Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨’ અદ્ધા સમયમાં જાણવું. સૂત્ર-પ૭૯ ભગવન્! એક જીવાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે ? જઘન્યથી ચાર, ઉત્કૃષ્ટથી સાત. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશ વડે પણ જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી ? સાત વડે. કેટલા જીવાસ્તિકાયથી ? બાકી બધું ધર્માસ્તિકાય મુજબ છે. ભગવનું ! એક પુદ્ગલાસ્તિકાય પ્રદેશ કેટલા ધર્માસ્તિકાય પ્રદેશથી સ્પષ્ટ છે ? એ પ્રમાણે જીવાસ્તિકાય મુજબ જાણવું. ભગવદ્ ! બે પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય પ્રદેશોથી પૃષ્ટ છે ? જઘન્યથી છ, ઉત્કૃષ્ટથી બાર. એ પ્રમાણે અધર્માસ્તિકાય પ્રદેશમાં જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી? બાર. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. ભગવન્! ત્રણ પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે પૃષ્ટ છે? જઘન્યથી 8, ઉત્કૃષ્ટથી 17. એ રીતે અધર્માસ્તિકાય પ્રદેશમાં જાણવું. કેટલા આકાશાસ્તિકાયથી ? સત્તર. બાકી ધર્માસ્તિકાય મુજબ જાણવું. આ. પ્રમાણે આ આલાવા વડે દશ પ્રદેશ સુધી કહેવું. વિશેષ એ કે જઘન્યપદમાં બે અને ઉત્કૃષ્ટપદમાં પાંચ ઉમેરવા. ચાર પુદ્ગલાસ્તિકાયમાં જઘન્યથી દશ, ઉત્કૃષ્ટથી બાવીશ. પાંચમાં જઘન્યથી બાર, ઉત્કૃષ્ટથી સત્તાવીશ. છ માં જઘન્યથી-૧૪, ઉત્કૃષ્ટથી-૩૨, સાતમાં જઘન્યથી-૧૬, ઉત્કૃષ્ટથી-૨૭, ‘આઠમાં જઘન્ય 18, ઉત્કૃષ્ટથી-૪૨, ‘નવ’માં જઘન્યથી-૨૦, ઉત્કૃષ્ટથી-૪૭. દશ પુદ્ગલ જઘન્યથી-૨૨, ઉત્કૃષ્ટથી-પ૨ પ્રદેશો વડે સ્પષ્ટ થાય છે. આકાશાસ્તિકાય માટે બધે ઉત્કૃષ્ટ પદ કહેવું. ભગવન્! સંખ્યાતા પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય પ્રદેશો વડે ઋષ્ટ છે ? જઘન્ય પદમાં તે સંખ્યાતને બમણા કરી તેમાં બે ઉમેરો, ઉત્કૃષ્ટ પદમાં તે સંખ્યાતાને પાંચ ગણા કરીને તેમાં બે ઉમેરવા. અધર્માસ્તિકાય વડે સ્પર્શના આ પ્રમાણે જ જાણવી. કેટલા આકાશાસ્તિકાયo વડે? તે સંખ્યાતને પાંચ ગણા કરી, બે ઉમેરો. કેટલા જીવાસ્તિકાય૦ વડે? અનંતથી. કેટલા પુદ્ગલાસ્તિકાય વડે ? અનંતથી. કેટલા અદ્ધા સમય વડે ? કદાચ સ્પર્શે, કદાચ નહીં. જો સ્પર્શે તો યાવતુ અનંત વડે સ્પર્શે. ભગવન્! અસંખ્યાત પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે સ્પષ્ટ છે? જઘન્યથી તે અસંખ્યાતને બમણા કરી, બે ઉમેરો. ઉત્કૃષ્ટથી તે અસંખ્યાતાને પાંચ ગુણા કરી, બે ઉમેરો. બાકી બધુ સંખ્યાતા મુજબ યાવત્ નિયમા અનંત સમયો વડે સ્પર્શ. ભગવદ્ ! અનંતા પુદ્ગલાસ્તિકાય પ્રદેશો કેટલા ધર્માસ્તિકાય વડે પૃષ્ટ છે? ગૌતમ! અસંખ્યાતાની માફક ‘અનંતા' સંપૂર્ણ કહેવા. ભગવદ્ ! એક અદ્ધાસમય કેટલા ધર્માસ્તિકાય પ્રદેશોથી સ્પષ્ટ છે ? સાતથી. કેટલા અધર્માસ્તિકાયથી ? પૂર્વવતુ. એ પ્રમાણે આકાશાસ્તિકાય વડે પણ છે. કેટલા જીવાસ્તિકાયથી ? અનંત વડે. એ પ્રમાણે યાવતુ અદ્ધા સમય વડે. ભગવન ! ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાયના કેટલા પ્રદેશો વડે સ્પષ્ટ છે ? એક પણ પ્રદેશથી નહીં. કેટલા અધર્માસ્તિકાયથી? અસંખ્યાત વડે. કેટલા આકાશાસ્તિકાયથી ? અસંખ્યાત વડે-કેટલા જીવાસ્તિકાયથી ? અનંત વડે. કેટલા પુદ્ગલાસ્તિકાય પ્રદેશથી ? અનંત વડે. કેટલા અદ્ધા સમયથી ? કદાચ સ્પષ્ટ થાય, કદાચ ન થાય. જો સ્કૃષ્ટ થાય, તો નિયમાં અનંત વડે થાય. ભગવન્! અધર્માસ્તિકાય, કેટલા ધર્માસ્તિકાય વડે પૃષ્ટ થાય? અસંખ્યાત વડે. કેટલા અધર્માસ્તિકાયથી ? એક પણ નહીં. બાકી બધું ધર્માસ્તિકાય મુજબ જાણવું. આ આલાવા વડે બધા જ સ્વ સ્થાનમાં એક પણ પ્રદેશથી પૃષ્ટ ન થાય, પરસ્થાનમાં પહેલાના ત્રણમાં અસંખ્યાત વડે, પછીના અનંત વડે કહેવા યાવત્ અદ્ધા સમય, યાવત્ મુનિ દીપરત્નસાગર કૃત્ “(ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 35