે છે ? જે નૈરયિક, નૈરયિક ક્ષેત્રમાં વર્તતા જે દ્રવ્યોને નૈરયિકાયુષ્યપણે ગ્રહણ કરે ઈત્યાદિ એ પ્રમાણે જેમ દ્રવ્યાપીચિક મરણમાં કહ્યું. તેમ ક્ષેત્રાવાચિક મરણમાં કહેવું. ભાવારીચિક મરણ સુધી કહેવું. ભગવન્! અવધિમરણ કેટલા ભેદે છે? ગૌતમ ! પાંચ ભેદે - દ્રવ્યાવધિ મરણ, ક્ષેત્રાવધિ મરણ, કાલાવધિ મરણ, ભવાવધિમરણ, ભાવાવધિ મરણ. ભગવન્! દ્રવ્યાવધિ મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર - નૈરયિક યાવત્ દેવ દ્રવ્યાવધિ મરણ. ભગવન્! નૈરયિક દ્રવ્યાવધિ મરણ કેમ કહેવાય છે? નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા જે દ્રવ્યોને છોડતા મરે છે, ફરી નૈરયિકત્વ પામી, અનાગત કાળે ફરી પણ મરશે. તેથી હે ગૌતમ ! યાવત્ દ્રવ્યાવધિ મરણ કહ્યું. એ પ્રમાણે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 41