Book Title: Agam 05 Bhagwati 02 Gujarati Translation
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Dipratnasagar, Deepratnasagar
View full book text
________________ આગમસૂત્ર 5, અંગસૂત્ર 5, “ભગવતીસૂત્ર ભાગ-૨' અસંખ્યાત વિસ્તૃત છે. ભગવન ! અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરોમાં મહા મોટા યાવતું મહાનરકોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં એક સમયમાં કેટલા નૈરયિક ઉત્પન્ન થાય છે, ઇત્યાદિ પ્રશ્ન. પંકપ્રભા મુજબ જાણવુ. વિશેષ આ - ત્રણ જ્ઞાનવાળા ઉત્પન્ન થતા નથી કે ઉદ્વર્તતા નથી. બાકી બધું પૂર્વવત્ કહેવું. એ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં પણ કહેવું, અસંખ્યાત કહેવા. પs૫. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં સમ્યગદષ્ટિ નરકો ઉપજે છે, મિથ્યાદષ્ટિ નરકો ઉપજે છે કે સમ્યગુમિથ્યાદષ્ટિ નૈરયિકો ઉપજે છે ? ગૌતમ ! સમ્યગદષ્ટિ, મિથ્યાદષ્ટિ ઉપજે, પણ મિશ્રદૃષ્ટિ ઉપજતા નહીં. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકોમાં શું સમ્યગદષ્ટિ નૈરયિકો ઉદ્વર્તે છે, આદિ પૃચ્છા. ગૌતમ ! પૂર્વવત્ જાણવું જોઈએ. ભગવન્! આ રત્નપ્રભા પૃથ્વીમાં 30 લાખ નરકાવાસોમાં સંખ્યાત વિસ્તૃત નરકો શું સમ્યગદૃષ્ટિ નૈરયિકોથી. અવિરહિત છે, મિથ્યાદષ્ટિઓથી કે મિશ્રદષ્ટિઓથી અવિરહિત છે ? ગૌતમ ! સમ્યગુ અને મિથ્યાદષ્ટિથી અવિરહિત છે, મિશ્રદૃષ્ટિથી કદાચિત અવિરહિત, કદાચિત વિરહિત હોય. આ પ્રમાણે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા કહેવા. શર્કરા પ્રભાથી તમારું સુધી કહેવું. ભગવન્અધઃસપ્તમી પૃથ્વીમાં પાંચ અનુત્તરોમાં યાવત્ સંખ્યાત વિસ્તૃત નરકોમાં સમ્યગદૃષ્ટિ નૈરયિકો ઉત્પન્ન થાય ? ગૌતમ ! સમ્યગદૃષ્ટિ અને મિશ્ર ન ઉપજે, મિથ્યાદૃષ્ટિ ઉપજે. એ પ્રમાણે ઉદ્વર્તેમાં જાણવું. અવિરહિત, રત્નપ્રભા મુજબ છે, એ રીતે અસંખ્યાત વિસ્તૃતમાં ત્રણ આલાવા જાણવા. 566. ભગવદ્ ! શું કૃષ્ણલેશ્યી, નીલલેશ્યી યાવત્ શુલ્લેશ્યી થઈ જીવ કૃષ્ણલેશ્યી નરકોમાં ઉત્પન્ન થાય ? હા, ગૌતમ ! થાય. ભગવદ્ ! એમ કેમ કહો છો ? ગૌતમ ! વેશ્યા સ્થાન સંક્લેશને પામતા-પામતા કૃષ્ણ લેશ્યામાં પરિણમે છે, પછી કૃષ્ણલેશ્યા નૈરયિકોમાં ઉપજે છે, તેથી. ભગવન્કૃષ્ણલેશ્યી યાવત્ શુક્લલેશ્યી થઈને જીવ નીલલેશ્યી નૈરયિકોમાં ઉપજ ? હા, ગૌતમ ! યાવત્ ઉપજે છે. ભગવન્! એમ કેમ કહ્યું ? ગૌતમ ! વેશ્યા સ્થાનમાં સંક્લેશ પામતા પામતા અને વિશુધ્યમાન થતા નીલલેશ્યામાં પરિણમે છે, પછી નીલલેશ્યી નૈરયિકોમાં ઉપજે છે, તેથી હે ગૌતમ ! આમ કહ્યું છે. ભગવન્! કૃષ્ણલેશ્યી યાવતુ શુક્લલેશ્યી થઈને જીવ કાપોતલેશ્યી નૈરયિકોમાં ઉપજે છે ? નીલલેશ્યા માફક કાપોતલેશ્યામાં પણ કહેવું યાવત્ ઉપજે છે. ભગવન્! તે એમ જ છે, એમ જ છે. શતક-૧૩, ઉદ્દેશા-૧નો ગુજરાતી અનુવાદ પૂર્ણ શતક-૧૩, ઉદ્દેશો-૨ “દેવ’ સૂત્ર-પ૬૭ ભગવન્! દેવો કેટલા ભેદે છે? ગૌતમ! ચાર પ્રકારે છે - ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક વૈમાનિક. ભગવન્! ભવનવાસી દેવો કેટલા ભેદે છે ? ગૌતમ ! દશ ભેદ. અસુરકુમારાદિ, જેમ બીજા શતકમાં દેવ ઉદ્દેશકમાં કહ્યા, તેમ સર્વાર્થસિદ્ધક સુધી જાણવા. ભગવન્અસુરકુમારાવાસ કેટલા લાખ છે ? ગૌતમ ! ૬૪-લાખ છે. ભગવદ્ ! તે સંખ્યાત વિસ્તૃત છે કે અસંખ્યાત? ગૌતમ ! બંને છે. ભગવન્! ૬૪-લાખ અસુરકુમારાવાસના અસંખ્યાત યોજન વિસ્તૃત અસુરકુમારાવાસમાં એક સમયમાં કેટલા અસુરકુમારો ઉપજ ? યાવત્ કેટલા તેઉલેશ્યી ઉપજ ?, કેટલા કૃષ્ણપાક્ષિકો ઉપજે. એ પ્રમાણે રત્નપ્રભામાં છે મુનિ દીપરત્નસાગર કૃત્ “ભગવતી)” આગમસૂત્ર ભાવાનુવાદ Page 30