Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' તિર્યંચ - મનુષ્ય - દેવાવધિ મરણ જાણવુ. આ આલાવાથી ક્ષેત્ર-કાળ-ભવ-ભાવમરણ જાણવા. ભગવદ્ ! આત્યંતિક મરણ ? ગૌતમ ! પાંચ ભેદે છે - દ્રવ્યાત્યંતિક મરણ યાવત્ ભાવાત્યંતિક મરણ. ભગવદ્ ! દ્રવ્યાત્યંતિક મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! ચાર. નૈરયિક યાવત્ દેવ દ્રવ્ય આત્યંતિક મરણ. ભગવન્! નૈરયિક દ્રવ્યાત્યંતિક મરણ કેમ કહે છે ? ગૌતમ ! નૈરયિકો, નૈરયિક દ્રવ્યમાં વર્તતા, જે દ્રવ્યોને છોડતા મરે છે, અનાગત કાળે પણ મરશે. તેથી યાવતું મરણ કહ્યું છે. એ પ્રમાણે તિર્યંચ - મનુષ્ય - દેવ આત્યંતિક મરણ પણ જાણવુ. એ પ્રમાણે ક્ષેત્ર યાવત્ ભાવ આત્યંતિક મરણ પણ જાણવુ. ભગવદ્ ! બાળમરણ કેટલા ભેદે છે? ગૌતમ ! બાર ભેદે.-વલયમરણાદિ જેમ સ્કંદકમાં વૃદ્ધપૃષ્ઠ પર્યન્ત છે. ભગવન્! પંડિત મરણ કેટલા ભેદે છે? ગૌતમ ! બે ભેદે - પાદપોપગમન, ભક્તપ્રત્યાખ્યાન. ભગવદ્ ! પાદપોપગમન કેટલા ભેદે છે ? ગૌતમ ! બે ભેદ - નિર્ધારિમ, અનિર્ધારિમ. યાવત્ નિયમા અપ્રતિકર્મ છે. ભગવનું ! ભક્તપ્રત્યાખ્યાન કેટલા ભેદે છે? પૂર્વવતુ. વિશેષ એ કે તે સપ્રતિકર્મ છે. ભગવદ્ ! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૭નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૮ ‘કર્મપ્રકૃતિ સૂત્ર–પ૯૩ ભગવન્! કર્મપ્રકૃતિ કેટલી છે? ગૌતમ ! આઠ. અહીં પ્રજ્ઞાપના સૂત્રનું પદ-૨૩ ‘બંધ સ્થિતિ ઉદ્દેશો સંપૂર્ણ કહેવો. ભગવદ્ ! તે એમ જ છે. તે એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૮નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૯ અનગારલૈક્રિય સૂત્ર-પ૯૪ રાજગૃહમાં યાવત્ આ પ્રમાણે કહ્યું - જેમાં કોઈ પુરુષ દોરીથી બાંધેલ ઘડી લઈને ચાલે, શું તે રીતે ભાવિતાત્મા અણગાર પણ દોરીથી બાંધેલી ઘડી સ્વયં હાથમાં લઈને ઊંચે આકાશમાં ઊડી શકે છે? હા, ગૌતમ ! ઊડી શકે છે. ભગવન્! ભાવિતાત્મા અણગાર દોરીથી બાંધેલ ઘડી હાથમાં લઈને કેટલા રૂપો વિફર્વવા સમર્થ છે? ગૌતમ! જેમ કોઈ યુવતિને યુવાન હાથમાં હાથ લઈને એ રીતે જેમ ત્રીજા શતકના પાંચમા ઉદ્દેશામાં કહ્યું છે, તેમ યાવત્ સંપ્રાપ્તિથી વિકુર્વેલ નથી, વિર્વતો નથી અને વિક્ર્વશે નહીં. જેમ કોઈ પુરુષ સોનાની પેટી લઈને ચાલે છે, એ પ્રમાણે ભાવિતાત્મા અણગાર પણ સુવર્ણપેટી હાથમાં લઈને સ્વયં ઊડે? આદિ પૂર્વવત્. એ પ્રમાણે સોનાની, રત્નની, વજની, વસ્ત્રની, આભરણની પેટી. એ પ્રમાણે - વાંસ, શુંબ, ચર્મ, કંબલની ચટ્ટાઈ. એ પ્રમાણે લોઢા, તાંબા, કલઈ શીશા, સુવર્ણ, વજનો ભાર લઈને ઇત્યાદિ પ્રશ્નોત્તર કરવા.. જેમ કોઈ વશ્લી હોય, બંને પગ લટકાવી-લટકાવી પગ ઊંચે અને મસ્તક નીચુ કરીને રહે, શું એ રીતે ભાવિતાત્મા અણગાર પણ વઘુલી માફક રૂપ વિફર્વીને સ્વયં આકાશમાં ઊંચે ઊડે ? હા, ઊડે. આ પ્રમાણે યજ્ઞોપવિતની વક્તવ્યતા કહેવી. યાવત્ વિદુર્વશે નહીં. જેમ કોઈ જલૌકા હોય, પોતાની કાયાને ઉશ્રેરિત કરીને પાણીમાં ચાલે છે. એ પ્રમાણે વઘુલીવતું જાણવું. મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 42