Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' કેટલા અદ્ધા સમયથી પૃષ્ટ થાય? એક પણ નહીં. સૂત્ર-૫૮૦ ભગવનજ્યાં ધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના બીજા કેટલા પ્રદેશ અવગાઢ હોય ? ગૌતમ ! એકપણ નહીં. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! અનંતા. કેટલા અદ્ધા સમય અવગાઢ હોય? કદાચિત્ અવગાઢ હોય, કદાચિત્ અવગાઢ ન હોય. જો અવગાઢ હોય, તો અનંતા હોય. ભગવન્! જ્યાં અધર્માસ્તિકાયનો એક પ્રદેશ અવગાઢ હોય ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય? એક. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક પણ નહીં. બાકી ધર્માસ્તિકાય સમાન જાણવું. ભગવન્! જ્યાં એક આકાશાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ? કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. જો હોય તો એક હોય. એ પ્રમાણે અધર્માસ્તિકાયના પ્રદેશો પણ જાણવા. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ !એક પણ નહીં. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! કદાચ અવગાઢ હોય, કદાચ ન હોય. જો અવગાઢ હોય તો અનંતા હોય એ રીતે યાવત્ અદ્ધાસમય કહેવું. ભગવન્! જ્યાં એક જીવાસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ? એક. એ પ્રમાણે અધર્માસ્તિકાય અને આકાશાસ્તિકાય પ્રદેશો પણ કહેવા. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! અનંતા. બાકી ધર્માસ્તિકાય મુજબ કહેવું. ભગવન્! જ્યાં એક પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાયપ્રદેશ અવગાઢ હોય ? જેમ જીવાસ્તિકાયના પ્રદેશમાં કહ્યું, તેમ બધું જ અહીં કહેવું. ભગવન્! જ્યાં પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ કદાચ એક, કદાચ બે. એ રીતે અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય કહેવા. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. ભગવન્! જ્યાં ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! કદાચ એક, કદાચ બે, કદાચ ત્રણ. એ રીતે અધર્માસ્તિકાય પણ કહેવું. આકાશાસ્તિકાય પણ કહેવું. બાકીનું બે પુદ્ગલવત છે. એ પ્રમાણે આદિના ત્રણ અસ્તિકાય સાથે એક-એક પ્રદેશની વૃદ્ધિ કરવી. બાકીનું જેમ બે પુદ્ગલમાં કહ્યું, તેમ દશ સુધી કહેવું અર્થાત્ કદાચ એક, કદાચ બે, કદાચ ત્રણ યાવત્ કદાચ દશ. સંખ્યાતમાં કદાચ એક, કદાચ બે, યાવતુ કદાચ દશ, કદાચ સંખ્યાત. અસંખ્યાતમાં કદાચ એક યાવત્ કદાચ સંખ્યાત, કદાચ અસંખ્યાત. જેમ અસંખ્ય કહ્યા, તેમ અનંત પણ કહેવા. ભગવન્! જ્યાં એક અદ્ધાસમય અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય ? એક. કેટલા અધર્માસ્તિકાય ? એક. કેટલા આકાશાસ્તિકાય ? એક. કેટલા જીવાસ્તિકાય ? અનંતા. એ પ્રમાણે યાવત્ ‘અદ્ધાસમય'. ભગવન્! જ્યાં એક ધર્માસ્તિકાય દ્રવ્ય અવગાઢ હોય, ત્યાં ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશ અવગાઢ હોય ? એક પણ નહીં. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ! અસંખ્યાત. કેટલા આકાશાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ! અસંખ્યાતા. કેટલા જીવાસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! અનંતા. યાવત્ અદ્ધાસમય. ભગવન્જ્યાં અધર્માસ્તિકાય અવગાઢ હોય, ત્યાં કેટલા ધર્માસ્તિકાય પ્રદેશ અવગાઢ હોય ? અસંખ્યાત. કેટલા અધર્માસ્તિકાય પ્રદેશો અવગાઢ હોય ? ગૌતમ ! એક પણ નહીં. બાકી ધર્માસ્તિકાયવત્ જાણવું. આ પ્રમાણે બધા, સ્વસ્થાનમાં એક પણ નથી તેમ કહેવું. પરસ્થાનમાં આદિના ત્રણે અસંખ્યાતા કહેવા. પછીના ત્રણેમાં અનંતા કહેવા. યાવત્ અદ્ધાસમય. યાવત્ કેટલા અદ્ધાસમય અવગાઢ છે ? એક પણ નથી. ભગવદ્ ! જ્યાં એક પૃથ્વીકાયિક અવગાઢ છે, ત્યાં કેટલા પૃથ્વીકાયિકો અવગાઢ છે ? અસંખ્ય. કેટલા અપ્રકાયિકો અવગાઢ છે? અસંખ્યાતા. કેટલા તેઉકાયિકો અવગાઢ છે? અસંખ્યાતા. કેટલા વાયુકાયિકો અવગાઢ છે? મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 36