Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ જેમ કોઈ બીજંબીજ પક્ષી પોતાના બંને પગ ઘોડાની માફક એક સાથે ઉઠાવીને ચાલે છે, એ પ્રમાણે અણગારાદિ પૂર્વવત્. જેમ કોઈ પક્ષીબિડાલક, એક વૃક્ષથી બીજા વૃક્ષે કૂદતા કૂદતા જાય, તે પ્રમાણે અણગાર બાકી પૂર્વવત્. જેમ કોઈ જીવંજીવક પક્ષી, પોતાના બંને પગ ઘોડાની માફક ઉઠાવી-ઉઠાવી ચાલે, એ પ્રમાણે અણગાર બાકી પૂર્વવત્. જેમ કોઈ હંસ એકથી બીજા કિનારે ક્રીડા કરતો-કરતો ચાલ્યો જાય છે, એ પ્રમાણે અણગાર હંસવતુ વિદુર્વણા આદિ પૂર્વવત્. જેમ કોઈ સમુદ્રી કાગડો એકથી બીજી લહેરને અતિક્રમતો ચાલ્યો જાય, એ પ્રમાણે પૂર્વવતુ. જેમ કોઈ પુરુષ ચક્રને લઈને ચાલે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર આદિ ઘડી માફક કહેવું. એ પ્રમાણે છત્ર, ચામરના વિષયમાં કથન કરવું. જેમ કોઈ પુરુષ રત્નને લઈને ચાલે એ રીતે વજ, વૈડૂર્ય યાવત્ રિઝ. એ રીતે ઉત્પલ, પદ્મ, કુમુદ હાથમાં લઈને, એ પ્રમાણે યાવત્ કોઈ પુરુષ સહસ્રપત્ર લઈને ચાલે, એ રીતે પૂર્વવત્. જેમ કોઈ પુરુષ કમળની ડાંડીને તોડતો-તોડતો ચાલે એ પ્રમાણે અણગાર પણ સ્વયં આવુ રૂપ વિકુર્તી આદિ પૂર્વવત્. જેમ કોઈ મૃણાલિકા હોય, પોતાની કાયાને પાણીમાં ડૂબાડી રાખીને રહે, એ પ્રમાણે બાકીનું વઘુલીવતુ કહેવું. જેમ કોઈ વનખંડ હોય, જે કાળું, કાળા પ્રકાશવાળું યાવત્ મહામેઘ સમાન પ્રસાદીય હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર વનખંડ સમાન વિક્ર્વણા કરીને આકાશમાં ઊડે? આદિ પૂર્વવત્. જેમ કોઈ પુષ્કરણી હોય, ચતુષ્કોણ અને સમતીર હોય અનુક્રમે સુજાત યાવત્ વિવિધ પક્ષીના મધુર સ્વરાદિથી યુક્ત અને પ્રાસાદીયાદિ હોય, એ રીતે ભાવિતાત્મા અણગાર પણ પુષ્કરણી સમાન વિતુર્વણા કરીને પોતાને ઊંચે આકાશમાં ઉડાડે? હા, ઉડાડે. ભગવન્ભાવિતાત્મા અણગાર પુષ્કરણી સમાન કેટલા રૂપો વિતુર્વી શકે ? બાકી બધું પૂર્વવત્. યાવત્ તે વિક્ર્વશે નહીં. ભગવદ્ ! પૂર્વોક્ત રૂપ શું માયી વિદુર્વે કે અમારી ? ગૌતમ ! માયી વિદુર્વે, અમારી નહીં. માયી તે સ્થાનની આલોચના કર્યા વિનાએ રીતે જેમ ત્રીજા શતકના ચોથા ઉદ્દેશામાં કહ્યું તેમ યાવત્ તેને આરાધના છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૯નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૧૦ ‘સમુદ્યાત' સૂત્ર–પ૯૫ ભગવદ્ ! છાહ્મસ્થિક સમુધ્ધાંત કેટલા છે? ગૌતમ ! છ. તે આ - વેદના સમુદ્યાત આદિ છાહ્મસ્થિક સમુદ્યાત પ્રજ્ઞાપના પદ-૩૬ માં કહ્યા મુજબ આહારસમુદ્ઘાત' પર્યન્ત જાણવુ. ભગવદ્ ! એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૧૦નો ગુજરાતી અનુવાદ પૂર્ણ libhai શતક-૧૩ નો મુનિ દીપરત્નસાગરે કરેલ ગુજરાતી અનુવાદ પૂર્ણ ! | મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 43