Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' નરકોમાં નૈરયિક પાંચમી ધૂમપ્રભા પૃથ્વીથી મહાકર્માવાળાદિ છે, પણ અલ્પકર્મવાળા નથી. અલ્પઋદ્ધિવાળાદિ છે, પણ મહાઋદ્ધિવાળા નથી. પાંચમી ધૂમપ્રભા પૃથ્વીમાં ત્રણ લાખ નરકાવાસો છે. એ રીતે જેમ છઠ્ઠીમાં કહ્યું, એ પ્રમાણે સાતે પૃથ્વીમાં પરસ્પર કહેવું, યાવત્ રત્નપ્રભા યાવત્ મહાઋદ્ધિવાળા છે, અલ્પઋદ્ધિવાળા નથી. સૂત્ર-૫૭૦ થી પ૭૪ પ૭૦, ભગવન્! રત્નપ્રભા પૃથ્વી નૈરયિક, કેવો પૃથ્વીસ્પર્શ અનુભવતા વિચરે છે ? ગૌતમ ! તેઓ અનિષ્ટ, અકાંત, અપ્રિય, અમનોજ્ઞ, અમણામ સ્પર્શને અનુભવે છે. એ રીતે અધઃસપ્તમી પૃથ્વી નૈરયિક સુધી કહેવું, એ રીતે અપકાય, તેઉકાય, વાયુકાય, વનસ્પતિકાયનો પ્રતિકુળ સ્પર્શ કહેવો. પ૭૧. ભગવનરત્નપ્રભા પૃથ્વી, બીજી શર્કરામભા પૃથ્વીની અપેક્ષાએ બાહલ્યથી સૌથી મોટી, ચોતરફથી સૌથી નાની છે ? હા, ગૌતમ ! છે, એ પ્રમાણે જીવાભિગમના બીજા નૈરયિક ઉદ્દેશક મુજબ કહેવું. પ૭૨. ભગવદ્ ! આ રત્નપ્રભા પૃથ્વીના નરકાવાસોના આસપાસમાં જે પૃથ્વીકાયિકથી વનસ્પતિકાયિક સુધીના જીવો છે, તે મહાકર્મ, મહાક્રિયા, મહાશ્રવ, મહાવેદનાવાળા છે ? હા, ગૌતમ ! છે ઇત્યાદિ જીવાભિગમના નૈરયિક ઉદ્દેશકવત્ સાતમી પૃથ્વી સુધી કહેવું. પ૭૩. ભગવદ્ ! લોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ગૌતમ ! આ રત્નપ્રભાના આકાશખંડના અસંખ્યાત ભાગને અવગાહીને લોકનો લંબાઈનો મધ્યભાગ છે. ભગવન્અધોલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે ? ગૌતમ ! ચોથી પંકપ્રભા પૃથ્વીના કંઈક અધિક અર્ધભાગને ઉલ્લંઘી અધોલોકનો લંબાઈનો મધ્યભાગ છે. ભગવદ્ ! ઉર્ધ્વલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે? ગૌતમ ! સનકુમાર અને માહેન્દ્રકલ્પની ઉપર અને બ્રહ્મલોક કલ્પની નીચે રિષ્ટ વિમાન પ્રસ્તટમાં ઉર્વીલોકનો આયામ મધ્ય છે. ભગવન્! તિર્થાલોકનો લંબાઈનો મધ્યભાગ ક્યાં છે ? ગૌતમ ! જંબુદ્વીપમાં મેરુ પર્વતના બહુમધ્ય દેશભાગમાં આ રત્નપ્રભા પૃથ્વીના ઉપરના અને નીચેના ક્ષુદ્ર પ્રતરમાં તિર્થાલોકમાં મધ્યભાગ રૂપ આઠ રૂચક પ્રદેશ કહ્યા છે. જ્યાંથી આ દશ દિશાઓ નીકળે છે. તે આ પૂર્વા, પૂર્વદક્ષિણા એ પ્રમાણે દશમાં શતકમાં છે, તેમ કહેવું. પજ. ભગવન ! ઐન્દ્રી-પૂર્વ દિશાની આદિ શું છે? ક્યાંથી તે નીકળી છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? ઉત્તરમાં કેટલા પ્રદેશ છે? કેટલા પ્રદેશવાળી છે ? ક્યાં પર્યવસાન પામે છે? સંસ્થાન કયુ છે? ગૌતમ ! ઐી દિશાની આદિમાં રૂચક છે, રૂચક પ્રદેશોથી નીકળે છે, તે આરંભે દ્વિપ્રદેશી છે, બન્ને પ્રદેશોની ઉત્તરોત્તર વૃદ્ધિ થાય છે, લોકને આશ્રીને તે અસંખ્યપ્રદેશી, અલોકને આશ્રીને અનંત પ્રદેશી છે. તે લોકને આશ્રીને સાદિ-સાંત છે, અલોકને આશ્રીને સાદિ-અનંત છે. લોકને આશ્રીને અરજસંસ્થિત છે. અલોકને આશ્રીને ઉદ્ઘશકટાકાર સંસ્થિત છે. ભગવન્! આગ્નેયી દિશાની આદિમાં શું છે ?, તેનો ઉદ્દભવ શું છે? તેની આદિમાં કેટલા પ્રદેશ છે ? કેટલા પ્રદેશ વિસ્તીર્ણ છે? તે કેટલા પ્રદેશી છે, તેનો અંત ક્યાં છે? તેનું સંસ્થાન કેવું છે? ગૌતમ ! આગ્નેયી દિશાની આદિમાં રુચક છે, તે ચકમાંથી નીકળે છે, તે એકપ્રદેશાદિ છે, એક પ્રદેશ વિસ્તૃત છે, અનુત્તર છે. તે લોકને આશ્રીને અસંખ્યપ્રદેશી, અલોકને આશ્રીને અનંતપ્રદેશી છે. તે લોકને આશ્રીને સાદિ સાંત, અલોકને આશ્રીને સાદિ-અનંત છે. તૂટેલી મુક્તાવલી આકારે છે. યામ્યા દિશા ઐન્દ્રી માફક છે. નૈસ્મૃતી, આગ્નેયીવતું છે. એ પ્રમાણે ચારે દિશાઓનું વર્ણન ઐન્દ્રી માફક અને વિદિશા, આગ્નેયી માફક જાણવી. ભગવન્! વિમલાદિશા વિશે પ્રશ્ન. ગૌતમ ! વિમલાદિશાની આદિ રૂચક છે, તે રૂચકમાંથી નીકળે છે, આદિમાં ચાર પ્રદેશ છે, દ્ધિપ્રદેશ વિસ્તીર્ણ છે, અનુત્તર છે. લોકને આશ્રીને આદિ આગ્નેયી મુજબ જાણવું. વિશેષ એ કે તે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 33